પોતાના ભાષણમાં નીતિન પટેલે કહ્યું રાહુલ ગાંધી જેટલું બોલશે તેટલો ભાજપને ફાયદો છે


  • Published By :
  • Published Date : 2022-11-19 17:55:29

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામવાની છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે રાહુલ ગાંધી જેટલું બોલશે તેટલો ભાજપને ફાયદો થશે. 

nitin patel

રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર 

દરેક રાજકીય પાર્ટી ચૂંટણી પ્રચારમાં લાગી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભા ગજવી રહ્યા છે. ત્યારે સુરતમાં સંબોધન કરતી વખતે નીતિન પટેલે કહ્યું કે રાહુલ ગાંધી જેટલું બોલશે તેટલો ફાયદો ભાજપને થશે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે તો બાકી રહેલી કોંગ્રેસનો પણ અંત આવશે. નીતિન પટેલે કહ્યું કે રાહુલ ગાંધીએ મને કહ્યું કે તેઓ કોંગ્રેસને ખતમ કરી દેશે. 

Rahul Gandhi આવતીકાલે સુરતની કોર્ટમાં થશે હાજર, મોદી સમાજ વિરૂદ્ધ કરી હતી  ટિપ્પણી | Gujarat News in Gujarati

રાહુલનું નામ લઈ કહ્યું કે નીતિન પટેલે કહ્યું કે...

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસને જલ્દીથી જલ્દી ભારત મુક્ત કરી દે. જેટલું બોલશે ખરાબ બોલશે. ભારત માતાના વિરૂદ્ધમાં બોલશે. રાહુલ ગાંધીને કહીશ કે ભારત જોડો યાત્રા પૂર્ણ ના કરતા અને ગુજરાતમાં આવજો. ગુજરાતમાં જે થોટું કોંગ્રેસ બચ્યું છે તે પણ સાફ થઈ જશે. વધુમાં નીતિન પટેલે કહ્યું કે રાહુલ ગાંધીએ મને કીધું હતું કે હું કોંગ્રેસને ખતમ કરીને જ રહીશ.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.