વડોદરાના મકરપુરામાં લોકોએ સાંતા ક્લોઝને માર માર્યો, ધરાર કપડા ઉતાર્યા


  • Published By :
  • Published Date : 2022-12-23 20:55:21

વડોદરાના મકરપુરામાં મંગળવારે સાંતા ક્લોઝના કપડા પહેરેલા શશિકાંત ડાભીને ટોળાએ ધીબી નાખ્યો છે. શશિકાંત અવધૂત સોસાયટીમાં ક્રિસમસ મનાવવા પહોંચ્યો હતો. ક્રિસમસ સેલિબ્રેશન ચાલુ હોવાના કારણે તે સાંતા ક્લોઝના કપડા પહેર્યા હતા. ત્યાં ખ્રિસ્તી પરિવારના ઘરે ક્રિસમસનું ફંક્શન હતું જ્યાં તે વિશ કરવા માટે ગયો હતો. શશિકાંત જોડે ખ્રિસ્તી ધર્મના અમુક નેતા પણ હતા. 


અચાનક ટોળાએ સાંતા ક્લોઝને ધીબી નાખ્યો

અવધૂત કોલોનીમાં ખ્રિસ્તી પરીવારના લોકો શાંતિથી ક્રિસમસ ઉજવતા હતા ત્યાં અચાનક ટોળું ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઘૂસી ગયું હતું. આ ટોળાએ જબરદસ્તી ઘરમાં ક્રિસમસની ઉજવણી બંધ કરી દીધી હતી તેવો ખ્રિસ્તી પરિવારે આક્ષેપ કર્યો હતો. કંઈ ખબર પડે તેની પહેલા જ ટોળાના લોકો સાંતા પર હુમલો કરવાનું શરૂ કરી દીધો હતો અને કપડા ઉતારવા કહ્યું હતું. કાર્યક્રમમાં જે લોકો હાજર હતા તે બધા લોકોને પણ ધમકાવવામાં આવ્યા હતા. ટોળાના લોકોએ કહ્યું હતું કે આ એરિયા હિંદુ વિસ્તારનો છે, એટલે અહીં આવા તહેવારો ઉજવી શકાય. ટોળાનું એવું કહેવું હતું કે શશિકાંત ડાભી હિંદુ વિસ્તારમાં સાંતા ક્લોઝના કપડા પહેરીને ફરી રહ્યો હતો અને ચોકલેટ વેચી રહ્યો હતો. 


મારામારીની આ ઘટનામાં એક મહિલા સહિત ચાર લોકોને ઈજા પહોંચી છે. ત્યાના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ખ્રિસ્તી ફાધરના પણ કપડા ફાડી નાખવામાં આવ્યા હતા. પોલીસનું ધ્યાન પડતા તેમણે પણ કાર્યવાહી કરી હતી અને ફરિયાદ નોંધી છે. હવે ખ્રિસ્તી ધર્મના લોકોએ પોલીસ પ્રોટેક્શન માગ્યું છે. તેમનું કહેવું છે કે આ બનાવ બાદ અમારી જીવને જોખમ છે માટે અમને પોલીસ પ્રોટેક્શન આપો. 





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.