જામનગરમાં કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં થયો નોટોનો વરસાદ! કિર્તીદાન ગઢવી ઉપરાંત રિવાબા જાડેજા પર પણ ઉડાડવામાં આવી ચલણી નોટો!


  • Published By :
  • Published Date : 2023-05-23 15:48:58

ડાયરા દરમિયાન કલાકારો પર નોટોની વર્ષા કરવામાં આવતી હોય છે તેના વીડિયો અનેક વખત સામે આવતા હોય છે. ત્યારે જામનગર ખાતે કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો જેમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. કીર્તિદાન ગઢવી પર ડાયરા દરમિયાન ચલણી નોટો ઉડાડવામાં આવતી હોય છે. પરંતુ આ વખતના ડાયરામાં રિવાબા જાડેજા પર પણ ચલણી નોટોની વર્ષા કરવામાં આવી હતી. રિવાબા જાડેજા ઉપરાંત હકુભા જાડેજા અને કાંધલ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.   

રિવાબા જાડેજા પર ચલણી નોટો ઊડી.

કિર્તીદાન ગઢવી પર થયો રુપિયાની નોટોનો વરસાદ!

મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે અનેક જગ્યાઓ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, કિંજલ દવે સહિતના કલાકારોનો લોકડાયરો યોજાયો હતો. લોક કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમ દરમિયાન કલાકારો પર નોટોની વર્ષા કરવામાં આવી હતી. 

સ્ટેજ પર ચલણી નોટોનો ઢગલો.

રિવાબા જાડેજા પર ઉડાડાઈ ચલણી નોટ! 

લોક ડાયરામાં ભારતીય ચલણ ઉપરાંત ડોલર પણ ઉડાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા, કાંધલ જાડેજા સહિતના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કલાકારો ઉપર તો નોટોનો વરસાદ કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતના ડાયરામાં રિવાબા જાડેજા પર પણ ચલણી નોટો ઉડાડવામાં આવી હતી. 10 રુપિયાની નોટોથી લઈ 2 હજારની નોટોનો વરસાદ થયો હતો.       

   પૂર્વ મંત્રી હકુભા જાડેજાનો જન્મદિવસ પણ હતો.    

કીર્તિદાન ગઢવી પર અનેક વખત થતો હોય છે નોટોનો વરસાદ!

મહત્વનું છે કે કલાકારો પર તો નોટો વરસાદ થતો હોય છે પરંતુ ડાયરામાં ધારાસભ્ય પર ચલણી નોટોનો વરસાદ થતો હોય તે ખૂબ ઓછું જોવા મળતું હોય છે. કીર્તિદાન ગઢવી પર તો ડોલરોનો વરસાદ થાય છે તો કોઈ વખત સોના ચાંદીનો વરસાદ થાય છે. ત્યારે આ વખતે કિર્તીદાન ગઢવી ઉપરાંત જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પર પૈસાનો વરસાદ થયો હતો.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.