વડોદરાના મકરપુરામાં લોકોએ સાંતા ક્લોઝને માર માર્યો, ધરાર કપડા ઉતાર્યા


  • Published By :
  • Published Date : 2022-12-23 20:55:21

વડોદરાના મકરપુરામાં મંગળવારે સાંતા ક્લોઝના કપડા પહેરેલા શશિકાંત ડાભીને ટોળાએ ધીબી નાખ્યો છે. શશિકાંત અવધૂત સોસાયટીમાં ક્રિસમસ મનાવવા પહોંચ્યો હતો. ક્રિસમસ સેલિબ્રેશન ચાલુ હોવાના કારણે તે સાંતા ક્લોઝના કપડા પહેર્યા હતા. ત્યાં ખ્રિસ્તી પરિવારના ઘરે ક્રિસમસનું ફંક્શન હતું જ્યાં તે વિશ કરવા માટે ગયો હતો. શશિકાંત જોડે ખ્રિસ્તી ધર્મના અમુક નેતા પણ હતા. 


અચાનક ટોળાએ સાંતા ક્લોઝને ધીબી નાખ્યો

અવધૂત કોલોનીમાં ખ્રિસ્તી પરીવારના લોકો શાંતિથી ક્રિસમસ ઉજવતા હતા ત્યાં અચાનક ટોળું ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઘૂસી ગયું હતું. આ ટોળાએ જબરદસ્તી ઘરમાં ક્રિસમસની ઉજવણી બંધ કરી દીધી હતી તેવો ખ્રિસ્તી પરિવારે આક્ષેપ કર્યો હતો. કંઈ ખબર પડે તેની પહેલા જ ટોળાના લોકો સાંતા પર હુમલો કરવાનું શરૂ કરી દીધો હતો અને કપડા ઉતારવા કહ્યું હતું. કાર્યક્રમમાં જે લોકો હાજર હતા તે બધા લોકોને પણ ધમકાવવામાં આવ્યા હતા. ટોળાના લોકોએ કહ્યું હતું કે આ એરિયા હિંદુ વિસ્તારનો છે, એટલે અહીં આવા તહેવારો ઉજવી શકાય. ટોળાનું એવું કહેવું હતું કે શશિકાંત ડાભી હિંદુ વિસ્તારમાં સાંતા ક્લોઝના કપડા પહેરીને ફરી રહ્યો હતો અને ચોકલેટ વેચી રહ્યો હતો. 


મારામારીની આ ઘટનામાં એક મહિલા સહિત ચાર લોકોને ઈજા પહોંચી છે. ત્યાના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ખ્રિસ્તી ફાધરના પણ કપડા ફાડી નાખવામાં આવ્યા હતા. પોલીસનું ધ્યાન પડતા તેમણે પણ કાર્યવાહી કરી હતી અને ફરિયાદ નોંધી છે. હવે ખ્રિસ્તી ધર્મના લોકોએ પોલીસ પ્રોટેક્શન માગ્યું છે. તેમનું કહેવું છે કે આ બનાવ બાદ અમારી જીવને જોખમ છે માટે અમને પોલીસ પ્રોટેક્શન આપો. 





પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.