Suratમાં જાહેરમાં મહિલા પર કરાયો હુમલો, તીક્ષ્ણ હથિયારથી ઘાયલ કરી પ્રેમી થયો ફરાર, ગ્રીષ્મા હત્યાકાંડ સર્જાતા રહી ગયો!


  • Published By :
  • Published Date : 2023-10-25 18:24:44

છોકરીઓ માટે જો સૌથી વધારે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું તો તે હતું ગુજરાત... ગુજરાતમાં રહેતી છોકરીઓ પોતાને સુરક્ષિત મહેસુસ કરતી હતી પરંતુ સમયની સાથે સાથે પરિસ્થિતિમાં બદલાવ આવ્યો. ગુજરાતમાં હવે છોકરીઓ સુરક્ષિત નથી તેવા અનેક કિસ્સાઓ આપણી સામે પ્રતિદિન આવી રહ્યા છે. છોકરીઓ પર હુમલા થઈ રહ્યા છે. આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે સુરતથી એક કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં રહેલી પ્રેમિકા પરત ઘરે ફરી રહી હતી ત્યારે તેની પર તેના જ પ્રેમીએ હુમલો કર્યો હતો. જે વ્યક્તિએ હુમલો કર્યો છે તેનું નામ વિષ્ણુ વસાવા છે તેવી માહિતી સામે આવી છે. 

અંધાશ્રમ ફાટક પાસે મહિલા પર હુમલો

લીવ ઈનમાં રહેતો પ્રેમી કરતો હતો પ્રેમીકાને હેરાન!

ગુજરાત પ્રતિદિન મહિલાઓ માટે અસુરક્ષિત બની રહ્યું છે. યુવતીઓ હુમલાનો શિકાર બની રહી છે. ઘણા સમય પહેલા ગ્રીષ્મા હત્યાકાંડ થયો હતો ત્યારે એવી જ ઘટના બનતી રહી ગઈ છે. પ્રેમિકાને જબરદસ્તી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. સુરતમાં પ્રેમીએ પ્રેમીકા પર જીવલેણ હુમલો કર્યો છે. મળતી માહિતી સુરતના ખટોદરા રાયકા સર્કલ પાસે આ ઘટના બની છે. પ્રેમીએ જ પ્રેમીકા પર જીવલેણ હુમલો કર્યો છે. બે વર્ષથી બંને લિવ ઈન રિલેશનમાં રહેતા હતા. પરિવારની મરજી વિરૂદ્ધ જઈ યુવતી તેની સાથે રહેતી હતી અને પ્રેમી તેની સાથે મારઝુડ પણ કરતો હતો. યુવતી પોતાના ઘરે પાછી આવી ગઈ. વારંવાર પ્રેમી પ્રેમીકાને હેરાન કરતો હતો.



પ્રેમીકા પર પ્રેમીએ કર્યો જીવલેણ હુમલો 

પ્રેમી પ્રેમીકાને હેરાન પરેશાન તો કરતો હતો પરંતુ આજે તેણે તમામ હદ વટાવી દીધી. બપોરના સમયે પ્રેમીકા કામ માટે જઈ રહી હતી તે વખતે પ્રેમીએ તેની પર હુમલો કર્યો છે. પ્રેમીએ તેને પોતાની સાથે ઘરે આવવા દબાણ પણ કર્યું પરંતુ યુવતીએ ઈન્કાર કર્યો. જે બાદ યુવતી પર યુવકે જીવલેણ હુમલો કર્યો. હુમલો કરી ઘટનાસ્થળ પરથી યુવક ફરાર થઈ ગયો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.  

મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કરનાર હિંદુ મહિલા પર ધર્માંતરણ માટે દબાણ

હુમલો કરી પ્રેમી થઈ ગયો ફરાર 

આ ઘટના પ્રેમીકાએ સાથે આવવાની ના પાડી જેને કારણે તેની પર ઘાતક હથિયારથી હુમલો કર્યો અને તેને ઘાયલ કરી. ઈજાગ્રસ્ત હાલતમાં યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ગ્રીષ્મા જેવી ઘટના બનતા ટળી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને પ્રેમીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. મહત્વનું છે કે યુવતીઓ પર હુમલાઓની ઘટના વધતી જઈ રહી છે. ગ્રીષ્માકાંડ જેવી ઘટના થતા બચી છે આજે સુરતમાં.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.