બજેટ પહેલા બજેટ પોથી આવી ચર્ચામાં, ગયા વર્ષની બજેટ પોથીની થીમને આ વર્ષે પણ અપાયું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-02-24 17:33:30

આજે વર્ષ 2023-24નું બજેટ વિધાનસભામાં રજૂ થવાનું છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. બજેટ જે બેગમાં લવાય છે તે હંમેશા ચર્ચાનો વિષય બનતું હોય છે. આ વર્ષે પણ નાણામંત્રી કનુદેસાઈ બજેટને પોથીમાં લઈને આવ્યા હતા જેમાં હસ્તકળાને સ્થાન આપવામાં આવ્યું છે. 2022થી કનુ દેસાઈ દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી જેને આ વર્ષે પણ યથાવત રાખવામાં આવી છે. પોથીમાં હસ્તકલા તરીકે ભરતકામ કરવામાં આવ્યું છે ઉપરાંત ગુજરાતનો નક્શો બનાવામાં આવ્યો છે.


પોથીનો કરાય છે ઉપયોગ    

કેન્દ્રનું બજેટ હોય કે રાજ્યનું બજેટ હોય બેગમાં લાવવામાં આવવામાં આવે છે. પરંતુ કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તે બાદ વર્ષોથી ચાલતી પરંપરા તોડવામાં આવી હતી. બેગની જગ્યાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ સ્વદેશી કપડા તેમજ રાષ્ટ્રીય ચિહ્નથી સુશોભિત લાલ પોર્ટફોલિયોમાં લાવવાની શરૂઆત કરી હતી. કેન્દ્રના પથ પર ગુજરાતની સરકાર ચાલી રહી છે. ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ પણ બેગની જગ્યાએ પોથીનો ઉપયોગ કરી રહ્યા છે. વર્ષ 2022માં પોથી પરંપરાની શરૂઆત તેમણે કરી હતી જે આજે પણ યથાવત જોવા મળી હતી.


મુખ્ય ક્ષેત્રોના પ્રતીકને પોથીમાં અપાયું સ્થાન 

આ વર્ષની વારલી પેઈન્ટિંગને પોથી પર સ્થાન આપવામાં આવ્યું છે. ખાટલી ભરતથી પોથીને ગુંથવામાં આવી છે. પોથી બજેટ પર સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કૃષિ અને પશુપાલન, ઉદ્યોગ, પાણી પુરવઠા, ઉર્જા, આરોગ્ય, શિક્ષણ, પ્રવાસનનો સમાવેશ થાય છે. મોઢેરા સૂર્યમંદિરને પણ બજેટ પોથીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આટલી વિશિષ્ટતાઓને કારણે બજેટ પોથી ચર્ચામાં આવી છે.               




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.