પંચમહાલ કોંગ્રેસમાં પડ્યું ગાબડું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-16 21:10:30

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે. પંચમહાલ જિલ્લાના રાજકારણમાં આજે જબરદસ્ત ભૂકંપ જોવા મળ્યો છે. કેમ કે , જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચેતનસિંહ પરમારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા કોંગ્રેસ પાર્ટીને નુકશાન થવાની ભીતિ છે. આજે ચેતનસિંહ પરમારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો છે. 


પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ દ્વારા આ રાજકીય ‘ઓપરેશન’ પાર પાડવામાં આવ્યું હતું. ચૂંટણીના ટાણે કોંગ્રેસના જિલ્લા પ્રમુખને ભાજપમાં જોડાવા માટે રાજી કરવામાં આવ્યા હતા, જેને ભાજપ માટે મોટી રાજકીય સફળતા માનવામાં આવી રહી છે. ઘોઘંબા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ વિકાસ સંકલ્પ સભામાં ચેતનસિંહ પરમાર સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ તેમને કેસરિયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.ચૂંટણી પહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખના ભાજપમાં જોડાવાને કારણે પંચમહાલ કોંગ્રેસ સંગઠન હવે સુકાની વિહોણું બન્યું છે. આ ઘટનાના રાજકીય પ્રભાવ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળી શકે છે.


ચૂંટણીઓ પહેલા જ સેનાપતિએ પક્ષ છોડતા જ પંચમહાલ કોંગ્રેસ આગેવાન વિહોણી બની ગઈ છે. કોંગ્રેસના મજબૂત સ્તંભ ગણાતા ચેતનસિંહના ભાજપ પ્રવેશથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. આ પક્ષપલ્ટા પાછળ, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ , જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી અને કિસાન મોરચાના મહામંત્રી જયપાલસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. આ ત્રણેય નેતાઓએ સૂક્ષ્મ આયોજન અને રાજકીય વ્યૂહરચના દ્વારા કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને ભાજપમાં લાવવામાં સફળતા મેળવી છે.



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.