રાજકોટમાં લગ્નના ફૂલેકામાં દારૂની બોટલ સાથે શરાબી ગીત પર ઝૂમ્યા લોકો! વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-02-21 16:45:23

એક તરફ ગુજરાતમાં દારૂબંધી હોવાની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ એવા અનેક દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં દારૂબંધી નિયમના લીરેલીરા ઉડતા હોય છે. સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવતા હોય છે જેમાં દારૂની રેલમછેલ જોવા મળે છે. ત્યારે ફરી એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં લગ્ન પ્રસંગની ઉજવણી દરમિયાન નીકળતા ફુલેકામાં ગેંગસ્ટર અને તેના મિત્રો ખુલ્લેઆમ દારૂની મજા માણી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

  

ફિલ્મી ગીત પર દારૂની બોટલ સાથે ઝૂમ્યા લોકો! 

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નની ઉજવણીના અનેક વીડિયો સામે આવતા હોય છે. ત્યારે રાજકોટથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં લગ્ન પહેલા નીકળતા ફૂલેકામાં અનેક લોકો દારૂની મજા માણી રહ્યા છે. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફુલેકામાં કુખ્યાત ગેંગસ્ટર અને તેના મિત્રો ખુલ્લેઆમ શરાબી ગીત પર ડાન્સ કરી રહ્યા છે. તે ઉપરાંત વરરાજાના મિત્રોએ વરરાજાને બંદુક પણ આપી હતી જે બાદ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે પોલીસે પણ તેમને પકડી પાડ્યા છે. 

 

ફૂલેકામાં કરાયું હવામાં ફાયરિંગ!

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કુખ્યાત ગેંગસ્ટર અને તેના મિત્રો પીલે પીલે ગીત પર ઝૂમી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ દારૂબંધી હોવાની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ ખુલ્લેઆમ દારૂની પાર્ટી કરતા આવા વીડિયો સામે આવતા હોય છે જેને કારણે શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે તેવા પ્રશ્નો ઉભા થાય છે. આ વીડિયો પોલીસ પાસે આવતા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે દારૂ પીતા અને હથિયાર રાખતા લોકો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર પોલીસે આ કેસ સાથે સંકળાયેલા શખ્સોની ધરપકડ પણ કરી લીધી છે.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.