તમિલનાડુમાં પતિએ ચપ્પુના ઘા વડે કરી પત્નીની હત્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ


  • Published By :
  • Published Date : 2023-01-24 13:16:33

તમિલનાડુમાં એક એવી ઘટના બની છે જેને કારણે લોકોના રુંવાટા ઉભી કરી દે તેવી છે. આ ઘટના તમિલનાડુના વેલ્લોરની છે જ્યાં એક પતિએ પત્નીને છરીના ઘા કરી મોતને ઘાટ ઉતારી છે. જાહેર રસ્તા પર પતિએ પત્નીની હત્યા કરી પરંતુ રસ્તા પર ઉભા રહેલા લોકોએ પણ ઘટનાને નજરઅંદાજ કરી દીધી. કોઈએ તેને રોકવાનો પ્રયત્ન ન કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 


જાહેર રસ્તામાં પતિએ પત્ની પર કર્યો હુમલો

હત્યાઓના કિસ્સાઓમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અનેક કારણોસર લોકો હત્યા કરી દેતા હોય છે. કોઈ વખત નાની વાતને લઈને પણ લોકો હત્યા કરી નાખે છે. ત્યારે આવી જ એક ઘટના તમિલનાડુમાં બની છે જ્યાં પતિએ છરીના ઘા કરી પત્નીની હત્યા કરી દીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘટના બંધ દરવાજાની અંદર નહીં પરંતુ જાહેર રસ્તા પર બની છે. રસ્તા પર ઉપસ્થિત લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો ન હતો.


7 વખત ચપ્પુના ઘા મારી કરી ઈજાગ્રસ્ત

મળતી માહિતી અનુસાર જે મહિલા પર હુમલો થયો હતો તેનું નામ પુનિતા હતું તે ચપ્પલ બનાવવાળી કંપનીમાં કામ કરતી હતી. સોમવાર રાત્રે કામ પરથી ઘરે આવી રહી હતી ત્યારે રસ્તા પર મહિલાનો પતિ જયશંકર મળ્યો અને ચપ્પાના ઘા કરી ઈજાગ્રસ્ત કરી. પુનિતાએ પોતાને બચાવવાની કોશિશ કરી પરંતુ 7 વખત તેને ચપ્પાના ઘા માર્યા હતા. જેને કારણે તે પડી ગઈ. 


આરોપીની પોલીસે કરી ધરપકડ 

પત્નીને ઈજાગ્રસ્ત કરી જયશંકર આરામથી ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટના જ્યારે બની ત્યારે રસ્તા પરથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતા પરંતુ કોઈએ પણ આરોપીને રોકવાની કોશિશ કરી ન હતી. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ત્યાં તેનું મોત થઈ ગયું હતું, પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે અને મામલાની તપાસ કરી રહી છે.    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.