તમિલનાડુમાં પતિએ ચપ્પુના ઘા વડે કરી પત્નીની હત્યા, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ


  • Published By :
  • Published Date : 2023-01-24 13:16:33

તમિલનાડુમાં એક એવી ઘટના બની છે જેને કારણે લોકોના રુંવાટા ઉભી કરી દે તેવી છે. આ ઘટના તમિલનાડુના વેલ્લોરની છે જ્યાં એક પતિએ પત્નીને છરીના ઘા કરી મોતને ઘાટ ઉતારી છે. જાહેર રસ્તા પર પતિએ પત્નીની હત્યા કરી પરંતુ રસ્તા પર ઉભા રહેલા લોકોએ પણ ઘટનાને નજરઅંદાજ કરી દીધી. કોઈએ તેને રોકવાનો પ્રયત્ન ન કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 


જાહેર રસ્તામાં પતિએ પત્ની પર કર્યો હુમલો

હત્યાઓના કિસ્સાઓમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અનેક કારણોસર લોકો હત્યા કરી દેતા હોય છે. કોઈ વખત નાની વાતને લઈને પણ લોકો હત્યા કરી નાખે છે. ત્યારે આવી જ એક ઘટના તમિલનાડુમાં બની છે જ્યાં પતિએ છરીના ઘા કરી પત્નીની હત્યા કરી દીધી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ ઘટના બંધ દરવાજાની અંદર નહીં પરંતુ જાહેર રસ્તા પર બની છે. રસ્તા પર ઉપસ્થિત લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો ન હતો.


7 વખત ચપ્પુના ઘા મારી કરી ઈજાગ્રસ્ત

મળતી માહિતી અનુસાર જે મહિલા પર હુમલો થયો હતો તેનું નામ પુનિતા હતું તે ચપ્પલ બનાવવાળી કંપનીમાં કામ કરતી હતી. સોમવાર રાત્રે કામ પરથી ઘરે આવી રહી હતી ત્યારે રસ્તા પર મહિલાનો પતિ જયશંકર મળ્યો અને ચપ્પાના ઘા કરી ઈજાગ્રસ્ત કરી. પુનિતાએ પોતાને બચાવવાની કોશિશ કરી પરંતુ 7 વખત તેને ચપ્પાના ઘા માર્યા હતા. જેને કારણે તે પડી ગઈ. 


આરોપીની પોલીસે કરી ધરપકડ 

પત્નીને ઈજાગ્રસ્ત કરી જયશંકર આરામથી ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટના જ્યારે બની ત્યારે રસ્તા પરથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતા પરંતુ કોઈએ પણ આરોપીને રોકવાની કોશિશ કરી ન હતી. સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ ત્યાં તેનું મોત થઈ ગયું હતું, પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે અને મામલાની તપાસ કરી રહી છે.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.