બજેટ પહેલા બજેટ પોથી આવી ચર્ચામાં, ગયા વર્ષની બજેટ પોથીની થીમને આ વર્ષે પણ અપાયું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-02-24 17:33:30

આજે વર્ષ 2023-24નું બજેટ વિધાનસભામાં રજૂ થવાનું છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. બજેટ જે બેગમાં લવાય છે તે હંમેશા ચર્ચાનો વિષય બનતું હોય છે. આ વર્ષે પણ નાણામંત્રી કનુદેસાઈ બજેટને પોથીમાં લઈને આવ્યા હતા જેમાં હસ્તકળાને સ્થાન આપવામાં આવ્યું છે. 2022થી કનુ દેસાઈ દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી જેને આ વર્ષે પણ યથાવત રાખવામાં આવી છે. પોથીમાં હસ્તકલા તરીકે ભરતકામ કરવામાં આવ્યું છે ઉપરાંત ગુજરાતનો નક્શો બનાવામાં આવ્યો છે.


પોથીનો કરાય છે ઉપયોગ    

કેન્દ્રનું બજેટ હોય કે રાજ્યનું બજેટ હોય બેગમાં લાવવામાં આવવામાં આવે છે. પરંતુ કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તે બાદ વર્ષોથી ચાલતી પરંપરા તોડવામાં આવી હતી. બેગની જગ્યાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ સ્વદેશી કપડા તેમજ રાષ્ટ્રીય ચિહ્નથી સુશોભિત લાલ પોર્ટફોલિયોમાં લાવવાની શરૂઆત કરી હતી. કેન્દ્રના પથ પર ગુજરાતની સરકાર ચાલી રહી છે. ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ પણ બેગની જગ્યાએ પોથીનો ઉપયોગ કરી રહ્યા છે. વર્ષ 2022માં પોથી પરંપરાની શરૂઆત તેમણે કરી હતી જે આજે પણ યથાવત જોવા મળી હતી.


મુખ્ય ક્ષેત્રોના પ્રતીકને પોથીમાં અપાયું સ્થાન 

આ વર્ષની વારલી પેઈન્ટિંગને પોથી પર સ્થાન આપવામાં આવ્યું છે. ખાટલી ભરતથી પોથીને ગુંથવામાં આવી છે. પોથી બજેટ પર સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કૃષિ અને પશુપાલન, ઉદ્યોગ, પાણી પુરવઠા, ઉર્જા, આરોગ્ય, શિક્ષણ, પ્રવાસનનો સમાવેશ થાય છે. મોઢેરા સૂર્યમંદિરને પણ બજેટ પોથીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આટલી વિશિષ્ટતાઓને કારણે બજેટ પોથી ચર્ચામાં આવી છે.               




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી