જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દારૂ કેસમાં થઇ ધરપકડ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-06-01 20:58:55

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.   

રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમને એક મોટી સફળતા હાંસિલ થઇ છે. મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ બે કરોડ ના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતો-ફરતો ફરાર શખ્સ જેનું નામ છે હિતેશ ઉર્ફ વાન્ગો નરશીભાઈ બામભણીયાને પોલીસે ઝડપી પાડયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારી સહીત  ગંભીર ગુનાઓમાં સંડોવણી ધરાવે છે સાથે જ તેની પર ૧૯ ગુના દાખલ થઇ ચુક્યા છે. આ વાન્ગો બામભણીયાને ચોટીલા લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાય દ્રારા રાજકોટ રેન્જ હસ્તક ના જિલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના આપી હતી જેને લઇ રાજકોટ રેન્જ ના પીઆઇ અપૂર્વ પટેલ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પૃથ્વીરાજસિંહ મોરી તથા પીએસઆઇ ચંદ્રેશકુમાર કાંટેલીયા સ્ટાફ દ્રારા નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા તપાસમાં હતા.

આ દરમ્યાન રાજકોટ રેન્જ IGની ટીમને બાતમી મળતા , વાન્ગો બામભણીયાને  ચોટીલા લાલા રઘુવંશી હોટલની બાજુમાં નગીન હોટલ પાસે જાહેર રોડ ઉપર થી પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ના હવાલે કરવામાં આવ્યો છે . આ વાન્ગો બામભણીયા પર મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના નં.૦૨૪૪/૨૦૨૬ પ્રોહી.કલમ ૬૫ (એ,ઇ), ૧૧૬ (બી), ૮૧, ૮૩, ૯૮( ૨) હેઠળ ગુનો નોંધાયેલો છે.  આ કામગીરીમાં રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાય ના નેતૃત્વ હેઠળ આર.આર.સેલ ના પીઆઇ અપૂર્વ પટેલ ની સુચના થી પીએસઆઇ પૃથ્વીરાજસિંહ મોરી તથા પીએસઆઇ ચંદ્રેશકુમાર કાંટેલીયા સહિત સ્ટાફ ના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેષભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ હતી.



શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.