સુરતમાં પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશતા વાહનો સામે કરાઈ રહી છે કાર્યવાહી, ધારાસભ્યના પત્રની પડી અસર


  • Published By :
  • Published Date : 2023-02-14 16:12:25

પ્રતિબંધિત સમયમાં અનેક વખત લકઝરી બસ આવી જતી હોય છે જેને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ સહિતના ભારે વાહનો શહેરમાં પ્રવેશતા હોય છે જે મામલે ધારાસભ્યે ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરી હતી. આ સમસ્યાને લઈ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો જેને પગલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશી રહેલા વાહનોને રોકી મેમો ફટકારવામાં આવી રહ્યો છે.  

સુ


પત્ર લખીને ધારાસભ્યે કરી હતી રજૂઆત  

રાજ્યમાં ટ્રાફિક જામની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. તે ઉપરાંત પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ આવતી હોવાને કારણે ટ્રાફિકની બહુ સમસ્યા વધતી હોય છે. સુરતમાં આ સમસ્યાને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ સહિતના ભારે વાહનોને લઈ ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. 



પત્ર બાદ એક્શન મોડમાં આવી ટ્રાફિક પોલીસ 

એક સપ્તાહ પહેલા ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો સવારે 7થી રાતના 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8થી બપોરના 1 તેમજ સાંજે 5થી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે. ત્યારે ધારાસભ્યના પત્ર બાદ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરત ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે અને લક્ઝરી બસને રોકીને પોલીસ દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જાહેરનામાનો ભંગ કરવા બદલ મેમો ફટકારવામાં આવી રહ્યો છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.