JNU કેમ્પસમાંથી કોણે પીએમ મોદી અને અમિત શાહની વિરુદ્ધમાં નારા લગાવ્યા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-06 23:01:02

 જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. 

Jawaharlal Nehru University

 જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ પ્રદર્શન અને વાંધાજનક નારાબાજી કરવામાં આવી છે. આ પ્રદર્શન દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદ અને દેશદ્રોહના આરોપી શરજિલ ઇમામના સમર્થનમાં થયું છે. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ‘મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર ’ જેવા નારા લગાવવામાં આવ્યા છે , જેના કારણે વિવાદ થયો છે. ભૂતકાળમાં પણ JNU આવા જ પ્રકારની નારેબાજીઓના કારણે સતત વિવાદોમાં રહી છે. JNUમાં આ વિવાદિત નારાબાજી અને પ્રદર્શન રાત્રિના સમયે સાબરમતી હોસ્ટેલની બહાર થયું છે. આ પ્રદર્શનમાં ડાબેરી વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ પણ નારા લગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે થોડાક સમય અગાઉ ઉમર ખાલિદ અને શરજિલ ઇમામની જામીન અરજી નામંજૂર કરી હતી, જેના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતું. વાત કરીએ શરજિલ ઇમામની તો તેમની પર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે, કારણ કે તેમણે ‘ચિકન નેક’ કાપીને નોર્થ ઈસ્ટને ભારતથી અલગ કરવાની વાત કરી હતી. જ્યારે ઉમર ખાલિદ પર વર્ષ ૨૦૨૦માં થયેલા દિલ્હી રમખાણોમાં ભૂમિકા હોવાનો આરોપ છે.

બીજી તરફ , ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે , " સાપના માથા કચડી નાખવામાં આવી રહ્યા છે, નાના બચ્ચા વેદનાથી કણસી રહ્યા છે. જેએનયુમાં નક્સલવાદીઓ, આતંકવાદીઓ અને તોફાનીઓના સમર્થનમાંવાંધાજનક સૂત્રોચ્ચાર કરનારાઓ હતાશ છે કારણ કે નક્સલવાદીઓનો નાશ થઈ રહ્યો છે, આતંકવાદીઓની સામે કાર્યવાહી થઈ રહી છે અને કોર્ટ દ્વારા તોફાનીઓની ઓળખ કરવામાં આવી છે." JNUમાં PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નારા લાગ્યા તેને લઇને બીજેપીના નેતા ગિરિરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " JNU ટુકડે ટુકડે ગેંગની કેમ્પ ઓફિસ બની ચૂક્યું છે. તેમણે ભૂલવું ના જોઈએ કે આ ભારત છે , નરેન્દ્ર મોદીનું ભારત છે. ૨૧મી સદીનું ભારત છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની કબર ખોદવાવાળા પોતે કબરમાં જતા રહ્યા."



દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.