ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, માવઠાને કારણે વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-03-04 11:21:37

હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. જે આગાહી સાચી પણ પડી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મહિસાગર જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. તે ઉપરાંત બનાસકાઠામાં પણ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ થયો હતો. અરવલ્લીના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. અચાનક વરસાદ આવવાને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે.


ઉનાળાની શરૂઆતમાં જ આવ્યો કમોસમી વરસાદ 

શિયાળાની વિદાય સત્તાવાર રીતે થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ આકરા તાપનો અહેસાસ થઈ રહ્યો છે. જેમ શિયાળાએ આ વખતે અનેક રેકોર્ડ તોડ્યા હતા તેવી રીતે ઉનાળાએ પણ ફેબ્રુઆરીમાં રેકોર્ડ તોડ્યો છે. ફેબ્રુઆરીમાં તાપમાને રેકોર્ડ બ્રેક કર્યો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરી હતી. ચાર માર્ચથી છ માર્ચ સુધી વાતાવરણ વાદળછાયું રહી શકે છે. આગાહીને પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. 


જગતનો તાત બન્યો ચિંતિત 

મહીસાગર જિલ્લાના લુણાવાડા, કડાણા અને સંતરામપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદ આવ્યો હતો. ઉપરાંત અરવલ્લીમાં વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં એકાએક પલટો આવતા જગતનો તાત ચિંતિત થયો છે. વરસાદ થવાને કારણે પાક બગડવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. બટાકા, ઘઉં, કપાસ જેવા પાકો બગડી શકે છે. ખેડૂતોને પડ્યા પર પાટું બાંધવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.