રાજકોટમાં રાહુલ ગાંધીએ કહ્યું મોરબી દુર્ઘટનાની મોટી માછલીના ભાજપ સાથે સારા સબંધ


  • Published By :
  • Published Date : 2022-11-21 20:31:05

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ ગુજરાતમાં સભા ધમરોળી રહ્યા છે તેની વચ્ચે રાહુલ ગાંધીએ રાજકોટમાં મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનાને યાદ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોરબી દુર્ઘટનાના મોટા લોકોના ભાજપ સાથે સારા સંબંધ છે માટે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ, પોલીસ ફરિયાદ નથી કરાઈ.


ચૂંટણીમાં મોરબી કરુણાંતિકાની એન્ટ્રી

રાહુલ ગાંધીએ સુરત મહુવા અને રાજકોટમાં સભા સંબોધી કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. રાજકોટમાં તેમણે મોરબી દુર્ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મોરબી દુર્ઘટના થઈ ત્યારે ઘણા પત્રકારોએ મને પૂછ્યું હતું કે આ મામલે તમે શું વિચારો છો? ત્યારે મેં કહ્યું હતું કે 150 લોકોના મોત થયા છે. આ રાજકારણનો મુદ્દો નથી. આ મામલે હું કંઈ નિવેદન નહીં આપું. પણ સવાલો ઉઠે છે આજે પણ ઉઠે છે કે જેમણે આ કામ કર્યું તેમની સામે કોઈ કાર્યવાહી નહીં? તેમની સામે પોલીસ ફરિયાદ પણ નથી કરવામાં આવી. ભાજપ સાથે તેમના સારા સંબંધો છે તો તેમનું કંઈ નહીં થાય? ચોકીદારોને પકડી લીધા છે, જેલમાં નાખી દીધા છે. પણ જે જવાબદાર છે તેમની સામે કંઈ નહીં થાય? 

મોરબી દુર્ઘટના ગુજરાત માટે કાળા ડાઘ સમાન હતી. ગુજરાતના ઈતિહાસમાં મોરબી દુર્ઘટના લખાઈ ગઈ છે. આજે સુપ્રીમ કોર્ટમાં પણ મૃતકના પરિજન દ્વારા અરજી કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટે નોંધ લીધી છે તેવું કહીને ટાળી હતી. મોરબી દુર્ઘટનામાં મોટા લોકો સામે હજુ પણ કાર્યવાહી નથી કરવામાં આવી તે પણ નગ્ન સત્ય છે. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે નોંધ લીધી હતી અને હાઈકોર્ટને મુદ્દાની ગંભીરતા સમજીને અમુક મુદ્દાઓ પર યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.