જામનગરમાં પરપ્રાંતિય યુવાને ચારિત્ર્યની શંકા રાખી પત્નીની કરી હત્યા, પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


  • Published By :
  • Published Date : 2024-01-04 23:01:43

લગ્ન જીવનમાં એક નાની શંકા પણ પતિ-પત્ની માટે કેવી જીવલેણ બને છે તે જામનગરમાં બનેલી ઘટના પરથી જાણવા મળે છે. જામનગરના કનસુમરામાં એક પરપ્રાંતિય યુવાને પત્નીના ચારિત્ર અંગે શંકા રાખી મોતને ઘાટ ઉતારી દેતા હડકંપ મચી ગયો છે. જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા પાસે એક ઝુપડામાં ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. એક પરપ્રાંતિય યુવાને પત્નીના ચારિત્ર્ય અંગે વહેમ રાખી માથામાં લાકડાના હાથાવાળા કુહાડાના ચાર ઘા ઝીંકી દઈ હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ ઈલેક્ટ્રીક થાંભલામાં સૂતરની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.


શું છે સમગ્ર મામલો?


આ મામલે પોલીસ પાસેથી મળતી જાણકારી મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના હીડીબડી ગામના વતની નેભાભાઇ કલાભાઈ ખરાડી હાલ જામનગર નજીક કનસુમરા ગામમાં એક ખાનગી પ્લોટમાં ઝૂંપડું બાંધીને રહેતા હતા. તેમણે પત્નીની હત્યા કરી નાંખી છે. લોહીથી લથબથ મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું અને ત્યારબાદ હત્યારા પતિ નેવાભાઈ કલાભાઈ ખરાડી બનાવથી થોડે દૂર ઇલેક્ટ્રીક થાંભલામાં ખાટલો બાંધવા માટેની સૂતરની દોરીથી ગળાફાંસો ખાઈ લઈ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર વિજય નેવાભાઈ ખરાડીએ પોલીસને જાણ કરતા પંચકોશી બી. ડિવિઝનના પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા તેઓની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને એકપછી એક બંને મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


પત્નીના ચારિત્ર્યની શંકા બની મોતનું કારણ


આ મામલે પોલીસે મૃતકના પુત્ર વિજય ખરાડીની ફરિયાદના આધારે આરોપી નેવાભાઈ કલાભાઈ ખરાડી સામે ફરિયાદ દાખલ કરી છે અને હથિયાર કબ્જે કર્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન, આરોપી નેવાભાઈ જે પોતાની પત્નીના ચારિત્ર્ય અંગેની શંકા કરતો હતો, તેની પત્નીને વતનમાં અન્ય કોઈ પુરુષ સાથેના આડા સંબંધો છે, તેવી શંકા કરીને અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને બુધવારની રાત્રે હત્યાની ઘટનાને અંજામ આપી દીધો હતો. ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે