પોલીસે રાજા રઘુવંશીના કેસમાં કોર્ટમાં આ પુરાવા રજૂ કર્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-11 13:42:08

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે? 

Raja Raghuvanshi Murder Case : राजा रघुवंशी हत्याकांड में ललितपुर के चार  युवकों को किया गया गिरफ्तार - Raja Murder Case Four Arrested from Lalitpur  who helped Sonam Lover in Murder Of

ઈન્દોરનો હનીમૂન કાંડ જેમાં એક ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી અને તેની પત્ની સોનમ રઘુવંશી મેઘાલયના શિલોન્ગમાં હનીમૂન માટે ગયા હતા . તે પછી ત્યાં  રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવે છે. હવે આ કેસમાં નવી અપડેટ સામે આવી છે કે , રાજા રઘુવંશીના ચારેય હત્યારાઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે . કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારી વિગત છે કેમ કે , સોનમ દ્વારા એવું કહેવામાં હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . હવે તો રાજા રઘુવંશીના ભાઈ સચિને સોનમની માં પર એવો આરોપ લગાવ્યો છે કે , રાજાની હત્યામાં સોનમ રઘુવંશીની માતા પણ શામિલ છે . છે. " હવે સોનમ રઘુવંશી સહીત ચારેય આરોપીઓને મેઘાલયના શિલોન્ગમાં લાવવામાં આવ્યા છે .આ તમામ આરોપીઓને શિલોન્ગની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આ તમામ આરોપીઓની રિમાન્ડની માંગણી કરશે. 

Raja Raghuvanshi Murder Case Sonam And Four Arrested - Amar Ujala Hindi  News Live - Raja Sonam Raghuvanshi Case:क्या काम करते थे आरोपी, एक हुई  दोस्ती और फिर बनाई राजा की हत्या

હવે વાત કરીએ કે , સોનમ રઘુંવશીની વિરુદ્ધમાં ક્યા પુરાવા પોલીસને હાથ લાગ્યા છે? આ તમામ પુરાવામાં , પોલીસની સામે  ચારે આરોપીઓનું કબૂલાતનામું છે જેમાં તેમણે કહ્યું છે કે , તેમણે જ રાજા રઘુવંશીનું મર્ડર કર્યું છે સાથે જ માસ્ટરમાઈન્ડ સોનમ રઘુવંશી હતી . પોલીસ આ સાથે જ હોટલના માલિકનું નિવેદન લેશે જ્યાં સોનમે અને રાજાએ સ્કૂટી ભાડેથી લીધું હતું જે થકી તેઓ હોમ સ્ટે પર ગયા હતા . ઉપરાંત એ દુકાનદારનું નિવેદન પણ નોંધવામાં આવશે જ્યાંથી હથિયાર ખરીદવામાં આવ્યું હતું . આરોપી આકાશની ટી શર્ટ પર લોહી થી લથપથ હતી. સોનમના રેનકોટ પર પણ લોહી લાગેલું છે . કોન્ટ્રાકટ કિલર્સના ફિંગરપ્રિન્ટ જે સામે આવ્યા છે , તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને તેની કોલ ડિટેઇલ સામે આવી છે . ફ્લાઇટ અને ટ્રેનની ટિકિટ , આરોપીઓ સાથે સોનમનો સંવાદ આ મહત્વના પુરાવા જે પોલીસ સાથે છે . આ ઉપરાંત કેટલીય ડિજિટલ ફિંગરપ્રિન્ટ મળી આવી છે .




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.