રાજકોટમાં રાહુલ ગાંધીએ કહ્યું મોરબી દુર્ઘટનાની મોટી માછલીના ભાજપ સાથે સારા સબંધ


  • Published By :
  • Published Date : 2022-11-21 20:31:05

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતમાં સભા ધમરોળી રહ્યા છે તેની વચ્ચે રાહુલ ગાંધીએ રાજકોટમાં મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનાને યાદ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોરબી દુર્ઘટનાના મોટા લોકોના ભાજપ સાથે સારા સંબંધ છે માટે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ, પોલીસ ફરિયાદ નથી કરાઈ.


ચૂંટણીમાં મોરબી કરુણાંતિકાની એન્ટ્રી

રાહુલ ગાંધીએ સુરત મહુવા અને રાજકોટમાં સભા સંબોધી કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. રાજકોટમાં તેમણે મોરબી દુર્ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મોરબી દુર્ઘટના થઈ ત્યારે ઘણા પત્રકારોએ મને પૂછ્યું હતું કે આ મામલે તમે શું વિચારો છો? ત્યારે મેં કહ્યું હતું કે 150 લોકોના મોત થયા છે. આ રાજકારણનો મુદ્દો નથી. આ મામલે હું કંઈ નિવેદન નહીં આપું. પણ સવાલો ઉઠે છે આજે પણ ઉઠે છે કે જેમણે આ કામ કર્યું તેમની સામે કોઈ કાર્યવાહી નહીં? તેમની સામે પોલીસ ફરિયાદ પણ નથી કરવામાં આવી. ભાજપ સાથે તેમના સારા સંબંધો છે તો તેમનું કંઈ નહીં થાય? ચોકીદારોને પકડી લીધા છે, જેલમાં નાખી દીધા છે. પણ જે જવાબદાર છે તેમની સામે કંઈ નહીં થાય? 

મોરબી દુર્ઘટના ગુજરાત માટે કાળા ડાઘ સમાન હતી. ગુજરાતના ઈતિહાસમાં મોરબી દુર્ઘટના લખાઈ ગઈ છે. આજે સુપ્રીમ કોર્ટમાં પણ મૃતકના પરિજન દ્વારા અરજી કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી છે તેવું કહીને ટાળી હતી. મોરબી દુર્ઘટનામાં મોટા લોકો સામે હજુ પણ કાર્યવાહી નથી કરવામાં આવી તે પણ નગ્ન સત્ય છે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે નોંધ લીધી હતી અને હાઈકોર્ટને મુદ્દાની ગંભીરતા સમજીને અમુક મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.