બજેટ પહેલા બજેટ પોથી આવી ચર્ચામાં, ગયા વર્ષની બજેટ પોથીની થીમને આ વર્ષે પણ અપાયું સ્થાન


  • Published By :
  • Published Date : 2023-02-24 17:33:30

આજે વર્ષ 2023-24નું બજેટ વિધાનસભામાં રજૂ થવાનું છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. બજેટ જે બેગમાં લવાય છે તે હંમેશા ચર્ચાનો વિષય બનતું હોય છે. આ વર્ષે પણ નાણામંત્રી કનુદેસાઈ બજેટને પોથીમાં લઈને આવ્યા હતા જેમાં હસ્તકળાને સ્થાન આપવામાં આવ્યું છે. 2022થી કનુ દેસાઈ દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી જેને આ વર્ષે પણ યથાવત રાખવામાં આવી છે. પોથીમાં હસ્તકલા તરીકે ભરતકામ કરવામાં આવ્યું છે ઉપરાંત ગુજરાતનો નક્શો બનાવામાં આવ્યો છે.


પોથીનો કરાય છે ઉપયોગ    

કેન્દ્રનું બજેટ હોય કે રાજ્યનું બજેટ હોય બેગમાં લાવવામાં આવવામાં આવે છે. પરંતુ કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તે બાદ વર્ષોથી ચાલતી પરંપરા તોડવામાં આવી હતી. બેગની જગ્યાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ સ્વદેશી કપડા તેમજ રાષ્ટ્રીય ચિહ્નથી સુશોભિત લાલ પોર્ટફોલિયોમાં લાવવાની શરૂઆત કરી હતી. કેન્દ્રના પથ પર ગુજરાતની સરકાર ચાલી રહી છે. ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ પણ બેગની જગ્યાએ પોથીનો ઉપયોગ કરી રહ્યા છે. વર્ષ 2022માં પોથી પરંપરાની શરૂઆત તેમણે કરી હતી જે આજે પણ યથાવત જોવા મળી હતી.


મુખ્ય ક્ષેત્રોના પ્રતીકને પોથીમાં અપાયું સ્થાન 

આ વર્ષની વારલી પેઈન્ટિંગને પોથી પર સ્થાન આપવામાં આવ્યું છે. ખાટલી ભરતથી પોથીને ગુંથવામાં આવી છે. પોથી બજેટ પર સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીકને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કૃષિ અને પશુપાલન, ઉદ્યોગ, પાણી પુરવઠા, ઉર્જા, આરોગ્ય, શિક્ષણ, પ્રવાસનનો સમાવેશ થાય છે. મોઢેરા સૂર્યમંદિરને પણ બજેટ પોથીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આટલી વિશિષ્ટતાઓને કારણે બજેટ પોથી ચર્ચામાં આવી છે.               




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.