સુરતના પાસોદરામાં પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈ ચપ્પાના ઘા માર્યા, પોતે અગ્નિસ્નાન કરી મોતને ભેટ્યો


  • Published By :
  • Published Date : 2024-01-19 22:23:51

સુરતના પાસોદરા વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. પ્રેમમાં પાગલ યુવકે  પ્રેમિકાને ચપ્પાના ઘા માર્યા બાદ પોતે પણ અગ્નિસ્નાન કર્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે પોલીસ દ્વારા આ મામલે તપાસ શરુ કરી દીધી છે. મળતી જાણકારી મુજબ યુવતીની બે દિવસ અગાઉ બીજે સગાઈ થતા યુવકે પ્રેમિકાના ઘરે પહોંચી તેના પર  ચપ્પાના ઘા ઝીંક્યા બાદ પોતે પણ અગ્નિસ્નાન કરી લીધું હતું.


શું છે સમગ્ર મામલો?


સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપ બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય યુવતીને ઓમ ટાઉનશીપમાં જ 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા 26 વર્ષીય અંકિત જયંતીભાઈ ભામણાએ ચપ્પુ મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં કરી મોતને વહાલું કર્યું હતું.સરથાણા પોલીસ મથકના પી.આઇ. વિરલ પટેલે બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 19 વર્ષીય યુવતીને તેની જ ટાઉનશીપમાં રહેતા અંકિત નામના યુવક સાથે છ મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, યુવતીની બે દિવસ પહેલા જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવામાં આવી છે. ત્યારે આજે યુવતીનો પૂર્વ પ્રેમી અંકિત તેના ઘરે આવી પ્રેમિકાને ચપ્પુ મારી દીધું હતું. યુવક પોતાની સાથે પેટ્રોલ લઈને આવ્યો હતો, જે પોતાના શરીર પર છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે દાઝી જતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેરના ખસેડી દેવામાં આવ્યો છે. જ્યારે યુવતીને ઈજા પહોંચતા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ છે. બનાવ અંગે સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


બંનેના પરિવારો વચ્ચે હતા સંબંધ


આ ભયાનક ઘટના અંગે પી. આઇ. વિરલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, યુવકને યુવતીના ઘરે અવરજવરના સંબંધ હતા. યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલા હતા. દરમિયાન છ મહિના પહેલા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી. યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરાવી દેતા યુવકે ગુસ્સામાં આવીને આ પ્રકારનું હિંચકારૂ કૃત્ય કર્યું  હોવાનું માનવામાં આવી રહ્યું છે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.