જામનગરમાં કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં થયો નોટોનો વરસાદ! કિર્તીદાન ગઢવી ઉપરાંત રિવાબા જાડેજા પર પણ ઉડાડવામાં આવી ચલણી નોટો!


  • Published By :
  • Published Date : 2023-05-23 15:48:58

ડાયરા દરમિયાન કલાકારો પર નોટોની વર્ષા કરવામાં આવતી હોય છે તેના વીડિયો અનેક વખત સામે આવતા હોય છે. ત્યારે જામનગર ખાતે કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો જેમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. કીર્તિદાન ગઢવી પર ડાયરા દરમિયાન ચલણી નોટો ઉડાડવામાં આવતી હોય છે. પરંતુ આ વખતના ડાયરામાં રિવાબા જાડેજા પર પણ ચલણી નોટોની વર્ષા કરવામાં આવી હતી. રિવાબા જાડેજા ઉપરાંત હકુભા જાડેજા અને કાંધલ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.   

રિવાબા જાડેજા પર ચલણી નોટો ઊડી.

કિર્તીદાન ગઢવી પર થયો રુપિયાની નોટોનો વરસાદ!

મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે અનેક જગ્યાઓ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, કિંજલ દવે સહિતના કલાકારોનો લોકડાયરો યોજાયો હતો. લોક કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમ દરમિયાન કલાકારો પર નોટોની વર્ષા કરવામાં આવી હતી. 

સ્ટેજ પર ચલણી નોટોનો ઢગલો.

રિવાબા જાડેજા પર ઉડાડાઈ ચલણી નોટ! 

લોક ડાયરામાં ભારતીય ચલણ ઉપરાંત ડોલર પણ ઉડાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા, કાંધલ જાડેજા સહિતના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કલાકારો ઉપર તો નોટોનો વરસાદ કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતના ડાયરામાં રિવાબા જાડેજા પર પણ ચલણી નોટો ઉડાડવામાં આવી હતી. 10 રુપિયાની નોટોથી લઈ 2 હજારની નોટોનો વરસાદ થયો હતો.       

   પૂર્વ મંત્રી હકુભા જાડેજાનો જન્મદિવસ પણ હતો.    

કીર્તિદાન ગઢવી પર અનેક વખત થતો હોય છે નોટોનો વરસાદ!

મહત્વનું છે કે કલાકારો પર તો નોટો વરસાદ થતો હોય છે પરંતુ ડાયરામાં ધારાસભ્ય પર ચલણી નોટોનો વરસાદ થતો હોય તે ખૂબ ઓછું જોવા મળતું હોય છે. કીર્તિદાન ગઢવી પર તો ડોલરોનો વરસાદ થાય છે તો કોઈ વખત સોના ચાંદીનો વરસાદ થાય છે. ત્યારે આ વખતે કિર્તીદાન ગઢવી ઉપરાંત જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પર પૈસાનો વરસાદ થયો હતો.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.