સુરતના લિંબાયતમાં ભાજપના વર્તમાન ઉમેદવાર વિરૂદ્ધ લાગ્યા બેનર


  • Published By :
  • Published Date : 2022-11-07 09:20:24

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય ગતિવિધી તેજ બની છે. પ્રચાર પ્રસાર પાર્ટી વધારે ધ્યાન આપી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. પરંતુ ભાજપે હજુસૂધી કોઈ પણ ઉમેદવારને જાહેર નથી કર્યા. તે પહેલા જ મતદારો ઉમેદવારોને લઈ વિરોધ કરી રહ્યા છે. સુરતના લિંબાયતના અનેક વિસ્તારોમાં હાલના ઉમેદવાર વિરૂદ્ધ વિરોધનો સુર ઉઠ્યો હતો. બેનર લગાવી નવા ઉમેદવારને ટિકિટને આપવાની માગ કરવામાં આવી હતી. 


સંગીતા પાટીલ વિરૂદ્ધ લાગ્યા બેનર 

ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરવા મનોમંથન કરી રહી છે. જ્યારે કોંગ્રેસ અને આપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવા લાગી છે. અનેક સ્થળો પર ઉમેદવારોને લઈ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવે છે, બેનર લગાવવામાં આવે છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે તે પહેલા સુરતમાં ભાજપના સંગીતા પાટીલ વિરૂદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર લિંબીયાત વિસ્તારના સહજાનંદ, સંજય નગર સર્કલ, કંઠી મહારાત મંદિર, ચામુંડા માતા મંદિર સહિતના અનેક વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હતા. જેમાં લખવામાં આવ્યું છે કે સંગીત પાટીલને હટાવો અને લિંબાયતને બચાવો. 

પોસ્ટર લગાવી બીજા ઉમેદવારને ટિકિટ આપવાની કરી માગ

સ્થાનિકોએ ઉમેદવાર વિરૂદ્ધ લખી ભાજપને ચેતવણી આપી હોય લાગી રહ્યું છે. પોસ્ટરમાં લખાયું છે કે જો ભાજપ ઉમેદવારને નહીં બદલે તો લિંબાયતની જનતા પરિવર્તન કરશે. ચૂંટણી પૂર્વે આવા બેનર લાગવાથી રાજકીય માહોલ ગરમાયો છે. અનેક સ્થળો પર આવા પોસ્ટરો લાગી રહ્યા છે જેને કારણે પાર્ટીની ચિંતામાં વધારો થઈ શકે છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.