સુરતમાં મહેંકી માનવતા, પતંગની દોરીનો ભોગ કોઈ ન બને તે માટે અપાઈ રહ્યા છે સેફ્ટી બેલ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-13 17:32:11

ઉત્તરાયણના પર્વને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. પતંગની દોરીને કારણે અનેક લોકોના જીવ ગયા છે. દોરીને કારણે અનેક લોકોના ગળા કપાઈ જતા હોય છે. ત્યારે સુરતમાં અનેક વર્ષો પહેલા મિત્રનું મોત પતંગની દોરીને કારણે થયું હતું. ત્યારે પતંગની દોરીને કારણે અન્ય કોઈ વ્યક્તિનું મોત ન થાય તે માટે મિત્રની યાદમાં લોકોના ગળા પર સેફટી બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે.     

ઉતરાયણ અગાઉથી જ સેફ્ટી બેલ્ટ બાંધવાનું શરૂ કરાય છે


પતંગની દોરીને કારણે લોકોના જતા હોય છે જીવ 

મકરસંક્રાંતિ દરમિયાન અનેક કિસ્સાઓ એવા સામે આવતા હોય છે જેમાં પતંગની દોરીને કારણે લોકોના મોત થઈ જતા હોય છે. અકસ્માતનો ભોગ અનેક લોકો બનતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે.  સારવાર મળતા કોઈનો જીવ બચી જતો હોય છે તો કોઈ મોતને પણ ભેટતા હોય છે. 

ગળાનું રક્ષણ થાય તે પ્રકારે બેલ્ટ બંધાય છે


પતંગની દોરીને કારણે ગુમાવ્યો હતો મિત્ર 

પતંગની દોરીથી કોઈનો જીવ ન જાય તે માટે સુરતમાં લોકોને સેફ્ટી બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે. જે લોકો આ માનવીય કાર્ય કરી રહ્યા છે તેમણે પતંગની દોરીને કારણે 20 વર્ષ પહેલા પોતાના મિત્રને ગુમાવી દીધો હતો. તેમના મિત્ર જ્યારે ઓવરબ્રિજ પરથી પસાર થતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો  હતો જેમાં તેમનું મોત થઈ ગયું હતું. અન્ય કોઈ વ્યક્તિ પતંગની દોરીને કારણે પોતાનો જીવ ન ગુમાવે તે માટે ઉત્તરાયણના સમય દરમિયાન તેઓ લોકોને સેફ્ટી બેલ્ટ આપે છે.    
દરવર્ષે સેફ્ટી બેલ્ટ બાંધવામાં આવે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.