ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, માવઠાને કારણે વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-03-04 11:21:37

હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. જે આગાહી સાચી પણ પડી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મહિસાગર જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. તે ઉપરાંત બનાસકાઠામાં પણ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ થયો હતો. અરવલ્લીના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. અચાનક વરસાદ આવવાને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે.


ઉનાળાની શરૂઆતમાં જ આવ્યો કમોસમી વરસાદ 

શિયાળાની વિદાય સત્તાવાર રીતે થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ આકરા તાપનો અહેસાસ થઈ રહ્યો છે. જેમ શિયાળાએ આ વખતે અનેક રેકોર્ડ તોડ્યા હતા તેવી રીતે ઉનાળાએ પણ ફેબ્રુઆરીમાં રેકોર્ડ તોડ્યો છે. ફેબ્રુઆરીમાં તાપમાને રેકોર્ડ બ્રેક કર્યો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરી હતી. ચાર માર્ચથી છ માર્ચ સુધી વાતાવરણ વાદળછાયું રહી શકે છે. આગાહીને પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. 


જગતનો તાત બન્યો ચિંતિત 

મહીસાગર જિલ્લાના લુણાવાડા, કડાણા અને સંતરામપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદ આવ્યો હતો. ઉપરાંત અરવલ્લીમાં વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં એકાએક પલટો આવતા જગતનો તાત ચિંતિત થયો છે. વરસાદ થવાને કારણે પાક બગડવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. બટાકા, ઘઉં, કપાસ જેવા પાકો બગડી શકે છે. ખેડૂતોને પડ્યા પર પાટું બાંધવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.