ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો આ માસ્ટરસ્ટ્રોક કામ કરશે?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-10 20:53:56

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૧૧મી તારીખ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે પણ નેતાઓ અને તેમના ટેકેદારોનું આવાગમન ચાલુ જ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સતાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે , કેમ કે , પાલનપુર શહેરના વોર્ડ નંબર ૧ના ભાજપના પૂર્વ નગર સેવક શાંતિ માળી અને તેમના પુત્ર પૂર્વ નગર સેવક આશિષ માળીએ ૧૦૦થી વધુ સમર્થકો સાથે જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. આશિષ માળી ભાજપ શાષિત પાલિકામાં પાણી પુરવઠાના ચેરમેન રહી ચુક્યા છે. સાથે જ હવે , ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈએ પણ ભાજપને રામ રામ કહીને કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી છે.  

મહેસાણામાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ ચરમસીમાએ આવી ગયો છે. કેમ કે, ભારતીય જનતા પાર્ટીના ૨૦૦ જેટલા કાર્યકરોએ ભાજપને ટાટા બાય બાય કહીને કોંગ્રેસની સદસ્યતા ગ્રહણ કરી છે. આ માટે , મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર દ્વારા આ તમામ કાર્યકરોએ કોંગ્રેસમાં ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા છે.  પાટીદાર સમાજના કાર્યકરો ખુબ મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા છે. આ સમગ્ર મામલે ,  મરતોલી ગામના આગેવાન મહેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે , " ભાજપમાં અમારી કોઈ વેલ્યુ થઇ નથી એટલા માટે અમારે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવું પડ્યું છે. આજે અમારી સાથે પાટીદાર યુવાનો અને ઠાકોર યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીમાં અમારું મૂલ્ય ના જાળવતા ભાજપમાંથી કોંગ્રેસમાં આવવું પડ્યું છે. " આમ ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠામાં કોંગ્રેસ પક્ષે ભારતીય જનતા પાર્ટીને આંચકા આપ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રજા ક્યા પક્ષ પર પોતાની પસંદગીનો કળશ ઢોળે છે.




સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.