સુરતના લિંબાયતમાં ભાજપના વર્તમાન ઉમેદવાર વિરૂદ્ધ લાગ્યા બેનર


  • Published By :
  • Published Date : 2022-11-07 09:20:24

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય ગતિવિધી તેજ બની છે. પ્રચાર પ્રસાર પાર્ટી વધારે ધ્યાન આપી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. પરંતુ ભાજપે હજુસૂધી કોઈ પણ ઉમેદવારને જાહેર નથી કર્યા. તે પહેલા જ મતદારો ઉમેદવારોને લઈ વિરોધ કરી રહ્યા છે. સુરતના લિંબાયતના અનેક વિસ્તારોમાં હાલના ઉમેદવાર વિરૂદ્ધ વિરોધનો સુર ઉઠ્યો હતો. બેનર લગાવી નવા ઉમેદવારને ટિકિટને આપવાની માગ કરવામાં આવી હતી. 


સંગીતા પાટીલ વિરૂદ્ધ લાગ્યા બેનર 

ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરવા મનોમંથન કરી રહી છે. જ્યારે કોંગ્રેસ અને આપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવા લાગી છે. અનેક સ્થળો પર ઉમેદવારોને લઈ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવે છે, બેનર લગાવવામાં આવે છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે તે પહેલા સુરતમાં ભાજપના સંગીતા પાટીલ વિરૂદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર લિંબીયાત વિસ્તારના સહજાનંદ, સંજય નગર સર્કલ, કંઠી મહારાત મંદિર, ચામુંડા માતા મંદિર સહિતના અનેક વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હતા. જેમાં લખવામાં આવ્યું છે કે સંગીત પાટીલને હટાવો અને લિંબાયતને બચાવો. 

પોસ્ટર લગાવી બીજા ઉમેદવારને ટિકિટ આપવાની કરી માગ

સ્થાનિકોએ ઉમેદવાર વિરૂદ્ધ લખી ભાજપને ચેતવણી આપી હોય લાગી રહ્યું છે. પોસ્ટરમાં લખાયું છે કે જો ભાજપ ઉમેદવારને નહીં બદલે તો લિંબાયતની જનતા પરિવર્તન કરશે. ચૂંટણી પૂર્વે આવા બેનર લાગવાથી રાજકીય માહોલ ગરમાયો છે. અનેક સ્થળો પર આવા પોસ્ટરો લાગી રહ્યા છે જેને કારણે પાર્ટીની ચિંતામાં વધારો થઈ શકે છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.