સુરતમાં પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશતા વાહનો સામે કરાઈ રહી છે કાર્યવાહી, ધારાસભ્યના પત્રની પડી અસર


  • Published By :
  • Published Date : 2023-02-14 16:12:25

પ્રતિબંધિત સમયમાં અનેક વખત લકઝરી બસ આવી જતી હોય છે જેને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ સહિતના ભારે વાહનો શહેરમાં પ્રવેશતા હોય છે જે મામલે ધારાસભ્યે ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરી હતી. આ સમસ્યાને લઈ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો જેને પગલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશી રહેલા વાહનોને રોકી મેમો ફટકારવામાં આવી રહ્યો છે.  

સુ


પત્ર લખીને ધારાસભ્યે કરી હતી રજૂઆત  

રાજ્યમાં ટ્રાફિક જામની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. તે ઉપરાંત પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ આવતી હોવાને કારણે ટ્રાફિકની બહુ સમસ્યા વધતી હોય છે. સુરતમાં આ સમસ્યાને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ સહિતના ભારે વાહનોને લઈ ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. 



પત્ર બાદ એક્શન મોડમાં આવી ટ્રાફિક પોલીસ 

એક સપ્તાહ પહેલા ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો સવારે 7થી રાતના 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8થી બપોરના 1 તેમજ સાંજે 5થી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે. ત્યારે ધારાસભ્યના પત્ર બાદ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરત ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે અને લક્ઝરી બસને રોકીને પોલીસ દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જાહેરનામાનો ભંગ કરવા બદલ મેમો ફટકારવામાં આવી રહ્યો છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.