જામનગરમાં પરપ્રાંતિય યુવાને ચારિત્ર્યની શંકા રાખી પત્નીની કરી હત્યા, પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


  • Published By :
  • Published Date : 2024-01-04 23:01:43

લગ્ન જીવનમાં એક નાની શંકા પણ પતિ-પત્ની માટે કેવી જીવલેણ બને છે તે જામનગરમાં બનેલી ઘટના પરથી જાણવા મળે છે. જામનગરના કનસુમરામાં એક પરપ્રાંતિય યુવાને પત્નીના ચારિત્ર અંગે શંકા રાખી મોતને ઘાટ ઉતારી દેતા હડકંપ મચી ગયો છે. જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા પાસે એક ઝુપડામાં ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. એક પરપ્રાંતિય યુવાને પત્નીના ચારિત્ર્ય અંગે વહેમ રાખી માથામાં લાકડાના હાથાવાળા કુહાડાના ચાર ઘા ઝીંકી દઈ હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ ઈલેક્ટ્રીક થાંભલામાં સૂતરની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.


શું છે સમગ્ર મામલો?


આ મામલે પોલીસ પાસેથી મળતી જાણકારી મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના હીડીબડી ગામના વતની નેભાભાઇ કલાભાઈ ખરાડી હાલ જામનગર નજીક કનસુમરા ગામમાં એક ખાનગી પ્લોટમાં ઝૂંપડું બાંધીને રહેતા હતા. તેમણે પત્નીની હત્યા કરી નાંખી છે. લોહીથી લથબથ મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું અને ત્યારબાદ હત્યારા પતિ નેવાભાઈ કલાભાઈ ખરાડી બનાવથી થોડે દૂર ઇલેક્ટ્રીક થાંભલામાં ખાટલો બાંધવા માટેની સૂતરની દોરીથી ગળાફાંસો ખાઈ લઈ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર વિજય નેવાભાઈ ખરાડીએ પોલીસને જાણ કરતા પંચકોશી બી. ડિવિઝનના પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા તેઓની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને એકપછી એક બંને મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


પત્નીના ચારિત્ર્યની શંકા બની મોતનું કારણ


આ મામલે પોલીસે મૃતકના પુત્ર વિજય ખરાડીની ફરિયાદના આધારે આરોપી નેવાભાઈ કલાભાઈ ખરાડી સામે ફરિયાદ દાખલ કરી છે અને હથિયાર કબ્જે કર્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન, આરોપી નેવાભાઈ જે પોતાની પત્નીના ચારિત્ર્ય અંગેની શંકા કરતો હતો, તેની પત્નીને વતનમાં અન્ય કોઈ પુરુષ સાથેના આડા સંબંધો છે, તેવી શંકા કરીને અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને બુધવારની રાત્રે હત્યાની ઘટનાને અંજામ આપી દીધો હતો. ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.