રાજકોટમાં રાહુલ ગાંધીએ કહ્યું મોરબી દુર્ઘટનાની મોટી માછલીના ભાજપ સાથે સારા સબંધ


  • Published By :
  • Published Date : 2022-11-21 20:31:05

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતમાં સભા ધમરોળી રહ્યા છે તેની વચ્ચે રાહુલ ગાંધીએ રાજકોટમાં મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનાને યાદ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોરબી દુર્ઘટનાના મોટા લોકોના ભાજપ સાથે સારા સંબંધ છે માટે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ, પોલીસ ફરિયાદ નથી કરાઈ.


ચૂંટણીમાં મોરબી કરુણાંતિકાની એન્ટ્રી

રાહુલ ગાંધીએ સુરત મહુવા અને રાજકોટમાં સભા સંબોધી કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. રાજકોટમાં તેમણે મોરબી દુર્ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મોરબી દુર્ઘટના થઈ ત્યારે ઘણા પત્રકારોએ મને પૂછ્યું હતું કે આ મામલે તમે શું વિચારો છો? ત્યારે મેં કહ્યું હતું કે 150 લોકોના મોત થયા છે. આ રાજકારણનો મુદ્દો નથી. આ મામલે હું કંઈ નિવેદન નહીં આપું. પણ સવાલો ઉઠે છે આજે પણ ઉઠે છે કે જેમણે આ કામ કર્યું તેમની સામે કોઈ કાર્યવાહી નહીં? તેમની સામે પોલીસ ફરિયાદ પણ નથી કરવામાં આવી. ભાજપ સાથે તેમના સારા સંબંધો છે તો તેમનું કંઈ નહીં થાય? ચોકીદારોને પકડી લીધા છે, જેલમાં નાખી દીધા છે. પણ જે જવાબદાર છે તેમની સામે કંઈ નહીં થાય? 

મોરબી દુર્ઘટના ગુજરાત માટે કાળા ડાઘ સમાન હતી. ગુજરાતના ઈતિહાસમાં મોરબી દુર્ઘટના લખાઈ ગઈ છે. આજે સુપ્રીમ કોર્ટમાં પણ મૃતકના પરિજન દ્વારા અરજી કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી છે તેવું કહીને ટાળી હતી. મોરબી દુર્ઘટનામાં મોટા લોકો સામે હજુ પણ કાર્યવાહી નથી કરવામાં આવી તે પણ નગ્ન સત્ય છે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે નોંધ લીધી હતી અને હાઈકોર્ટને મુદ્દાની ગંભીરતા સમજીને અમુક મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.