Gyansahayakના વિરોધમાં Congressએ વ્યારામાં તો AAPએ દાંડીથી કાઢી રેલી, TET-TATના ઉમેદવારોના સમર્થનમાં આવી રાજકીય પાર્ટી


  • Published By :
  • Published Date : 2023-10-13 15:58:39

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્ કરવામાં આવે તેવી માગ ઉમેદવારોની છે. અલગ અલગ રીતે તેમજ પોતાની માગને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ મૃદ્દુ ગણાતી સરકારે આ વાતમાં પોતાની મક્કમતા દર્શાવી છે. સરકાર આ નિર્ણયને નથી બદલવા માગતી તેવું લાગી રહ્યું છે. શિક્ષકોની કાયમી ભરતી કરવા માટે તેમજ જ્ઞાન સહાયક રદ્દ થાય તે માટે ઉમેદવારો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે.

 

ટેટ-ટાટ ઉમેદવારોના સમર્થનમાં આવી કોંગ્રેસ તેમજ આપ 

ગુજરાતના શિક્ષણની શું પરિસ્થિતિ છે તે આપણે જાણીએ છીએ. પ્રતિદિન શિક્ષણનું સ્તર ઘટી રહ્યું છે જે એક દુખદ વાત છે. શિક્ષકોની ઘટ શાળામાં વર્તાઈ રહી છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં આવી ગયા છે. જ્ઞાન સહાયકનો વિરોધ છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોની વાત તો સરકારે સાંભળી નહીં ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી આવી છે. આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.ની શરૂઆત કરી છે જ્યારે કોંગ્રેસે પણ જ્ઞાનસહાયકના વિરોધમાં રેલી કાઢી હતી.


કોંગ્રેસે વ્યારામાં તો આપે દાંડીથી કાઢી યાત્રા 

જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવા માટે ગાંધીનગર ખાતે થોડા દિવસ પહેલા કોંગ્રેસે શિક્ષણ બચાવ ધરણા કર્યા હતા. આ કાર્યક્રમમાં ટેટ-ટાટના ઉમેદવારો તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવ્યા હતા અને તેમણે પોતાની વેદના ઠાલવી હતી. ત્યારે આજે વ્યારા ખાતે કોંગ્રેસે રેલી કાઢી હતી. શિક્ષણ બચાવો ધરણા અંતર્ગત કોંગ્રેસે આ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, અમિત ચાવડા સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. તે ઉપરાંત આમ આદમી પાર્ટીએ દાંડીથી યુવા અધિકાર રેલીની શરૂઆત કરી છે. યુવરાજસિંહ જાડેજા, ગોપાલ ઈટાલિયા સહિતના આગેવાનો આ દાંડી યાત્રા 2.0માં હાજર છે.       

 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.