Gyansahayakના વિરોધમાં Congressએ વ્યારામાં તો AAPએ દાંડીથી કાઢી રેલી, TET-TATના ઉમેદવારોના સમર્થનમાં આવી રાજકીય પાર્ટી


  • Published By :
  • Published Date : 2023-10-13 15:58:39

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્ કરવામાં આવે તેવી માગ ઉમેદવારોની છે. અલગ અલગ રીતે તેમજ પોતાની માગને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ મૃદ્દુ ગણાતી સરકારે આ વાતમાં પોતાની મક્કમતા દર્શાવી છે. સરકાર આ નિર્ણયને નથી બદલવા માગતી તેવું લાગી રહ્યું છે. શિક્ષકોની કાયમી ભરતી કરવા માટે તેમજ જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ઉમેદવારો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.

 

ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આવી કોંગ્રેસ તેમજ આપ 

ગુજરાતના શિક્ષણની શું પરિસ્થિતિ છે તે આપણે જાણીએ છીએ. પ્રતિદિન શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે જે એક દુખદ વાત છે. શિક્ષકોની ઘટ શાળામાં વર્તાઈ રહી છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં આવી ગયા છે. જ્ઞાન સહાયકનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોની વાત તો સરકારે સાંભળી નહીં ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.ની શરૂઆત કરી છે જ્યારે કોંગ્રેસે પણ જ્ઞાનસહાયકના વિરોધમાં રેલી કાઢી હતી.


કોંગ્રેસે વ્યારામાં તો આપે દાંડીથી કાઢી યાત્રા 

જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવા માટે ગાંધીનગર ખાતે થોડા દિવસ પહેલા કોંગ્રેસે શિક્ષણ બચાવ ધરણા કર્યા હતા. આ કાર્યક્રમમાં ટેટ-ટાટના ઉમેદવારો તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવ્યા હતા અને તેમણે પોતાની વેદના ઠાલવી હતી. ત્યારે આજે વ્યારા ખાતે કોંગ્રેસે રેલી કાઢી હતી. શિક્ષણ બચાવો ધરણા અંતર્ગત કોંગ્રેસે આ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, અમિત ચાવડા સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ દાંડીથી યુવા અધિકાર રેલીની શરૂઆત કરી છે. યુવરાજસિંહ જાડેજા, ગોપાલ ઈટાલિયા સહિતના આગેવાનો આ દાંડી યાત્રા 2.0માં હાજર છે.       

 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી