મણિપુરમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા, ઉગ્રવાદીઓના ટેન્કરો કર્યા નષ્ટ


  • Published By :
  • Published Date : 2023-06-26 18:12:16

મણિપુરમાં ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. કુકી તેમજ મૈતેઈ સમુદાયો વચ્ચે શરૂ થયેલી હિંસા હજી પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે મણિપુરમાં શાંતિ સ્થપાય તે માટે સુરક્ષાબળોને ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ત્યારે પોલીસે રવિવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તે દરમિયાન 12 બંકરો તોડી પાડવામાં આવ્યા હતા. સુરક્ષાબળોએ ઉગ્રવાદી વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

 



12 બંકરોને કરાયા નષ્ટ 

છેલ્લા ઘણા દિવસોથી મણિપુરમાં અશાંત વાતાવરણ ફેલાઈ રહ્યું છે. મણિપુરમાં ભડકેલી હિંસાને કારણે અંદાજીત 100થી વધારે લોકોના મોત થયા છે. વાતાવરણને શાંત કરવા તેમજ ભડકેલી હિંસાને શાંત કરવા સુરક્ષા બળોને તૈનાત કરી દેવામાં આવી છે. પરંતુ તે બાદ પણ અનેક વખત ફાયરિંગની ઘટના બની છે. અમિત શાહે પણ મણિપુરની મુલાકાત લીધી હતી તે ઉપરાંત સર્વદળીય બેઠકનું આયોજન પણ કર્યું હતું. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરક્ષાબળોએ ઉગ્રવાદીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કાર્યવાહી દરમિયાન 12 બંકરો તોડી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત એવા પણ સમાચાર સામે આવ્યા છે કે પીએમ મોદી પણ મણિપુરને લઈ બેઠક કરી છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.