જામનગરમાં કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં થયો નોટોનો વરસાદ! કિર્તીદાન ગઢવી ઉપરાંત રિવાબા જાડેજા પર પણ ઉડાડવામાં આવી ચલણી નોટો!


  • Published By :
  • Published Date : 2023-05-23 15:48:58

ડાયરા દરમિયાન કલાકારો પર નોટોની વર્ષા કરવામાં આવતી હોય છે તેના વીડિયો અનેક વખત સામે આવતા હોય છે. ત્યારે જામનગર ખાતે કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો જેમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. કીર્તિદાન ગઢવી પર ડાયરા દરમિયાન ચલણી નોટો ઉડાડવામાં આવતી હોય છે. પરંતુ આ વખતના ડાયરામાં રિવાબા જાડેજા પર પણ ચલણી નોટોની વર્ષા કરવામાં આવી હતી. રિવાબા જાડેજા ઉપરાંત હકુભા જાડેજા અને કાંધલ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.   

રિવાબા જાડેજા પર ચલણી નોટો ઊડી.

કિર્તીદાન ગઢવી પર થયો રુપિયાની નોટોનો વરસાદ!

મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે અનેક જગ્યાઓ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, કિંજલ દવે સહિતના કલાકારોનો લોકડાયરો યોજાયો હતો. લોક કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમ દરમિયાન કલાકારો પર નોટોની વર્ષા કરવામાં આવી હતી. 

સ્ટેજ પર ચલણી નોટોનો ઢગલો.

રિવાબા જાડેજા પર ઉડાડાઈ ચલણી નોટ! 

લોક ડાયરામાં ભારતીય ચલણ ઉપરાંત ડોલર પણ ઉડાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા, કાંધલ જાડેજા સહિતના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કલાકારો ઉપર તો નોટોનો વરસાદ કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતના ડાયરામાં રિવાબા જાડેજા પર પણ ચલણી નોટો ઉડાડવામાં આવી હતી. 10 રુપિયાની નોટોથી લઈ 2 હજારની નોટોનો વરસાદ થયો હતો.       

   પૂર્વ મંત્રી હકુભા જાડેજાનો જન્મદિવસ પણ હતો.    

કીર્તિદાન ગઢવી પર અનેક વખત થતો હોય છે નોટોનો વરસાદ!

મહત્વનું છે કે કલાકારો પર તો નોટો વરસાદ થતો હોય છે પરંતુ ડાયરામાં ધારાસભ્ય પર ચલણી નોટોનો વરસાદ થતો હોય તે ખૂબ ઓછું જોવા મળતું હોય છે. કીર્તિદાન ગઢવી પર તો ડોલરોનો વરસાદ થાય છે તો કોઈ વખત સોના ચાંદીનો વરસાદ થાય છે. ત્યારે આ વખતે કિર્તીદાન ગઢવી ઉપરાંત જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પર પૈસાનો વરસાદ થયો હતો.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.