વડોદરાના મકરપુરામાં લોકોએ સાંતા ક્લોઝને માર માર્યો, ધરાર કપડા ઉતાર્યા


  • Published By :
  • Published Date : 2022-12-23 20:55:21

વડોદરાના મકરપુરામાં મંગળવારે સાંતા ક્લોઝના કપડા પહેરેલા શશિકાંત ડાભીને ટોળાએ ધીબી નાખ્યો છે. શશિકાંત અવધૂત સોસાયટીમાં ક્રિસમસ મનાવવા પહોંચ્યો હતો. ક્રિસમસ સેલિબ્રેશન ચાલુ હોવાના કારણે તે સાંતા ક્લોઝના કપડા પહેર્યા હતા. ત્યાં ખ્રિસ્તી પરિવારના ઘરે ક્રિસમસનું ફંક્શન હતું જ્યાં તે વિશ કરવા માટે ગયો હતો. શશિકાંત જોડે ખ્રિસ્તી ધર્મના અમુક નેતા પણ હતા. 


અચાનક ટોળાએ સાંતા ક્લોઝને ધીબી નાખ્યો

અવધૂત કોલોનીમાં ખ્રિસ્તી પરીવારના લોકો શાંતિથી ક્રિસમસ ઉજવતા હતા ત્યાં અચાનક ટોળું ખ્રિસ્તી પરિવારના ઘરમાં ઘૂસી ગયું હતું. આ ટોળાએ જબરદસ્તી ઘરમાં ક્રિસમસની ઉજવણી બંધ કરી દીધી હતી તેવો ખ્રિસ્તી પરિવારે આક્ષેપ કર્યો હતો. કંઈ ખબર પડે તેની પહેલા જ ટોળાના લોકો સાંતા પર હુમલો કરવાનું શરૂ કરી દીધો હતો અને કપડા ઉતારવા કહ્યું હતું. કાર્યક્રમમાં જે લોકો હાજર હતા તે બધા લોકોને પણ ધમકાવવામાં આવ્યા હતા. ટોળાના લોકોએ કહ્યું હતું કે આ એરિયા હિંદુ વિસ્તારનો છે, એટલે અહીં આવા તહેવારો ઉજવી શકાય. ટોળાનું એવું કહેવું હતું કે શશિકાંત ડાભી હિંદુ વિસ્તારમાં સાંતા ક્લોઝના કપડા પહેરીને ફરી રહ્યો હતો અને ચોકલેટ વેચી રહ્યો હતો. 


મારામારીની આ ઘટનામાં એક મહિલા સહિત ચાર લોકોને ઈજા પહોંચી છે. ત્યાના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ખ્રિસ્તી ફાધરના પણ કપડા ફાડી નાખવામાં આવ્યા હતા. પોલીસનું ધ્યાન પડતા તેમણે પણ કાર્યવાહી કરી હતી અને ફરિયાદ નોંધી છે. હવે ખ્રિસ્તી ધર્મના લોકોએ પોલીસ પ્રોટેક્શન માગ્યું છે. તેમનું કહેવું છે કે આ બનાવ બાદ અમારી જીવને જોખમ છે માટે અમને પોલીસ પ્રોટેક્શન આપો. 





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.