JNU કેમ્પસમાંથી કોણે પીએમ મોદી અને અમિત શાહની વિરુદ્ધમાં નારા લગાવ્યા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-06 23:01:02

 જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. 

Jawaharlal Nehru University

 જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ પ્રદર્શન અને વાંધાજનક નારાબાજી કરવામાં આવી છે. આ પ્રદર્શન દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદ અને દેશદ્રોહના આરોપી શરજિલ ઇમામના સમર્થનમાં થયું છે. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ‘મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર ’ જેવા નારા લગાવવામાં આવ્યા છે , જેના કારણે વિવાદ થયો છે. ભૂતકાળમાં પણ JNU આવા જ પ્રકારની નારેબાજીઓના કારણે સતત વિવાદોમાં રહી છે. JNUમાં આ વિવાદિત નારાબાજી અને પ્રદર્શન રાત્રિના સમયે સાબરમતી હોસ્ટેલની બહાર થયું છે. આ પ્રદર્શનમાં ડાબેરી વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ પણ નારા લગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે થોડાક સમય અગાઉ ઉમર ખાલિદ અને શરજિલ ઇમામની જામીન અરજી નામંજૂર કરી હતી, જેના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતું. વાત કરીએ શરજિલ ઇમામની તો તેમની પર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે, કારણ કે તેમણે ‘ચિકન નેક’ કાપીને નોર્થ ઈસ્ટને ભારતથી અલગ કરવાની વાત કરી હતી. જ્યારે ઉમર ખાલિદ પર વર્ષ ૨૦૨૦માં થયેલા દિલ્હી રમખાણોમાં ભૂમિકા હોવાનો આરોપ છે.

બીજી તરફ , ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે , " સાપના માથા કચડી નાખવામાં આવી રહ્યા છે, નાના બચ્ચા વેદનાથી કણસી રહ્યા છે. જેએનયુમાં નક્સલવાદીઓ, આતંકવાદીઓ અને તોફાનીઓના સમર્થનમાંવાંધાજનક સૂત્રોચ્ચાર કરનારાઓ હતાશ છે કારણ કે નક્સલવાદીઓનો નાશ થઈ રહ્યો છે, આતંકવાદીઓની સામે કાર્યવાહી થઈ રહી છે અને કોર્ટ દ્વારા તોફાનીઓની ઓળખ કરવામાં આવી છે." JNUમાં PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નારા લાગ્યા તેને લઇને બીજેપીના નેતા ગિરિરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " JNU ટુકડે ટુકડે ગેંગની કેમ્પ ઓફિસ બની ચૂક્યું છે. તેમણે ભૂલવું ના જોઈએ કે આ ભારત છે , નરેન્દ્ર મોદીનું ભારત છે. ૨૧મી સદીનું ભારત છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની કબર ખોદવાવાળા પોતે કબરમાં જતા રહ્યા."



ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.