મનીષ સીસોદિયાની તિરંગા રેલીમાં મોદી મોદીના નારા લાગ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 15:39:28

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે જોર શોરથી પાર્ટીઓ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી શોર-જોરથી પ્રચાર કરી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે મહેસાણા ખાતે તિરંગા યાત્રા નિકળી હતી. તે દરમિયાન તિરંગા યાત્રામાં મોદી મોદીના નારા લાગ્યા હતા.

'બસ હવે પરિવર્તન જોઈએ' યાત્રા કરતા મનીષ સિસોદિયા

આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે હાલ ગુજરાતના પ્રવાસે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે. બસ હવે પરિવર્તનની થીમ પર તેઓ પ્રચાર કરી રહ્યા છે. મનીષ સિસોદિયા સાથે ઈસુદાન ગઢવી પણ યાત્રામાં જોડાયા છે.

 

અરવિંદ કેજરીવાલના પ્રવાસ દરમિયાન પણ લાગ્યા હતા મોદી મોદીના નારા

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અનેક વખત અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ્યારે તેઓ વડોદરાની મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન પણ મોદી-મોદીના નારા લાગ્યા હતા. ત્યારે ફરી એક વખત અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે 25 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવવાના છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે