પોલીસે રાજા રઘુવંશીના કેસમાં કોર્ટમાં આ પુરાવા રજૂ કર્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-11 13:42:08

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે? 

Raja Raghuvanshi Murder Case : राजा रघुवंशी हत्याकांड में ललितपुर के चार  युवकों को किया गया गिरफ्तार - Raja Murder Case Four Arrested from Lalitpur  who helped Sonam Lover in Murder Of

ઈન્દોરનો હનીમૂન કાંડ જેમાં એક ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી અને તેની પત્ની સોનમ રઘુવંશી મેઘાલયના શિલોન્ગમાં હનીમૂન માટે ગયા હતા . તે પછી ત્યાં  રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવે છે. હવે આ કેસમાં નવી અપડેટ સામે આવી છે કે , રાજા રઘુવંશીના ચારેય હત્યારાઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે . કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારી વિગત છે કેમ કે , સોનમ દ્વારા એવું કહેવામાં હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . હવે તો રાજા રઘુવંશીના ભાઈ સચિને સોનમની માં પર એવો આરોપ લગાવ્યો છે કે , રાજાની હત્યામાં સોનમ રઘુવંશીની માતા પણ શામિલ છે . છે. " હવે સોનમ રઘુવંશી સહીત ચારેય આરોપીઓને મેઘાલયના શિલોન્ગમાં લાવવામાં આવ્યા છે .આ તમામ આરોપીઓને શિલોન્ગની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આ તમામ આરોપીઓની રિમાન્ડની માંગણી કરશે. 

Raja Raghuvanshi Murder Case Sonam And Four Arrested - Amar Ujala Hindi  News Live - Raja Sonam Raghuvanshi Case:क्या काम करते थे आरोपी, एक हुई  दोस्ती और फिर बनाई राजा की हत्या

હવે વાત કરીએ કે , સોનમ રઘુંવશીની વિરુદ્ધમાં ક્યા પુરાવા પોલીસને હાથ લાગ્યા છે? આ તમામ પુરાવામાં , પોલીસની સામે  ચારે આરોપીઓનું કબૂલાતનામું છે જેમાં તેમણે કહ્યું છે કે , તેમણે જ રાજા રઘુવંશીનું મર્ડર કર્યું છે સાથે જ માસ્ટરમાઈન્ડ સોનમ રઘુવંશી હતી . પોલીસ આ સાથે જ હોટલના માલિકનું નિવેદન લેશે જ્યાં સોનમે અને રાજાએ સ્કૂટી ભાડેથી લીધું હતું જે થકી તેઓ હોમ સ્ટે પર ગયા હતા . ઉપરાંત એ દુકાનદારનું નિવેદન પણ નોંધવામાં આવશે જ્યાંથી હથિયાર ખરીદવામાં આવ્યું હતું . આરોપી આકાશની ટી શર્ટ પર લોહી થી લથપથ હતી. સોનમના રેનકોટ પર પણ લોહી લાગેલું છે . કોન્ટ્રાકટ કિલર્સના ફિંગરપ્રિન્ટ જે સામે આવ્યા છે , તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને તેની કોલ ડિટેઇલ સામે આવી છે . ફ્લાઇટ અને ટ્રેનની ટિકિટ , આરોપીઓ સાથે સોનમનો સંવાદ આ મહત્વના પુરાવા જે પોલીસ સાથે છે . આ ઉપરાંત કેટલીય ડિજિટલ ફિંગરપ્રિન્ટ મળી આવી છે .




દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી

વિસાવદરની પેટાચૂંટણીમાં વિજય પછી આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. થોડાક સમય પેહલા , આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા . તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી . આમ આદમી પાર્ટીની રણનીતિ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પેહલા , પોતાનું સંગઠન મજબૂત કરે. હવે , BJP અને કોંગ્રેસમાંથી ગાબડાં પડવાની શરૂઆત થઈ ચુકી છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે, MLA ગોપાલ ઇટાલિયાની હાજરીમાં BJP અને કોંગ્રેસના હોદ્દેદારો ખુબ મોટા પાયે , આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તે પેહલા , આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મહેસાણામાં BJP અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.