સુરતના પાસોદરામાં પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈ ચપ્પાના ઘા માર્યા, પોતે અગ્નિસ્નાન કરી મોતને ભેટ્યો


  • Published By :
  • Published Date : 2024-01-19 22:23:51

સુરતના પાસોદરા વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. પ્રેમમાં પાગલ યુવકે  પ્રેમિકાને ચપ્પાના ઘા માર્યા બાદ પોતે પણ અગ્નિસ્નાન કર્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે પોલીસ દ્વારા આ મામલે તપાસ શરુ કરી દીધી છે. મળતી જાણકારી મુજબ યુવતીની બે દિવસ અગાઉ બીજે સગાઈ થતા યુવકે પ્રેમિકાના ઘરે પહોંચી તેના પર  ચપ્પાના ઘા ઝીંક્યા બાદ પોતે પણ અગ્નિસ્નાન કરી લીધું હતું.


શું છે સમગ્ર મામલો?


સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપ બિલ્ડિંગમાં રહેતી 19 વર્ષીય યુવતીને ઓમ ટાઉનશીપમાં જ 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા 26 વર્ષીય અંકિત જયંતીભાઈ ભામણાએ ચપ્પુ મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં કરી મોતને વહાલું કર્યું હતું.સરથાણા પોલીસ મથકના પી.આઇ. વિરલ પટેલે બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 19 વર્ષીય યુવતીને તેની જ ટાઉનશીપમાં રહેતા અંકિત નામના યુવક સાથે છ મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, યુવતીની બે દિવસ પહેલા જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવામાં આવી છે. ત્યારે આજે યુવતીનો પૂર્વ પ્રેમી અંકિત તેના ઘરે આવી પ્રેમિકાને ચપ્પુ મારી દીધું હતું. યુવક પોતાની સાથે પેટ્રોલ લઈને આવ્યો હતો, જે પોતાના શરીર પર છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું. ગંભીર રીતે દાઝી જતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેરના ખસેડી દેવામાં આવ્યો છે. જ્યારે યુવતીને ઈજા પહોંચતા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાઈ છે. બનાવ અંગે સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


બંનેના પરિવારો વચ્ચે હતા સંબંધ


આ ભયાનક ઘટના અંગે પી. આઇ. વિરલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, યુવકને યુવતીના ઘરે અવરજવરના સંબંધ હતા. યુવતીના માતા અને યુવકના પિતા એક જ ગામના વતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલા હતા. દરમિયાન છ મહિના પહેલા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી. યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરાવી દેતા યુવકે ગુસ્સામાં આવીને આ પ્રકારનું હિંચકારૂ કૃત્ય કર્યું  હોવાનું માનવામાં આવી રહ્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.