JNU કેમ્પસમાંથી કોણે પીએમ મોદી અને અમિત શાહની વિરુદ્ધમાં નારા લગાવ્યા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-06 23:01:02

 જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. 

Jawaharlal Nehru University

 જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ પ્રદર્શન અને વાંધાજનક નારાબાજી કરવામાં આવી છે. આ પ્રદર્શન દિલ્હી રમખાણોના આરોપી ઉમર ખાલિદ અને દેશદ્રોહના આરોપી શરજિલ ઇમામના સમર્થનમાં થયું છે. કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ‘મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર ’ જેવા નારા લગાવવામાં આવ્યા છે , જેના કારણે વિવાદ થયો છે. ભૂતકાળમાં પણ JNU આવા જ પ્રકારની નારેબાજીઓના કારણે સતત વિવાદોમાં રહી છે. JNUમાં આ વિવાદિત નારાબાજી અને પ્રદર્શન રાત્રિના સમયે સાબરમતી હોસ્ટેલની બહાર થયું છે. આ પ્રદર્શનમાં ડાબેરી વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ પણ નારા લગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે થોડાક સમય અગાઉ ઉમર ખાલિદ અને શરજિલ ઇમામની જામીન અરજી નામંજૂર કરી હતી, જેના વિરોધમાં આ પ્રદર્શન યોજાયું હતું. વાત કરીએ શરજિલ ઇમામની તો તેમની પર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે, કારણ કે તેમણે ‘ચિકન નેક’ કાપીને નોર્થ ઈસ્ટને ભારતથી અલગ કરવાની વાત કરી હતી. જ્યારે ઉમર ખાલિદ પર વર્ષ ૨૦૨૦માં થયેલા દિલ્હી રમખાણોમાં ભૂમિકા હોવાનો આરોપ છે.

બીજી તરફ , ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રાની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે , " સાપના માથા કચડી નાખવામાં આવી રહ્યા છે, નાના બચ્ચા વેદનાથી કણસી રહ્યા છે. જેએનયુમાં નક્સલવાદીઓ, આતંકવાદીઓ અને તોફાનીઓના સમર્થનમાંવાંધાજનક સૂત્રોચ્ચાર કરનારાઓ હતાશ છે કારણ કે નક્સલવાદીઓનો નાશ થઈ રહ્યો છે, આતંકવાદીઓની સામે કાર્યવાહી થઈ રહી છે અને કોર્ટ દ્વારા તોફાનીઓની ઓળખ કરવામાં આવી છે." JNUમાં PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નારા લાગ્યા તેને લઇને બીજેપીના નેતા ગિરિરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " JNU ટુકડે ટુકડે ગેંગની કેમ્પ ઓફિસ બની ચૂક્યું છે. તેમણે ભૂલવું ના જોઈએ કે આ ભારત છે , નરેન્દ્ર મોદીનું ભારત છે. ૨૧મી સદીનું ભારત છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની કબર ખોદવાવાળા પોતે કબરમાં જતા રહ્યા."



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.