ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, માવઠાને કારણે વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-03-04 11:21:37

હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. જે આગાહી સાચી પણ પડી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મહિસાગર જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. તે ઉપરાંત બનાસકાઠામાં પણ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ થયો હતો. અરવલ્લીના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. અચાનક વરસાદ આવવાને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે.


ઉનાળાની શરૂઆતમાં જ આવ્યો કમોસમી વરસાદ 

શિયાળાની વિદાય સત્તાવાર રીતે થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ આકરા તાપનો અહેસાસ થઈ રહ્યો છે. જેમ શિયાળાએ આ વખતે અનેક રેકોર્ડ તોડ્યા હતા તેવી રીતે ઉનાળાએ પણ ફેબ્રુઆરીમાં રેકોર્ડ તોડ્યો છે. ફેબ્રુઆરીમાં તાપમાને રેકોર્ડ બ્રેક કર્યો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરી હતી. ચાર માર્ચથી છ માર્ચ સુધી વાતાવરણ વાદળછાયું રહી શકે છે. આગાહીને પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. 


જગતનો તાત બન્યો ચિંતિત 

મહીસાગર જિલ્લાના લુણાવાડા, કડાણા અને સંતરામપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદ આવ્યો હતો. ઉપરાંત અરવલ્લીમાં વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં એકાએક પલટો આવતા જગતનો તાત ચિંતિત થયો છે. વરસાદ થવાને કારણે પાક બગડવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. બટાકા, ઘઉં, કપાસ જેવા પાકો બગડી શકે છે. ખેડૂતોને પડ્યા પર પાટું બાંધવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.