જામનગરમાં કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં થયો નોટોનો વરસાદ! કિર્તીદાન ગઢવી ઉપરાંત રિવાબા જાડેજા પર પણ ઉડાડવામાં આવી ચલણી નોટો!


  • Published By :
  • Published Date : 2023-05-23 15:48:58

ડાયરા દરમિયાન કલાકારો પર નોટોની વર્ષા કરવામાં આવતી હોય છે તેના વીડિયો અનેક વખત સામે આવતા હોય છે. ત્યારે જામનગર ખાતે કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાયો હતો જેમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. કીર્તિદાન ગઢવી પર ડાયરા દરમિયાન ચલણી નોટો ઉડાડવામાં આવતી હોય છે. પરંતુ આ વખતના ડાયરામાં રિવાબા જાડેજા પર પણ ચલણી નોટોની વર્ષા કરવામાં આવી હતી. રિવાબા જાડેજા ઉપરાંત હકુભા જાડેજા અને કાંધલ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.   

રિવાબા જાડેજા પર ચલણી નોટો ઊડી.

કિર્તીદાન ગઢવી પર થયો રુપિયાની નોટોનો વરસાદ!

મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે અનેક જગ્યાઓ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, કિંજલ દવે સહિતના કલાકારોનો લોકડાયરો યોજાયો હતો. લોક કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમ દરમિયાન કલાકારો પર નોટોની વર્ષા કરવામાં આવી હતી. 

સ્ટેજ પર ચલણી નોટોનો ઢગલો.

રિવાબા જાડેજા પર ઉડાડાઈ ચલણી નોટ! 

લોક ડાયરામાં ભારતીય ચલણ ઉપરાંત ડોલર પણ ઉડાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તે સિવાય પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા, કાંધલ જાડેજા સહિતના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કલાકારો ઉપર તો નોટોનો વરસાદ કરવામાં આવતો હોય છે પરંતુ આ વખતના ડાયરામાં રિવાબા જાડેજા પર પણ ચલણી નોટો ઉડાડવામાં આવી હતી. 10 રુપિયાની નોટોથી લઈ 2 હજારની નોટોનો વરસાદ થયો હતો.       

   પૂર્વ મંત્રી હકુભા જાડેજાનો જન્મદિવસ પણ હતો.    

કીર્તિદાન ગઢવી પર અનેક વખત થતો હોય છે નોટોનો વરસાદ!

મહત્વનું છે કે કલાકારો પર તો નોટો વરસાદ થતો હોય છે પરંતુ ડાયરામાં ધારાસભ્ય પર ચલણી નોટોનો વરસાદ થતો હોય તે ખૂબ ઓછું જોવા મળતું હોય છે. કીર્તિદાન ગઢવી પર તો ડોલરોનો વરસાદ થાય છે તો કોઈ વખત સોના ચાંદીનો વરસાદ થાય છે. ત્યારે આ વખતે કિર્તીદાન ગઢવી ઉપરાંત જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પર પૈસાનો વરસાદ થયો હતો.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે