સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ચક્રવાત!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-28 20:55:08

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. 

Gujarat Local Body Election Result 2026: Gujarat Municipal Corporation,  Panchayats Election Results Couting Begins

વાત કરીએ પરિણામોની , તો ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓમાં ૧૦૪૪ બેઠકો પર જે મતગણતરી હાથ ધરાઈ તેમાં ૮૮૫ બેઠકો પર ભાજપ આગળ રહ્યું છે , ૭૯ બેઠકો પર કોંગ્રેસ આગળ રહી છે જયારે ૧૨ બેઠકો અન્ય અને આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. સુરતમાં 1995 બાદ પ્રથમ વખત વિપક્ષ નેતાનું પદ ખાલી રહેશે. સુરત પાલિકાની 120 બેઠકમાંથી ભાજપને ફાળે 115 આપ ને 4 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. પાલિકામાં સત્તાવાર રીતે વિપક્ષને સ્થાન મળે તે માટે સાત બેઠક જરુરી છે પરંતુ બે પક્ષ મળીને પણ સાત બેઠક થઈ શકે તેમ નથી. તેથી પાલિકા કચેરી 1995 પછી ફરી એક વાર વિપક્ષી કેબિન વિનાની જોવા મળશે એટલું જ નહી પરંતુ વિપક્ષી નેતા ન હોવાથી વિપક્ષને ગાડી કે ફોન પણ મળી શકશે નહીં. હવે વાત કરીએ , ૩૪ જિલ્લા પંચાયતની વાત કરીએ તો ૧૦૯૦ સીટો પર ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ૮૫૦ બેઠકો પર ભાજપ , ૧૨૮ બેઠકો પર કોંગ્રેસ , ૫૫ બેઠકો પર અન્ય અને AAP આગળ રહ્યા છે.  તાલુકા પંચાયતની વાત કરીએ તો , તેની ૫૨૩૪ બેઠકોમાંથી ૩૪૨૮ બેઠકો પર ભાજપ , કોંગ્રેસ ૯૨૭ બેઠકો પર , ૪૪૯ બેઠકો પર અન્ય અને આપના ફાળે ગઈ છે.  નગરપાલિકાઓમાં ૨૬૨૪ બેઠકોમાંથી ભાજપ ૧૯૩૮ બેઠકો પર આગળ રહ્યું , ૪૫૮ બેઠકો પર કોંગ્રેસ આગળ રહી , ૧૭૭ બેઠકો પર અન્ય અને આપ આગળ રહ્યા છે. 

BJP wins Gujarat local body elections with sweeping success

આ તમામ પરિણામો વચ્ચે , આમ આદમી પાર્ટીની ચર્ચા થઇ રહી છે. કેમ કે , નર્મદા જિલ્લા પંચાયત પર AAPનો કબ્જો થયો છે.  AAP દ્વારા ડેડીયાપાડા, ચીકદા , ગુડેશ્વર , વાલીયા, બગસરા, લાલપુર, જુનાગઢ, પોશીના, વિસાવદર, સાગબારા, છોટાઉદેપુર, કવાંટ એમ ૧૨ તાલુકા પંચાયત જીતી લીધી છે. આમ આદમી પાર્ટીએ ૨૦૨૭ના વિધાનસભાના જંગ માટે પોતાનો પાયો નાખી દીધો છે. 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.