પોલીસે રાજા રઘુવંશીના કેસમાં કોર્ટમાં આ પુરાવા રજૂ કર્યા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-11 13:42:08

ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે? 

Raja Raghuvanshi Murder Case : राजा रघुवंशी हत्याकांड में ललितपुर के चार  युवकों को किया गया गिरफ्तार - Raja Murder Case Four Arrested from Lalitpur  who helped Sonam Lover in Murder Of

ઈન્દોરનો હનીમૂન કાંડ જેમાં એક ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી અને તેની પત્ની સોનમ રઘુવંશી મેઘાલયના શિલોન્ગમાં હનીમૂન માટે ગયા હતા . તે પછી ત્યાં  રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવે છે. હવે આ કેસમાં નવી અપડેટ સામે આવી છે કે , રાજા રઘુવંશીના ચારેય હત્યારાઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે . કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારી વિગત છે કેમ કે , સોનમ દ્વારા એવું કહેવામાં હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . હવે તો રાજા રઘુવંશીના ભાઈ સચિને સોનમની માં પર એવો આરોપ લગાવ્યો છે કે , રાજાની હત્યામાં સોનમ રઘુવંશીની માતા પણ શામિલ છે . છે. " હવે સોનમ રઘુવંશી સહીત ચારેય આરોપીઓને મેઘાલયના શિલોન્ગમાં લાવવામાં આવ્યા છે .આ તમામ આરોપીઓને શિલોન્ગની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આ તમામ આરોપીઓની રિમાન્ડની માંગણી કરશે. 

Raja Raghuvanshi Murder Case Sonam And Four Arrested - Amar Ujala Hindi  News Live - Raja Sonam Raghuvanshi Case:क्या काम करते थे आरोपी, एक हुई  दोस्ती और फिर बनाई राजा की हत्या

હવે વાત કરીએ કે , સોનમ રઘુંવશીની વિરુદ્ધમાં ક્યા પુરાવા પોલીસને હાથ લાગ્યા છે? આ તમામ પુરાવામાં , પોલીસની સામે  ચારે આરોપીઓનું કબૂલાતનામું છે જેમાં તેમણે કહ્યું છે કે , તેમણે જ રાજા રઘુવંશીનું મર્ડર કર્યું છે સાથે જ માસ્ટરમાઈન્ડ સોનમ રઘુવંશી હતી . પોલીસ આ સાથે જ હોટલના માલિકનું નિવેદન લેશે જ્યાં સોનમે અને રાજાએ સ્કૂટી ભાડેથી લીધું હતું જે થકી તેઓ હોમ સ્ટે પર ગયા હતા . ઉપરાંત એ દુકાનદારનું નિવેદન પણ નોંધવામાં આવશે જ્યાંથી હથિયાર ખરીદવામાં આવ્યું હતું . આરોપી આકાશની ટી શર્ટ પર લોહી થી લથપથ હતી. સોનમના રેનકોટ પર પણ લોહી લાગેલું છે . કોન્ટ્રાકટ કિલર્સના ફિંગરપ્રિન્ટ જે સામે આવ્યા છે , તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને તેની કોલ ડિટેઇલ સામે આવી છે . ફ્લાઇટ અને ટ્રેનની ટિકિટ , આરોપીઓ સાથે સોનમનો સંવાદ આ મહત્વના પુરાવા જે પોલીસ સાથે છે . આ ઉપરાંત કેટલીય ડિજિટલ ફિંગરપ્રિન્ટ મળી આવી છે .




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.