સુરતમાં મહેંકી માનવતા, પતંગની દોરીનો ભોગ કોઈ ન બને તે માટે અપાઈ રહ્યા છે સેફ્ટી બેલ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-13 17:32:11

ઉત્તરાયણના પર્વને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. પતંગની દોરીને કારણે અનેક લોકોના જીવ ગયા છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાઈ જતા હોય છે. ત્યારે સુરતમાં અનેક વર્ષો પહેલા મિત્રનું મોત પતંગની દોરીને કારણે થયું હતું. ત્યારે પતંગની દોરીને કારણે અન્ય કોઈ વ્યક્તિનું મોત ન થાય તે માટે મિત્રની યાદમાં લોકોના ગળા પર સેફટી બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે.     

ઉતરાયણ અગાઉથી જ સેફ્ટી બેલ્ટ બાંધવાનું શરૂ કરાય છે


પતંગની દોરીને કારણે લોકોના જતા હોય છે જીવ 

મકરસંક્રાંતિ દરમિયાન અનેક કિસ્સાઓ એવા સામે આવતા હોય છે જેમાં પતંગની દોરીને કારણે લોકોના મોત થઈ જતા હોય છે. અકસ્માતનો ભોગ અનેક લોકો બનતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.  સારવાર મળતા કોઈનો જીવ બચી જતો હોય છે તો કોઈ મોતને પણ ભેટતા હોય છે. 

ગળાનું રક્ષણ થાય તે પ્રકારે બેલ્ટ બંધાય છે


પતંગની દોરીને કારણે ગુમાવ્યો હતો મિત્ર 

પતંગની દોરીથી કોઈનો જીવ ન જાય તે માટે સુરતમાં લોકોને સેફ્ટી બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે. જે લોકો આ માનવીય કાર્ય કરી રહ્યા છે તેમણે પતંગની દોરીને કારણે 20 વર્ષ પહેલા પોતાના મિત્રને ગુમાવી દીધો હતો. તેમના મિત્ર જ્યારે ઓવરબ્રિજ પરથી પસાર થતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો  હતો જેમાં તેમનું મોત થઈ ગયું હતું. અન્ય કોઈ વ્યક્તિ પતંગની દોરીને કારણે પોતાનો જીવ ન ગુમાવે તે માટે ઉત્તરાયણના સમય દરમિયાન તેઓ લોકોને સેફ્ટી બેલ્ટ આપે છે.    
દરવર્ષે સેફ્ટી બેલ્ટ બાંધવામાં આવે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.