સુરતમાં પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશતા વાહનો સામે કરાઈ રહી છે કાર્યવાહી, ધારાસભ્યના પત્રની પડી અસર


  • Published By :
  • Published Date : 2023-02-14 16:12:25

પ્રતિબંધિત સમયમાં અનેક વખત લકઝરી બસ આવી જતી હોય છે જેને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ સહિતના ભારે વાહનો શહેરમાં પ્રવેશતા હોય છે જે મામલે ધારાસભ્યે ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરી હતી. આ સમસ્યાને લઈ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો જેને પગલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશી રહેલા વાહનોને રોકી મેમો ફટકારવામાં આવી રહ્યો છે.  

સુ


પત્ર લખીને ધારાસભ્યે કરી હતી રજૂઆત  

રાજ્યમાં ટ્રાફિક જામની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. તે ઉપરાંત પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ આવતી હોવાને કારણે ટ્રાફિકની બહુ સમસ્યા વધતી હોય છે. સુરતમાં આ સમસ્યાને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રતિબંધિત સમયમાં લકઝરી બસ સહિતના ભારે વાહનોને લઈ ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. 



પત્ર બાદ એક્શન મોડમાં આવી ટ્રાફિક પોલીસ 

એક સપ્તાહ પહેલા ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો સવારે 7થી રાતના 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8થી બપોરના 1 તેમજ સાંજે 5થી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે. ત્યારે ધારાસભ્યના પત્ર બાદ પગલા લેવામાં આવી રહ્યા છે. સુરત ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે અને લક્ઝરી બસને રોકીને પોલીસ દંડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જાહેરનામાનો ભંગ કરવા બદલ મેમો ફટકારવામાં આવી રહ્યો છે.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.