મણિપુરમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા, ઉગ્રવાદીઓના ટેન્કરો કર્યા નષ્ટ


  • Published By :
  • Published Date : 2023-06-26 18:12:16

મણિપુરમાં ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. કુકી તેમજ મૈતેઈ સમુદાયો વચ્ચે શરૂ થયેલી હિંસા હજી પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે મણિપુરમાં શાંતિ સ્થપાય તે માટે સુરક્ષાબળોને ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ત્યારે પોલીસે રવિવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તે દરમિયાન 12 બંકરો તોડી પાડવામાં આવ્યા હતા. સુરક્ષાબળોએ ઉગ્રવાદી વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

 



12 બંકરોને કરાયા નષ્ટ 

છેલ્લા ઘણા દિવસોથી મણિપુરમાં અશાંત વાતાવરણ ફેલાઈ રહ્યું છે. મણિપુરમાં ભડકેલી હિંસાને કારણે અંદાજીત 100થી વધારે લોકોના મોત થયા છે. વાતાવરણને શાંત કરવા તેમજ ભડકેલી હિંસાને શાંત કરવા સુરક્ષા બળોને તૈનાત કરી દેવામાં આવી છે. પરંતુ તે બાદ પણ અનેક વખત ફાયરિંગની ઘટના બની છે. અમિત શાહે પણ મણિપુરની મુલાકાત લીધી હતી તે ઉપરાંત સર્વદળીય બેઠકનું આયોજન પણ કર્યું હતું. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરક્ષાબળોએ ઉગ્રવાદીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. કાર્યવાહી દરમિયાન 12 બંકરો તોડી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત એવા પણ સમાચાર સામે આવ્યા છે કે પીએમ મોદી પણ મણિપુરને લઈ બેઠક કરી છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.