મનીષ સીસોદિયાની તિરંગા રેલીમાં મોદી મોદીના નારા લાગ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 15:39:28

વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે જોર શોરથી પાર્ટીઓ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી શોર-જોરથી પ્રચાર કરી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે મહેસાણા ખાતે તિરંગા યાત્રા નિકળી હતી. તે દરમિયાન તિરંગા યાત્રામાં મોદી મોદીના નારા લાગ્યા હતા.

'બસ હવે પરિવર્તન જોઈએ' યાત્રા કરતા મનીષ સિસોદિયા

આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ અનેક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે હાલ ગુજરાતના પ્રવાસે મનીષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે છે. બસ હવે પરિવર્તનની થીમ પર તેઓ પ્રચાર કરી રહ્યા છે. મનીષ સિસોદિયા સાથે ઈસુદાન ગઢવી પણ યાત્રામાં જોડાયા છે.

 

અરવિંદ કેજરીવાલના પ્રવાસ દરમિયાન પણ લાગ્યા હતા મોદી મોદીના નારા

ગુજરાતમાં આ વખતે ત્રણ પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અનેક વખત અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ્યારે તેઓ વડોદરાની મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન પણ મોદી-મોદીના નારા લાગ્યા હતા. ત્યારે ફરી એક વખત અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે 25 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવવાના છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.