ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઘટ્યું તાપમાન, હિમવર્ષાને કારણે થઈ રહ્યો છે કાતિલ ઠંડીનો અહેસાસ


  • Published By :
  • Published Date : 2023-01-16 10:37:46

ગુજરાત સહિત દેશભરમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. અનેક રાજ્યોમાં હિમવર્ષા પણ થઈ રહી છે. જેને કારણે ઠંડીમાં ઠિઠુરવા લોકો મજબૂર બન્યા છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ જેવા રાજ્યોમાં સતત ઠંડી વધી રહી છે. આવનાર અઠવાડિયામાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે જેને લઈ હવામાન વિભાગે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દીધા છે.


દિલ્હીમાં ઘટી રહ્યું છે તાપમાન 

દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાકડા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચો જઈ રહ્યો છે. દિલ્હીમાં તાપમાન 4.7 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીના તાપમાનમાં ઘટાડો થયો છે. આવતા અઠવાડિયે આ તાપમાન હજી પણ નીચે જઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.


હિમવર્ષાને કારણે વધી ઠંડી

મોસમ વિભાગની આગાહી પ્રમાણે દિલ્હીમાં તાપમાનનો પારો ત્રણ ડિગ્રી પર પહોંચી શકે છે. પંજાબમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં તો હિમવર્ષા થઈ રહી છે જેને કારણે અનેક રાજ્યોમાં ઠંડી અનુભવ થઈ રહ્યો છે. હિમવર્ષાને કારણે રસ્તાઓ પર બરફ જામી ગયો છે. 


ઉત્તરપ્રદેશમાં પણ થયો ઠંડીનો અહેસાસ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર સપ્તાહમાં હજી પણ ઠંડીનું જોર વધશે. ઠંડીનું જોર વધતા અનેક રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બિહારમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં પણ લોકો ઠંડીને સહન કરવા મજબૂર બન્યા છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.