મનીષ સીસોદિયાની તિરંગા રેલીમાં મોદી મોદીના નારા લાગ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 15:39:28

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે જોર શોરથી પાર્ટીઓ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી શોર-જોરથી પ્રચાર કરી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે મહેસાણા ખાતે તિરંગા યાત્રા નિકળી હતી. તે દરમિયાન તિરંગા યાત્રામાં મોદી મોદીના નારા લાગ્યા હતા.

'બસ હવે પરિવર્તન જોઈએ' યાત્રા કરતા મનીષ સિસોદિયા

આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે હાલ ગુજરાતના પ્રવાસે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે. બસ હવે પરિવર્તનની થીમ પર તેઓ પ્રચાર કરી રહ્યા છે. મનીષ સિસોદિયા સાથે ઈસુદાન ગઢવી પણ યાત્રામાં જોડાયા છે.

 

અરવિંદ કેજરીવાલના પ્રવાસ દરમિયાન પણ લાગ્યા હતા મોદી મોદીના નારા

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અનેક વખત અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ્યારે તેઓ વડોદરાની મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન પણ મોદી-મોદીના નારા લાગ્યા હતા. ત્યારે ફરી એક વખત અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે 25 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવવાના છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"