મહિસાગરમાં જાનૈયાઓને નડ્યો અકસ્માત, બેકાબૂ બનેલી ગાડી જાનના વરઘોડા પર ફરી વળી


  • Published By :
  • Published Date : 2023-02-16 14:10:08

મહીસાગરના બાલાસિનોરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાત્રીના સમયે વરઘોડો જઈ રહ્યો હતો તે દરમિયાન વરઘોડાને અકસ્માત નડ્યો છે. કારચાલક નશાની હાલતમાં હતો અને નશાની હાલતમાં તેણે કાર જાનૈયાઓ પર ચલાવી દીધી. જેને કારણે 2 લોકોના મોત થયા છે જ્યારે 20-25 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડાએ સ્થળની મુલાકાત લીધી હતી. 


બે લોકોના થયા મોત   

બાલાસિનોર શહેરમાં લગ્નના વરઘોડાને અકસ્માત નડયો છે. સેવાલિયા રોડ ઉપર પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત સર્જાયો છે જેમાં નશામાં ધુત સ્વીફટ કાર ચાલકે વરઘોડા ઉપર કાર ફેરવી દીધી હતી. મોડી રાત્રે જઈ રહેલા વરઘોડાને આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે વરઘોડામાં હાજર લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 20-25 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. બાલાસિનોર પોલીસે હિટ એન્ડ રનની ઘટના નોંધી તપાસ હાથ ધરી છે.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.