મણિપુરમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા, ઉગ્રવાદીઓના ટેન્કરો કર્યા નષ્ટ


  • Published By :
  • Published Date : 2023-06-26 18:12:16

મણિપુરમાં ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. કુકી તેમજ મૈતેઈ સમુદાયો વચ્ચે શરૂ થયેલી હિંસા હજી પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે મણિપુરમાં શાંતિ સ્થપાય તે માટે સુરક્ષાબળોને ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ત્યારે પોલીસે રવિવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તે દરમિયાન 12 બંકરો તોડી પાડવામાં આવ્યા હતા. સુરક્ષાબળોએ ઉગ્રવાદી વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

 



12 બંકરોને કરાયા નષ્ટ 

છેલ્લા ઘણા દિવસોથી મણિપુરમાં અશાંત વાતાવરણ ફેલાઈ રહ્યું છે. મણિપુરમાં ભડકેલી હિંસાને કારણે અંદાજીત 100થી વધારે લોકોના મોત થયા છે. વાતાવરણને શાંત કરવા તેમજ ભડકેલી હિંસાને શાંત કરવા સુરક્ષા બળોને તૈનાત કરી દેવામાં આવી છે. પરંતુ તે બાદ પણ અનેક વખત ફાયરિંગની ઘટના બની છે. અમિત શાહે પણ મણિપુરની મુલાકાત લીધી હતી તે ઉપરાંત સર્વદળીય બેઠકનું આયોજન પણ કર્યું હતું. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરક્ષાબળોએ ઉગ્રવાદીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કાર્યવાહી દરમિયાન 12 બંકરો તોડી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત એવા પણ સમાચાર સામે આવ્યા છે કે પીએમ મોદી પણ મણિપુરને લઈ બેઠક કરી છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.