બજેટ પહેલા બજેટ પોથી આવી ચર્ચામાં, ગયા વર્ષની બજેટ પોથીની થીમને આ વર્ષે પણ અપાયું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-02-24 17:33:30

આજે વર્ષ 2023-24નું બજેટ વિધાનસભામાં રજૂ થવાનું છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. બજેટ જે બેગમાં લવાય છે તે હંમેશા ચર્ચાનો વિષય બનતું હોય છે. આ વર્ષે પણ નાણામંત્રી કનુદેસાઈ બજેટને પોથીમાં લઈને આવ્યા હતા જેમાં હસ્તકળાને સ્થાન આપવામાં આવ્યું છે. 2022થી કનુ દેસાઈ દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી જેને આ વર્ષે પણ યથાવત રાખવામાં આવી છે. પોથીમાં હસ્તકલા તરીકે ભરતકામ કરવામાં આવ્યું છે ઉપરાંત ગુજરાતનો નક્શો બનાવામાં આવ્યો છે.


પોથીનો કરાય છે ઉપયોગ    

કેન્દ્રનું બજેટ હોય કે રાજ્યનું બજેટ હોય બેગમાં લાવવામાં આવવામાં આવે છે. પરંતુ કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તે બાદ વર્ષોથી ચાલતી પરંપરા તોડવામાં આવી હતી. બેગની જગ્યાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ સ્વદેશી કપડા તેમજ રાષ્ટ્રીય ચિહ્નથી સુશોભિત લાલ પોર્ટફોલિયોમાં લાવવાની શરૂઆત કરી હતી. કેન્દ્રના પથ પર ગુજરાતની સરકાર ચાલી રહી છે. ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ પણ બેગની જગ્યાએ પોથીનો ઉપયોગ કરી રહ્યા છે. વર્ષ 2022માં પોથી પરંપરાની શરૂઆત તેમણે કરી હતી જે આજે પણ યથાવત જોવા મળી હતી.


મુખ્ય ક્ષેત્રોના પ્રતીકને પોથીમાં અપાયું સ્થાન 

આ વર્ષની વારલી પેઈન્ટિંગને પોથી પર સ્થાન આપવામાં આવ્યું છે. ખાટલી ભરતથી પોથીને ગુંથવામાં આવી છે. પોથી બજેટ પર સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કૃષિ અને પશુપાલન, ઉદ્યોગ, પાણી પુરવઠા, ઉર્જા, આરોગ્ય, શિક્ષણ, પ્રવાસનનો સમાવેશ થાય છે. મોઢેરા સૂર્યમંદિરને પણ બજેટ પોથીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આટલી વિશિષ્ટતાઓને કારણે બજેટ પોથી ચર્ચામાં આવી છે.               




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.