જામનગરમાં પરપ્રાંતિય યુવાને ચારિત્ર્યની શંકા રાખી પત્નીની કરી હત્યા, પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


  • Published By :
  • Published Date : 2024-01-04 23:01:43

લગ્ન જીવનમાં એક નાની શંકા પણ પતિ-પત્ની માટે કેવી જીવલેણ બને છે તે જામનગરમાં બનેલી ઘટના પરથી જાણવા મળે છે. જામનગરના કનસુમરામાં એક પરપ્રાંતિય યુવાને પત્નીના ચારિત્ર અંગે શંકા રાખી મોતને ઘાટ ઉતારી દેતા હડકંપ મચી ગયો છે. જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટીયા પાસે એક ઝુપડામાં ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. એક પરપ્રાંતિય યુવાને પત્નીના ચારિત્ર્ય અંગે વહેમ રાખી માથામાં લાકડાના હાથાવાળા કુહાડાના ચાર ઘા ઝીંકી દઈ હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ ઈલેક્ટ્રીક થાંભલામાં સૂતરની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.


શું છે સમગ્ર મામલો?


આ મામલે પોલીસ પાસેથી મળતી જાણકારી મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના હીડીબડી ગામના વતની નેભાભાઇ કલાભાઈ ખરાડી હાલ જામનગર નજીક કનસુમરા ગામમાં એક ખાનગી પ્લોટમાં ઝૂંપડું બાંધીને રહેતા હતા. તેમણે પત્નીની હત્યા કરી નાંખી છે. લોહીથી લથબથ મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું અને ત્યારબાદ હત્યારા પતિ નેવાભાઈ કલાભાઈ ખરાડી બનાવથી થોડે દૂર ઇલેક્ટ્રીક થાંભલામાં ખાટલો બાંધવા માટેની સૂતરની દોરીથી ગળાફાંસો ખાઈ લઈ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર વિજય નેવાભાઈ ખરાડીએ પોલીસને જાણ કરતા પંચકોશી બી. ડિવિઝનના પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા તેઓની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને એકપછી એક બંને મૃતદેહોનો કબજો સંભાળ્યો હતો અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


પત્નીના ચારિત્ર્યની શંકા બની મોતનું કારણ


આ મામલે પોલીસે મૃતકના પુત્ર વિજય ખરાડીની ફરિયાદના આધારે આરોપી નેવાભાઈ કલાભાઈ ખરાડી સામે ફરિયાદ દાખલ કરી છે અને હથિયાર કબ્જે કર્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન, આરોપી નેવાભાઈ જે પોતાની પત્નીના ચારિત્ર્ય અંગેની શંકા કરતો હતો, તેની પત્નીને વતનમાં અન્ય કોઈ પુરુષ સાથેના આડા સંબંધો છે, તેવી શંકા કરીને અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને બુધવારની રાત્રે હત્યાની ઘટનાને અંજામ આપી દીધો હતો. ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.



પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. ત્યારે ચૈતર વસાવાનો પ્રચાર કરવા માટે સંજયસિંહ ગુજરાત આવ્યા છે. ભાજપ પર તેમણે આકરા પ્રહાર કર્યા હતા..