સુરતના લિંબાયતમાં ભાજપના વર્તમાન ઉમેદવાર વિરૂદ્ધ લાગ્યા બેનર


  • Published By :
  • Published Date : 2022-11-07 09:20:24

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય ગતિવિધી તેજ બની છે. પ્રચાર પ્રસાર પાર્ટી વધારે ધ્યાન આપી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. પરંતુ ભાજપે હજુસૂધી કોઈ પણ ઉમેદવારને જાહેર નથી કર્યા. તે પહેલા જ મતદારો ઉમેદવારોને લઈ વિરોધ કરી રહ્યા છે. સુરતના લિંબાયતના અનેક વિસ્તારોમાં હાલના ઉમેદવાર વિરૂદ્ધ વિરોધનો સુર ઉઠ્યો હતો. બેનર લગાવી નવા ઉમેદવારને ટિકિટને આપવાની માગ કરવામાં આવી હતી. 


સંગીતા પાટીલ વિરૂદ્ધ લાગ્યા બેનર 

ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરવા મનોમંથન કરી રહી છે. જ્યારે કોંગ્રેસ અને આપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવા લાગી છે. અનેક સ્થળો પર ઉમેદવારોને લઈ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવે છે, બેનર લગાવવામાં આવે છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે તે પહેલા સુરતમાં ભાજપના સંગીતા પાટીલ વિરૂદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર લિંબીયાત વિસ્તારના સહજાનંદ, સંજય નગર સર્કલ, કંઠી મહારાત મંદિર, ચામુંડા માતા મંદિર સહિતના અનેક વિસ્તારોમાં લગાવવામાં આવ્યા હતા. જેમાં લખવામાં આવ્યું છે કે સંગીત પાટીલને હટાવો અને લિંબાયતને બચાવો. 

પોસ્ટર લગાવી બીજા ઉમેદવારને ટિકિટ આપવાની કરી માગ

સ્થાનિકોએ ઉમેદવાર વિરૂદ્ધ લખી ભાજપને ચેતવણી આપી હોય લાગી રહ્યું છે. પોસ્ટરમાં લખાયું છે કે જો ભાજપ ઉમેદવારને નહીં બદલે તો લિંબાયતની જનતા પરિવર્તન કરશે. ચૂંટણી પૂર્વે આવા બેનર લાગવાથી રાજકીય માહોલ ગરમાયો છે. અનેક સ્થળો પર આવા પોસ્ટરો લાગી રહ્યા છે જેને કારણે પાર્ટીની ચિંતામાં વધારો થઈ શકે છે.     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.