સુરતમાં મહેંકી માનવતા, પતંગની દોરીનો ભોગ કોઈ ન બને તે માટે અપાઈ રહ્યા છે સેફ્ટી બેલ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-13 17:32:11

ઉત્તરાયણના પર્વને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. પતંગની દોરીને કારણે અનેક લોકોના જીવ ગયા છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાઈ જતા હોય છે. ત્યારે સુરતમાં અનેક વર્ષો પહેલા મિત્રનું મોત પતંગની દોરીને કારણે થયું હતું. ત્યારે પતંગની દોરીને કારણે અન્ય કોઈ વ્યક્તિનું મોત ન થાય તે માટે મિત્રની યાદમાં લોકોના ગળા પર સેફટી બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે.     

ઉતરાયણ અગાઉથી જ સેફ્ટી બેલ્ટ બાંધવાનું શરૂ કરાય છે


પતંગની દોરીને કારણે લોકોના જતા હોય છે જીવ 

મકરસંક્રાંતિ દરમિયાન અનેક કિસ્સાઓ એવા સામે આવતા હોય છે જેમાં પતંગની દોરીને કારણે લોકોના મોત થઈ જતા હોય છે. અકસ્માતનો ભોગ અનેક લોકો બનતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.  સારવાર મળતા કોઈનો જીવ બચી જતો હોય છે તો કોઈ મોતને પણ ભેટતા હોય છે. 

ગળાનું રક્ષણ થાય તે પ્રકારે બેલ્ટ બંધાય છે


પતંગની દોરીને કારણે ગુમાવ્યો હતો મિત્ર 

પતંગની દોરીથી કોઈનો જીવ ન જાય તે માટે સુરતમાં લોકોને સેફ્ટી બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે. જે લોકો આ માનવીય કાર્ય કરી રહ્યા છે તેમણે પતંગની દોરીને કારણે 20 વર્ષ પહેલા પોતાના મિત્રને ગુમાવી દીધો હતો. તેમના મિત્ર જ્યારે ઓવરબ્રિજ પરથી પસાર થતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો  હતો જેમાં તેમનું મોત થઈ ગયું હતું. અન્ય કોઈ વ્યક્તિ પતંગની દોરીને કારણે પોતાનો જીવ ન ગુમાવે તે માટે ઉત્તરાયણના સમય દરમિયાન તેઓ લોકોને સેફ્ટી બેલ્ટ આપે છે.    
દરવર્ષે સેફ્ટી બેલ્ટ બાંધવામાં આવે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.