Gyan sahayakના વિરોધમાં Gandhinagar સત્યાગ્રહ છાવણીમાં TET-TAT ઉમેદવારો કરશે હલ્લાબોલ, Yuvrajsinhનો દેખાયો આક્રોશ!


  • Published By :
  • Published Date : 2023-10-20 09:18:09

ગુજરાતના ભાવિ શિક્ષકો જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમની માગ છે કે કરાર આધારિત ભરતી નાબુદ થાય અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. પોતાની માગ તેમણે સરકાર સમક્ષ રજૂ કરવાનો અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે. ટેટ-ટાટ ઉમેદવારોનો અવાજ સરકાર સુધી પહોંચી નથી રહ્યો. અનેક વખત અનોખા અંદાજમાં તેમણે જ્ઞાનસહાયકનો વિરોધ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રી,શિક્ષણ મંત્રીને તો પત્ર લખી જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.


ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારો કરશે હલ્લાબોલ! 

પત્ર લખી રજૂઆત કરી પરંતુ તેમના પ્રશ્નનો ઉકેલ આવ્યો નહીં. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારો આંદોલન કરવાના છે. યાત્રા દરમિયાન અનેક એવા વીડિયો આવ્યા જેમાં ઉમેદવારોએ શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા. શિક્ષણ મંત્રીની સંવેદનાઓ મરી ગઈ છે જેને લઈ ઉમેદવારોએ તેમની સંવેદનાઓનું બેસણું યોજ્યું હતું. 


જ્ઞાન સહાયકના વિરોધમાં આવી રાજકીય પાર્ટી 

ગુજરાત સરકારે તેમની વાત ન સાંભળી ત્યારે તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ પત્ર લખી ઉમેદવારે પોતાની વાતની રજૂઆત કરી. પરંતુ ત્યાંથી ઉમેદવારને નિરાશા મળી. ત્યારે અલગ અલગ રીતે તેમણે આંદોલન કરી સરકાર દ્વારા લાવવામાં આવેલા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કર્યો. હનુમાનજીને, શંકર ભગવાન સહિત અનેક ભગવાનને તેમણે પત્ર લખી રજૂઆત કરી. પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવ્યો ન હતો. જ્ઞાન સહાયકનો વિરોધ વધતો ગયો અને ઉમેદવારોના સમર્થનમાં રાજકીય પાર્ટીઓ આવી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જ્ઞાન સહાયકના વિરોધમાં ધરણા કર્યા અને રેલીનું આયોજન પણ કર્યું. 

આ લડાઈનું શું પરિણામ આવશે તેની પર સૌ કોઈની નજર! 

આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું. ગાંધીજીએ અમદાવાદથી દાંડી યાત્રા નિકાળી હતી જ્યારે જ્ઞાન સહાયકના ઉમેદવારોએ ઉંધી દાંડી યાત્રાનું આયોજન કર્યું છે. દાંડીથી નિકળેલી યાત્રા આજે ગાંધીનગરમાં હલ્લાબોલ કરવાની છે. સત્યાગ્રહ છાવણી ખાતે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાન સહાયકના વિરોધમાં અનેક ઉમેદવારો આવ્યા છે. મહા સંમેલનમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, યુવરાજસિંહ તેમજ અનેક નેતાઓ, ઉમેદવારો ગાંધીનગરમાં સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. જ્ઞાન સહાયકના વિરોધમાં શરૂ થયેલી યાત્રા સરકારના નિર્ણયને બદલશે કે કેમ તે સમય બતાવશે...   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી