રાજકોટમાં રાહુલ ગાંધીએ કહ્યું મોરબી દુર્ઘટનાની મોટી માછલીના ભાજપ સાથે સારા સબંધ


  • Published By :
  • Published Date : 2022-11-21 20:31:05

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતમાં સભા ધમરોળી રહ્યા છે તેની વચ્ચે રાહુલ ગાંધીએ રાજકોટમાં મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનાને યાદ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોરબી દુર્ઘટનાના મોટા લોકોના ભાજપ સાથે સારા સંબંધ છે માટે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ, પોલીસ ફરિયાદ નથી કરાઈ.


ચૂંટણીમાં મોરબી કરુણાંતિકાની એન્ટ્રી

રાહુલ ગાંધીએ સુરત મહુવા અને રાજકોટમાં સભા સંબોધી કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. રાજકોટમાં તેમણે મોરબી દુર્ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મોરબી દુર્ઘટના થઈ ત્યારે ઘણા પત્રકારોએ મને પૂછ્યું હતું કે આ મામલે તમે શું વિચારો છો? ત્યારે મેં કહ્યું હતું કે 150 લોકોના મોત થયા છે. આ રાજકારણનો મુદ્દો નથી. આ મામલે હું કંઈ નિવેદન નહીં આપું. પણ સવાલો ઉઠે છે આજે પણ ઉઠે છે કે જેમણે આ કામ કર્યું તેમની સામે કોઈ કાર્યવાહી નહીં? તેમની સામે પોલીસ ફરિયાદ પણ નથી કરવામાં આવી. ભાજપ સાથે તેમના સારા સંબંધો છે તો તેમનું કંઈ નહીં થાય? ચોકીદારોને પકડી લીધા છે, જેલમાં નાખી દીધા છે. પણ જે જવાબદાર છે તેમની સામે કંઈ નહીં થાય? 

મોરબી દુર્ઘટના ગુજરાત માટે કાળા ડાઘ સમાન હતી. ગુજરાતના ઈતિહાસમાં મોરબી દુર્ઘટના લખાઈ ગઈ છે. આજે સુપ્રીમ કોર્ટમાં પણ મૃતકના પરિજન દ્વારા અરજી કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી છે તેવું કહીને ટાળી હતી. મોરબી દુર્ઘટનામાં મોટા લોકો સામે હજુ પણ કાર્યવાહી નથી કરવામાં આવી તે પણ નગ્ન સત્ય છે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે નોંધ લીધી હતી અને હાઈકોર્ટને મુદ્દાની ગંભીરતા સમજીને અમુક મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.