Chaitar Vasavaનાં સમર્થનમાં Adivasi આગેવાન Reshma Vasavaએ Mansukh Vasavaને આડે હાથ લીધા! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-07 11:11:18

ચૈતર વસાવા વિરૂદ્ધ જ્યારથી પોલીસ ફરિયાદ થઈ છે ત્યારથી અનેક વખત તેમની ચર્ચાઓ નેતાઓ, સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા મનસુખ વસાવાએ આડકતરી રીતે ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા ત્યારે આ વખતે આદિવાસી આગેવાન રેશ્મા વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર કર્યા છે. રેશ્મા વસાવાએ (મનસુખ વસાવા માટે) કહ્યું કે તમે આદિવાસી નેતા હોવ તો 5 કામ બતાવો નહિ તો મનસુખ વસાવાથી મનસુખ મોદી થઈ જાવ.

ચૈતર વસાવા પર નામ લીધા વગર મનસુખ વસાવાએ કર્યા પ્રહાર 

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્યારથી તે ફરાર છે. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક નેતાઓ આવ્યા છે. ત્યારે આદિવાસી આગેવાન રેશ્મા વસાવા ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને તેમણે મનસુખ વસાવા પર પ્રહાર કર્યા છે. થોડા દિવસ પહેલા જ મનસુખ વસાવા એક કાર્યક્રમમાં સભા સંબોધતા ચૈતર વસાવા પર નામ લીધા વગર આક્ષેપો કર્યા હતા. 



રેશ્મા વસાવાએ કહી દીધી આ વાત!

તે લોકોને એવું કહેતા હતા કે ભાજપ સરકારે આ-આ કામ કર્યા છે અને અમુક નેતાઓ એટલે ચૈતર વસાવા માત્ર યુવાનોને ઉશ્કેરવાનું જ કામ કરે છે, જેનો જવાબ રેશ્મા વસાવાએ આપ્યો છે. રેશ્મા વસાવાએ મનસુખ વસાવા સામે લાલ આંખ કરી છે અને કહ્યું કે તમે આદિવાસી નેતા હોવ તો 5 કામ બતાવો નહિ તો મનસુખ વસાવાથી મનસુખ મોદી થઈ જાવ.  

જો આટલું ધ્યાન મણિપર પર આપ્યું હોત તો... 

જોકે થોડા દિવસ પહેલા પણ રેશ્મા વસાવાનો એક આવો જ વીડિયો સામે આવ્યો હતો જેમાં તે ચૈતર વસાવાનાં કેસ પર રણચંડી બન્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ચૈતર વસાવા સામે જેટલી જલ્દી કાર્યવાહી થાય છે એટલું ધ્યાન જો મણિપુરમાં આપ્યું હોત તો આ ન થાત. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં અનેક આદિવાસી આગેવાનો આવ્યા છે. 


આવા નિવેદનો સાંભળવા માટે રહેવું પડશે તૈયાર 

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડી શકે છે. એમ પણ વસાવા Vs વસાવાનો જંગ ત્યાં અનેકવાર જોવા મળતો હોય છે. હવે ભરૂચમાં લોકસભા ચૂંટણી સુધી જબરજસ્ત રસાકસીનો માહોલ હશે અને આવા શાબ્દિક વાર અને પ્રહારો સાંભળવા આપણે ટેવાઈ જવું પડશે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.