ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઘટ્યું તાપમાન, હિમવર્ષાને કારણે થઈ રહ્યો છે કાતિલ ઠંડીનો અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-01-16 10:37:46

ગુજરાત સહિત દેશભરમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા પણ થઈ રહી છે. જેને કારણે ઠંડીમાં ઠિઠુરવા લોકો મજબૂર બન્યા છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ જેવા રાજ્યોમાં સતત ઠંડી વધી રહી છે. આવનાર અઠવાડિયામાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે જેને લઈ હવામાન વિભાગે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દીધા છે.


દિલ્હીમાં ઘટી રહ્યું છે તાપમાન 

દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાકડા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચો જઈ રહ્યો છે. દિલ્હીમાં તાપમાન 4.7 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીના તાપમાનમાં ઘટાડો થયો છે. આવતા અઠવાડિયે આ તાપમાન હજી પણ નીચે જઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.


હિમવર્ષાને કારણે વધી ઠંડી

મોસમ વિભાગની આગાહી પ્રમાણે દિલ્હીમાં તાપમાનનો પારો ત્રણ ડિગ્રી પર પહોંચી શકે છે. પંજાબમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં તો હિમવર્ષા થઈ રહી છે જેને કારણે અનેક રાજ્યોમાં ઠંડી અનુભવ થઈ રહ્યો છે. હિમવર્ષાને કારણે રસ્તાઓ પર બરફ જામી ગયો છે. 


ઉત્તરપ્રદેશમાં પણ થયો ઠંડીનો અહેસાસ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સપ્તાહમાં હજી પણ ઠંડીનું જોર વધશે. ઠંડીનું જોર વધતા અનેક રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બિહારમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં પણ લોકો ઠંડીને સહન કરવા મજબૂર બન્યા છે.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.