તમિલનાડુમાં પતિએ ચપ્પુના ઘા વડે કરી પત્નીની હત્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ


  • Published By :
  • Published Date : 2023-01-24 13:16:33

તમિલનાડુમાં એક એવી ઘટના બની છે જેને કારણે લોકોના રુંવાટા ઉભી કરી દે તેવી છે. આ ઘટના તમિલનાડુના વેલ્લોરની છે જ્યાં એક પતિએ પત્નીને છરીના ઘા કરી મોતને ઘાટ ઉતારી છે. જાહેર રસ્તા પર પતિએ પત્નીની હત્યા કરી પરંતુ રસ્તા પર ઉભા રહેલા લોકોએ પણ ઘટનાને નજરઅંદાજ કરી દીધી. કોઈએ તેને રોકવાનો પ્રયત્ન ન કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 


જાહેર રસ્તામાં પતિએ પત્ની પર કર્યો હુમલો

હત્યાઓના કિસ્સાઓમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અનેક કારણોસર લોકો હત્યા કરી દેતા હોય છે. કોઈ વખત નાની વાતને લઈને પણ લોકો હત્યા કરી નાખે છે. ત્યારે આવી જ એક ઘટના તમિલનાડુમાં બની છે જ્યાં પતિએ છરીના ઘા કરી પત્નીની હત્યા કરી દીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘટના બંધ દરવાજાની અંદર નહીં પરંતુ જાહેર રસ્તા પર બની છે. રસ્તા પર ઉપસ્થિત લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો ન હતો.


7 વખત ચપ્પુના ઘા મારી કરી ઈજાગ્રસ્ત

મળતી માહિતી અનુસાર જે મહિલા પર હુમલો થયો હતો તેનું નામ પુનિતા હતું તે ચપ્પલ બનાવવાળી કંપનીમાં કામ કરતી હતી. સોમવાર રાત્રે કામ પરથી ઘરે આવી રહી હતી ત્યારે રસ્તા પર મહિલાનો પતિ જયશંકર મળ્યો અને ચપ્પાના ઘા કરી ઈજાગ્રસ્ત કરી. પુનિતાએ પોતાને બચાવવાની કોશિશ કરી પરંતુ 7 વખત તેને ચપ્પાના ઘા માર્યા હતા. જેને કારણે તે પડી ગઈ. 


આરોપીની પોલીસે કરી ધરપકડ 

પત્નીને ઈજાગ્રસ્ત કરી જયશંકર આરામથી ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટના જ્યારે બની ત્યારે રસ્તા પરથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતા પરંતુ કોઈએ પણ આરોપીને રોકવાની કોશિશ કરી ન હતી. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ત્યાં તેનું મોત થઈ ગયું હતું, પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે અને મામલાની તપાસ કરી રહી છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.