સુરતના પાસોદરામાં પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈ ચપ્પાના ઘા માર્યા, પોતે અગ્નિસ્નાન કરી મોતને ભેટ્યો


  • Published By :
  • Published Date : 2024-01-19 22:23:51

સુરતના પાસોદરા વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. પ્રેમમાં પાગલ યુવકે  પ્રેમિકાને ચપ્પાના ઘા માર્યા બાદ પોતે પણ અગ્નિસ્નાન કર્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે પોલીસ દ્વારા આ મામલે તપાસ શરુ કરી દીધી છે. મળતી જાણકારી મુજબ યુવતીની બે દિવસ અગાઉ બીજે સગાઈ થતા યુવકે પ્રેમિકાના ઘરે પહોંચી તેના પર  ચપ્પાના ઘા ઝીંક્યા બાદ પોતે પણ અગ્નિસ્નાન કરી લીધું હતું.


શું છે સમગ્ર મામલો?


સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપ બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય યુવતીને ઓમ ટાઉનશીપમાં જ 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા 26 વર્ષીય અંકિત જયંતીભાઈ ભામણાએ ચપ્પુ મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં કરી મોતને વહાલું કર્યું હતું.સરથાણા પોલીસ મથકના પી.આઇ. વિરલ પટેલે બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 19 વર્ષીય યુવતીને તેની જ ટાઉનશીપમાં રહેતા અંકિત નામના યુવક સાથે છ મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, યુવતીની બે દિવસ પહેલા જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવામાં આવી છે. ત્યારે આજે યુવતીનો પૂર્વ પ્રેમી અંકિત તેના ઘરે આવી પ્રેમિકાને ચપ્પુ મારી દીધું હતું. યુવક પોતાની સાથે પેટ્રોલ લઈને આવ્યો હતો, જે પોતાના શરીર પર છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે દાઝી જતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેરના ખસેડી દેવામાં આવ્યો છે. જ્યારે યુવતીને ઈજા પહોંચતા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ છે. બનાવ અંગે સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


બંનેના પરિવારો વચ્ચે હતા સંબંધ


આ ભયાનક ઘટના અંગે પી. આઇ. વિરલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, યુવકને યુવતીના ઘરે અવરજવરના સંબંધ હતા. યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલા હતા. દરમિયાન છ મહિના પહેલા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી. યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરાવી દેતા યુવકે ગુસ્સામાં આવીને આ પ્રકારનું હિંચકારૂ કૃત્ય કર્યું  હોવાનું માનવામાં આવી રહ્યું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.