મહિસાગરમાં જાનૈયાઓને નડ્યો અકસ્માત, બેકાબૂ બનેલી ગાડી જાનના વરઘોડા પર ફરી વળી


  • Published By :
  • Published Date : 2023-02-16 14:10:08

મહીસાગરના બાલાસિનોરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાત્રીના સમયે વરઘોડો જઈ રહ્યો હતો તે દરમિયાન વરઘોડાને અકસ્માત નડ્યો છે. કારચાલક નશાની હાલતમાં હતો અને નશાની હાલતમાં તેણે કાર જાનૈયાઓ પર ચલાવી દીધી. જેને કારણે 2 લોકોના મોત થયા છે જ્યારે 20-25 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડાએ સ્થળની મુલાકાત લીધી હતી. 


બે લોકોના થયા મોત   

બાલાસિનોર શહેરમાં લગ્નના વરઘોડાને અકસ્માત નડયો છે. સેવાલિયા રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત સર્જાયો છે જેમાં નશામાં ધુત સ્વીફટ કાર ચાલકે વરઘોડા ઉપર કાર ફેરવી દીધી હતી. મોડી રાત્રે જઈ રહેલા વરઘોડાને આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે વરઘોડામાં હાજર લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 20-25 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. બાલાસિનોર પોલીસે હિટ એન્ડ રનની ઘટના નોંધી તપાસ હાથ ધરી છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.