Chaitar Vasavaનાં સમર્થનમાં Adivasi આગેવાન Reshma Vasavaએ Mansukh Vasavaને આડે હાથ લીધા! સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-07 11:11:18

ચૈતર વસાવા વિરૂદ્ધ જ્યારથી પોલીસ ફરિયાદ થઈ છે ત્યારથી અનેક વખત તેમની ચર્ચાઓ નેતાઓ, સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા મનસુખ વસાવાએ આડકતરી રીતે ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા ત્યારે આ વખતે આદિવાસી આગેવાન રેશ્મા વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર કર્યા છે. રેશ્મા વસાવાએ (મનસુખ વસાવા માટે) કહ્યું કે તમે આદિવાસી નેતા હોવ તો 5 કામ બતાવો નહિ તો મનસુખ વસાવાથી મનસુખ મોદી થઈ જાવ.

ચૈતર વસાવા પર નામ લીધા વગર મનસુખ વસાવાએ કર્યા પ્રહાર 

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્યારથી તે ફરાર છે. ચૈતર વસાવાના સમર્થનમાં અનેક નેતાઓ આવ્યા છે. ત્યારે આદિવાસી આગેવાન રેશ્મા વસાવા ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે અને તેમણે મનસુખ વસાવા પર પ્રહાર કર્યા છે. થોડા દિવસ પહેલા જ મનસુખ વસાવા એક કાર્યક્રમમાં સભા સંબોધતા ચૈતર વસાવા પર નામ લીધા વગર આક્ષેપો કર્યા હતા. 



રેશ્મા વસાવાએ કહી દીધી આ વાત!

તે લોકોને એવું કહેતા હતા કે ભાજપ સરકારે આ-આ કામ કર્યા છે અને અમુક નેતાઓ એટલે ચૈતર વસાવા માત્ર યુવાનોને ઉશ્કેરવાનું જ કામ કરે છે, જેનો જવાબ રેશ્મા વસાવાએ આપ્યો છે. રેશ્મા વસાવાએ મનસુખ વસાવા સામે લાલ આંખ કરી છે અને કહ્યું કે તમે આદિવાસી નેતા હોવ તો 5 કામ બતાવો નહિ તો મનસુખ વસાવાથી મનસુખ મોદી થઈ જાવ.  

જો આટલું ધ્યાન મણિપર પર આપ્યું હોત તો... 

જોકે થોડા દિવસ પહેલા પણ રેશ્મા વસાવાનો એક આવો જ વીડિયો સામે આવ્યો હતો જેમાં તે ચૈતર વસાવાનાં કેસ પર રણચંડી બન્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ચૈતર વસાવા સામે જેટલી જલ્દી કાર્યવાહી થાય છે એટલું ધ્યાન જો મણિપુરમાં આપ્યું હોત તો આ ન થાત. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં અનેક આદિવાસી આગેવાનો આવ્યા છે. 


આવા નિવેદનો સાંભળવા માટે રહેવું પડશે તૈયાર 

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડી શકે છે. એમ પણ વસાવા Vs વસાવાનો જંગ ત્યાં અનેકવાર જોવા મળતો હોય છે. હવે ભરૂચમાં લોકસભા ચૂંટણી સુધી જબરજસ્ત રસાકસીનો માહોલ હશે અને આવા શાબ્દિક વાર અને પ્રહારો સાંભળવા આપણે ટેવાઈ જવું પડશે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી