Gyansahayakના વિરોધમાં Congressએ વ્યારામાં તો AAPએ દાંડીથી કાઢી રેલી, TET-TATના ઉમેદવારોના સમર્થનમાં આવી રાજકીય પાર્ટી


  • Published By :
  • Published Date : 2023-10-13 15:58:39

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્ કરવામાં આવે તેવી માગ ઉમેદવારોની છે. અલગ અલગ રીતે તેમજ પોતાની માગને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ મૃદ્દુ ગણાતી સરકારે આ વાતમાં પોતાની મક્કમતા દર્શાવી છે. સરકાર આ નિર્ણયને નથી બદલવા માગતી તેવું લાગી રહ્યું છે. શિક્ષકોની કાયમી ભરતી કરવા માટે તેમજ જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ઉમેદવારો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.

 

ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આવી કોંગ્રેસ તેમજ આપ 

ગુજરાતના શિક્ષણની શું પરિસ્થિતિ છે તે આપણે જાણીએ છીએ. પ્રતિદિન શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે જે એક દુખદ વાત છે. શિક્ષકોની ઘટ શાળામાં વર્તાઈ રહી છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં આવી ગયા છે. જ્ઞાન સહાયકનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોની વાત તો સરકારે સાંભળી નહીં ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.ની શરૂઆત કરી છે જ્યારે કોંગ્રેસે પણ જ્ઞાનસહાયકના વિરોધમાં રેલી કાઢી હતી.


કોંગ્રેસે વ્યારામાં તો આપે દાંડીથી કાઢી યાત્રા 

જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવા માટે ગાંધીનગર ખાતે થોડા દિવસ પહેલા કોંગ્રેસે શિક્ષણ બચાવ ધરણા કર્યા હતા. આ કાર્યક્રમમાં ટેટ-ટાટના ઉમેદવારો તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવ્યા હતા અને તેમણે પોતાની વેદના ઠાલવી હતી. ત્યારે આજે વ્યારા ખાતે કોંગ્રેસે રેલી કાઢી હતી. શિક્ષણ બચાવો ધરણા અંતર્ગત કોંગ્રેસે આ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, અમિત ચાવડા સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ દાંડીથી યુવા અધિકાર રેલીની શરૂઆત કરી છે. યુવરાજસિંહ જાડેજા, ગોપાલ ઈટાલિયા સહિતના આગેવાનો આ દાંડી યાત્રા 2.0માં હાજર છે.       

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.