તમિલનાડુમાં પતિએ ચપ્પુના ઘા વડે કરી પત્નીની હત્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ


  • Published By :
  • Published Date : 2023-01-24 13:16:33

તમિલનાડુમાં એક એવી ઘટના બની છે જેને કારણે લોકોના રુંવાટા ઉભી કરી દે તેવી છે. આ ઘટના તમિલનાડુના વેલ્લોરની છે જ્યાં એક પતિએ પત્નીને છરીના ઘા કરી મોતને ઘાટ ઉતારી છે. જાહેર રસ્તા પર પતિએ પત્નીની હત્યા કરી પરંતુ રસ્તા પર ઉભા રહેલા લોકોએ પણ ઘટનાને નજરઅંદાજ કરી દીધી. કોઈએ તેને રોકવાનો પ્રયત્ન ન કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 


જાહેર રસ્તામાં પતિએ પત્ની પર કર્યો હુમલો

હત્યાઓના કિસ્સાઓમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અનેક કારણોસર લોકો હત્યા કરી દેતા હોય છે. કોઈ વખત નાની વાતને લઈને પણ લોકો હત્યા કરી નાખે છે. ત્યારે આવી જ એક ઘટના તમિલનાડુમાં બની છે જ્યાં પતિએ છરીના ઘા કરી પત્નીની હત્યા કરી દીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘટના બંધ દરવાજાની અંદર નહીં પરંતુ જાહેર રસ્તા પર બની છે. રસ્તા પર ઉપસ્થિત લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો ન હતો.


7 વખત ચપ્પુના ઘા મારી કરી ઈજાગ્રસ્ત

મળતી માહિતી અનુસાર જે મહિલા પર હુમલો થયો હતો તેનું નામ પુનિતા હતું તે ચપ્પલ બનાવવાળી કંપનીમાં કામ કરતી હતી. સોમવાર રાત્રે કામ પરથી ઘરે આવી રહી હતી ત્યારે રસ્તા પર મહિલાનો પતિ જયશંકર મળ્યો અને ચપ્પાના ઘા કરી ઈજાગ્રસ્ત કરી. પુનિતાએ પોતાને બચાવવાની કોશિશ કરી પરંતુ 7 વખત તેને ચપ્પાના ઘા માર્યા હતા. જેને કારણે તે પડી ગઈ. 


આરોપીની પોલીસે કરી ધરપકડ 

પત્નીને ઈજાગ્રસ્ત કરી જયશંકર આરામથી ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટના જ્યારે બની ત્યારે રસ્તા પરથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતા પરંતુ કોઈએ પણ આરોપીને રોકવાની કોશિશ કરી ન હતી. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ત્યાં તેનું મોત થઈ ગયું હતું, પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે અને મામલાની તપાસ કરી રહી છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.