સુરતના પાસોદરામાં પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈ ચપ્પાના ઘા માર્યા, પોતે અગ્નિસ્નાન કરી મોતને ભેટ્યો


  • Published By :
  • Published Date : 2024-01-19 22:23:51

સુરતના પાસોદરા વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. પ્રેમમાં પાગલ યુવકે  પ્રેમિકાને ચપ્પાના ઘા માર્યા બાદ પોતે પણ અગ્નિસ્નાન કર્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે પોલીસ દ્વારા આ મામલે તપાસ શરુ કરી દીધી છે. મળતી જાણકારી મુજબ યુવતીની બે દિવસ અગાઉ બીજે સગાઈ થતા યુવકે પ્રેમિકાના ઘરે પહોંચી તેના પર  ચપ્પાના ઘા ઝીંક્યા બાદ પોતે પણ અગ્નિસ્નાન કરી લીધું હતું.


શું છે સમગ્ર મામલો?


સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપ બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય યુવતીને ઓમ ટાઉનશીપમાં જ 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા 26 વર્ષીય અંકિત જયંતીભાઈ ભામણાએ ચપ્પુ મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં કરી મોતને વહાલું કર્યું હતું.સરથાણા પોલીસ મથકના પી.આઇ. વિરલ પટેલે બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 19 વર્ષીય યુવતીને તેની જ ટાઉનશીપમાં રહેતા અંકિત નામના યુવક સાથે છ મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, યુવતીની બે દિવસ પહેલા જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવામાં આવી છે. ત્યારે આજે યુવતીનો પૂર્વ પ્રેમી અંકિત તેના ઘરે આવી પ્રેમિકાને ચપ્પુ મારી દીધું હતું. યુવક પોતાની સાથે પેટ્રોલ લઈને આવ્યો હતો, જે પોતાના શરીર પર છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે દાઝી જતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેરના ખસેડી દેવામાં આવ્યો છે. જ્યારે યુવતીને ઈજા પહોંચતા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ છે. બનાવ અંગે સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


બંનેના પરિવારો વચ્ચે હતા સંબંધ


આ ભયાનક ઘટના અંગે પી. આઇ. વિરલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, યુવકને યુવતીના ઘરે અવરજવરના સંબંધ હતા. યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલા હતા. દરમિયાન છ મહિના પહેલા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી. યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરાવી દેતા યુવકે ગુસ્સામાં આવીને આ પ્રકારનું હિંચકારૂ કૃત્ય કર્યું  હોવાનું માનવામાં આવી રહ્યું છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે