ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઘટ્યું તાપમાન, હિમવર્ષાને કારણે થઈ રહ્યો છે કાતિલ ઠંડીનો અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-01-16 10:37:46

ગુજરાત સહિત દેશભરમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા પણ થઈ રહી છે. જેને કારણે ઠંડીમાં ઠિઠુરવા લોકો મજબૂર બન્યા છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ જેવા રાજ્યોમાં સતત ઠંડી વધી રહી છે. આવનાર અઠવાડિયામાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે જેને લઈ હવામાન વિભાગે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દીધા છે.


દિલ્હીમાં ઘટી રહ્યું છે તાપમાન 

દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાકડા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચો જઈ રહ્યો છે. દિલ્હીમાં તાપમાન 4.7 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીના તાપમાનમાં ઘટાડો થયો છે. આવતા અઠવાડિયે આ તાપમાન હજી પણ નીચે જઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.


હિમવર્ષાને કારણે વધી ઠંડી

મોસમ વિભાગની આગાહી પ્રમાણે દિલ્હીમાં તાપમાનનો પારો ત્રણ ડિગ્રી પર પહોંચી શકે છે. પંજાબમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં તો હિમવર્ષા થઈ રહી છે જેને કારણે અનેક રાજ્યોમાં ઠંડી અનુભવ થઈ રહ્યો છે. હિમવર્ષાને કારણે રસ્તાઓ પર બરફ જામી ગયો છે. 


ઉત્તરપ્રદેશમાં પણ થયો ઠંડીનો અહેસાસ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સપ્તાહમાં હજી પણ ઠંડીનું જોર વધશે. ઠંડીનું જોર વધતા અનેક રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બિહારમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં પણ લોકો ઠંડીને સહન કરવા મજબૂર બન્યા છે.    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.