ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, માવઠાને કારણે વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-03-04 11:21:37

હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. જે આગાહી સાચી પણ પડી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. મહિસાગર જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. તે ઉપરાંત બનાસકાઠામાં પણ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ થયો હતો. અરવલ્લીના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. અચાનક વરસાદ આવવાને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે.


ઉનાળાની શરૂઆતમાં જ આવ્યો કમોસમી વરસાદ 

શિયાળાની વિદાય સત્તાવાર રીતે થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ આકરા તાપનો અહેસાસ થઈ રહ્યો છે. જેમ શિયાળાએ આ વખતે અનેક રેકોર્ડ તોડ્યા હતા તેવી રીતે ઉનાળાએ પણ ફેબ્રુઆરીમાં રેકોર્ડ તોડ્યો છે. ફેબ્રુઆરીમાં તાપમાને રેકોર્ડ બ્રેક કર્યો છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરી હતી. ચાર માર્ચથી છ માર્ચ સુધી વાતાવરણ વાદળછાયું રહી શકે છે. આગાહીને પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. 


જગતનો તાત બન્યો ચિંતિત 

મહીસાગર જિલ્લાના લુણાવાડા, કડાણા અને સંતરામપુરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદ આવ્યો હતો. ઉપરાંત અરવલ્લીમાં વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં એકાએક પલટો આવતા જગતનો તાત ચિંતિત થયો છે. વરસાદ થવાને કારણે પાક બગડવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. બટાકા, ઘઉં, કપાસ જેવા પાકો બગડી શકે છે. ખેડૂતોને પડ્યા પર પાટું બાંધવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.