પોલીસે રાજા રઘુવંશીના કેસમાં કોર્ટમાં આ પુરાવા રજૂ કર્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-11 13:42:08

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે? 

Raja Raghuvanshi Murder Case : राजा रघुवंशी हत्याकांड में ललितपुर के चार  युवकों को किया गया गिरफ्तार - Raja Murder Case Four Arrested from Lalitpur  who helped Sonam Lover in Murder Of

ઈન્દોરનો હનીમૂન કાંડ જેમાં એક ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી અને તેની પત્ની સોનમ રઘુવંશી મેઘાલયના શિલોન્ગમાં હનીમૂન માટે ગયા હતા . તે પછી ત્યાં  રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવે છે. હવે આ કેસમાં નવી અપડેટ સામે આવી છે કે , રાજા રઘુવંશીના ચારેય હત્યારાઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે . કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારી વિગત છે કેમ કે , સોનમ દ્વારા એવું કહેવામાં હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . હવે તો રાજા રઘુવંશીના ભાઈ સચિને સોનમની માં પર એવો આરોપ લગાવ્યો છે કે , રાજાની હત્યામાં સોનમ રઘુવંશીની માતા પણ શામિલ છે . છે. " હવે સોનમ રઘુવંશી સહીત ચારેય આરોપીઓને મેઘાલયના શિલોન્ગમાં લાવવામાં આવ્યા છે .આ તમામ આરોપીઓને શિલોન્ગની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આ તમામ આરોપીઓની રિમાન્ડની માંગણી કરશે. 

Raja Raghuvanshi Murder Case Sonam And Four Arrested - Amar Ujala Hindi  News Live - Raja Sonam Raghuvanshi Case:क्या काम करते थे आरोपी, एक हुई  दोस्ती और फिर बनाई राजा की हत्या

હવે વાત કરીએ કે , સોનમ રઘુંવશીની વિરુદ્ધમાં ક્યા પુરાવા પોલીસને હાથ લાગ્યા છે? આ તમામ પુરાવામાં , પોલીસની સામે  ચારે આરોપીઓનું કબૂલાતનામું છે જેમાં તેમણે કહ્યું છે કે , તેમણે જ રાજા રઘુવંશીનું મર્ડર કર્યું છે સાથે જ માસ્ટરમાઈન્ડ સોનમ રઘુવંશી હતી . પોલીસ આ સાથે જ હોટલના માલિકનું નિવેદન લેશે જ્યાં સોનમે અને રાજાએ સ્કૂટી ભાડેથી લીધું હતું જે થકી તેઓ હોમ સ્ટે પર ગયા હતા . ઉપરાંત એ દુકાનદારનું નિવેદન પણ નોંધવામાં આવશે જ્યાંથી હથિયાર ખરીદવામાં આવ્યું હતું . આરોપી આકાશની ટી શર્ટ પર લોહી થી લથપથ હતી. સોનમના રેનકોટ પર પણ લોહી લાગેલું છે . કોન્ટ્રાકટ કિલર્સના ફિંગરપ્રિન્ટ જે સામે આવ્યા છે , તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને તેની કોલ ડિટેઇલ સામે આવી છે . ફ્લાઇટ અને ટ્રેનની ટિકિટ , આરોપીઓ સાથે સોનમનો સંવાદ આ મહત્વના પુરાવા જે પોલીસ સાથે છે . આ ઉપરાંત કેટલીય ડિજિટલ ફિંગરપ્રિન્ટ મળી આવી છે .




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.