Gyan sahayakના વિરોધમાં Gandhinagar સત્યાગ્રહ છાવણીમાં TET-TAT ઉમેદવારો કરશે હલ્લાબોલ, Yuvrajsinhનો દેખાયો આક્રોશ!


  • Published By :
  • Published Date : 2023-10-20 09:18:09

ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમની માગ છે કે કરાર આધારિત ભરતી નાબુદ થાય અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. પોતાની માગ તેમણે સરકાર સમક્ષ રજૂ કરવાનો અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે. ટેટ-ટાટ ઉમેદવારોનો અવાજ સરકાર સુધી પહોંચી નથી રહ્યો. અનેક વખત અનોખા અંદાજમાં તેમણે જ્ઞાનસહાયકનો વિરોધ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રી,શિક્ષણ મંત્રીને તો પત્ર લખી જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.


ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારો કરશે હલ્લાબોલ! 

પત્ર લખી રજૂઆત કરી પરંતુ તેમના પ્રશ્નનો ઉકેલ આવ્યો નહીં. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારો આંદોલન કરવાના છે. યાત્રા દરમિયાન અનેક એવા વીડિયો આવ્યા જેમાં ઉમેદવારોએ શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા. શિક્ષણ મંત્રીની સંવેદનાઓ મરી ગઈ છે જેને લઈ ઉમેદવારોએ તેમની સંવેદનાઓનું બેસણું યોજ્યું હતું. 


જ્ઞાન સહાયકના વિરોધમાં આવી રાજકીય પાર્ટી 

ગુજરાત સરકારે તેમની વાત ન સાંભળી ત્યારે તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ પત્ર લખી ઉમેદવારે પોતાની વાતની રજૂઆત કરી. પરંતુ ત્યાંથી ઉમેદવારને નિરાશા મળી. ત્યારે અલગ અલગ રીતે તેમણે આંદોલન કરી સરકાર દ્વારા લાવવામાં આવેલા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કર્યો. હનુમાનજીને, શંકર ભગવાન સહિત અનેક ભગવાનને તેમણે પત્ર લખી રજૂઆત કરી. પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવ્યો ન હતો. જ્ઞાન સહાયકનો વિરોધ વધતો ગયો અને ઉમેદવારોના સમર્થનમાં રાજકીય પાર્ટીઓ આવી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જ્ઞાન સહાયકના વિરોધમાં ધરણા કર્યા અને રેલીનું આયોજન પણ કર્યું. 

આ લડાઈનું શું પરિણામ આવશે તેની પર સૌ કોઈની નજર! 

આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું. ગાંધીજીએ અમદાવાદથી દાંડી યાત્રા નિકાળી હતી જ્યારે જ્ઞાન સહાયકના ઉમેદવારોએ ઉંધી દાંડી યાત્રાનું આયોજન કર્યું છે. દાંડીથી નિકળેલી યાત્રા આજે ગાંધીનગરમાં હલ્લાબોલ કરવાની છે. સત્યાગ્રહ છાવણી ખાતે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાન સહાયકના વિરોધમાં અનેક ઉમેદવારો આવ્યા છે. મહા સંમેલનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, યુવરાજસિંહ તેમજ અનેક નેતાઓ, ઉમેદવારો ગાંધીનગરમાં સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. જ્ઞાન સહાયકના વિરોધમાં શરૂ થયેલી યાત્રા સરકારના નિર્ણયને બદલશે કે કેમ તે સમય બતાવશે...   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.