સુરતમાં પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશતા વાહનો સામે કરાઈ રહી છે કાર્યવાહી, ધારાસભ્યના પત્રની પડી અસર


  • Published By :
  • Published Date : 2023-02-14 16:12:25

પ્રતિબંધિત સમયમાં અનેક વખત લકઝરી બસ આવી જતી હોય છે જેને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ સહિતના ભારે વાહનો શહેરમાં પ્રવેશતા હોય છે જે મામલે ધારાસભ્યે ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરી હતી. આ સમસ્યાને લઈ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો જેને પગલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશી રહેલા વાહનોને રોકી મેમો ફટકારવામાં આવી રહ્યો છે.  

સુ


પત્ર લખીને ધારાસભ્યે કરી હતી રજૂઆત  

રાજ્યમાં ટ્રાફિક જામની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. તે ઉપરાંત પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ આવતી હોવાને કારણે ટ્રાફિકની બહુ સમસ્યા વધતી હોય છે. સુરતમાં આ સમસ્યાને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ સહિતના ભારે વાહનોને લઈ ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. 



પત્ર બાદ એક્શન મોડમાં આવી ટ્રાફિક પોલીસ 

એક સપ્તાહ પહેલા ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો સવારે 7થી રાતના 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8થી બપોરના 1 તેમજ સાંજે 5થી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે. ત્યારે ધારાસભ્યના પત્ર બાદ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરત ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે અને લક્ઝરી બસને રોકીને પોલીસ દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જાહેરનામાનો ભંગ કરવા બદલ મેમો ફટકારવામાં આવી રહ્યો છે.    




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.