રાજકોટમાં ભાજપ અસંતોષ દૂર કરી શકશે?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-17 21:21:57

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે. 

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'mcrypt' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace:

">

રાજકોટ મહાનગરપાલિકામાં ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ૨૬મી એપ્રિલે મતદાન યોજાવાનું છે , ત્યારે ભારતીય જનતા પાર્ટીની નજર રાજકોટ શહેરમાં રહેતા લેઉવા પાટીદાર સમાજ પર છે. હવે , રાજકોટના અલગ અલગ વોર્ડના ભાજપના ઉમેદવારો સાથે ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત થઇ છે. આ બેઠકમાં સામાજિક આગેવાન નરેશ પટેલ અને રાજકોટ દક્ષિણના MLA રમેશ ટીલાળા પણ હાજર હતા. ત્યારે , આગામી ચૂંટણીઓમાં લેઉવા  પાટીદાર મતોને રીઝવવા માટે ભાજપે કવાયત શરુ કરી છે. આ માટે સરદાર ભવનમાં ભાજપના તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા અને નરેશ પટેલ સાથે મુલાકાત કરવામાં આવી છે. આ વખતે રાજકોટમાં કોંગ્રેસ , ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ થાય તેવી સંભાવના છે. 

હવે વાત કરીએ, રાજકોટ મહાનગરપાલિકામાં ૨૦૨૧માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઇ હતી. તેમાં ભારતીય જનતા પાર્ટીએ ૭૨માંથી ૬૮ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો હતો જયારે કોંગ્રેસને ૪ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. આ વખતની ૨૦૨૬ની ચૂંટણીઓમાં રાજકોટમાં ભાજપ માટે રાહ આસાન નથી કેમ કે , થોડાક સમય અગાઉ , સાંસદ પરષોત્તમ રૂપાળા દ્વારા ભાજપના પૂર્વ નગરસેવક સુરેન્દ્રસિંહ વાળા અને નીતિન રામાણી સાથે લાંબી ચર્ચા કરવામાં આવી હતી. નીતિન રામાણીને ટિકિટ ન મળતા પક્ષના કાર્યાલય પર જઈને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમના સમર્થકોએ પણ સોશિયલ મીડિયા અને રસ્તા પર ઉતરીને પક્ષના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ સ્થિતિમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે માટે રૂપાલાએ મધ્યસ્થી કરી બંને નેતાઓને શાંત પાડ્યા હતા. એ પહેલા , ભાજપના પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેના ઘરે નારાજ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ નારાજ કાર્યકરોમાં , હેમુ પરમાર , નીતિન રામાણી , શૈલેષ ડાંગર , સુરેન્દ્રસિંહ વાળા, ધર્મેન્દ્ર ભગત , સંજય દવે અને જીગ્નેશ જોશીનો સમાવેશ થાય છે. 

આ પછી , જગદીશ વિશ્વકર્માએ સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા જ્યોતીન્દ્ર મહેતા મામાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યોતીન્દ્ર મહેતાના પુત્ર રાહુલ મહેતાએ પક્ષ પાસે ટિકિટ માંગી હતી, પરંતુ ટિકિટ ન મળતા તેમના પરિવારજનો અને સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મુલાકાતમાં પ્રદેશપ્રમુખ જગદીશ વિશ્વકર્માની સાથે રાજ્યસભાના MP રામ મોકરિયા અને શહેર પ્રમુખ માધવ દવે પણ હાજરઃ હતા બીજી તરફ , કોંગ્રેસ માટે પણ રાહ આસાન નથી , રાજકોટના વોર્ડ નંબર ૧૫ કે જે કોંગ્રેસના ગઢ ગણાતા આ ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે , આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાખાભાઇ મોરવાડીયા અને અપક્ષ દેવરાજભાઇ સોનારાએ પોતાના ફોર્મ પરત ખેંચી ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાને સમર્થન જાહેર કર્યું છે.  આ સમગ્ર રમત પાછળ , કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ આ રમત પાછળ મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું મનાય છે. ભાજપના રણનીતિકારોએ દિગ્ગજ નેતા વશરામ સાગઠીયાને હરાવવા માટે અત્યારથી જ મોરચો મજબૂત કરી દીધો છે. બે મજબૂત ઉમેદવારો હટી જતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.