સુરતમાં બની અકસ્માતની ઘટના, લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલો યુવક બન્યો કાળનો કોળિયો


  • Published By :
  • Published Date : 2023-02-20 11:12:09

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતનો કિસ્સો બન્યો છે જેમાં પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા યુવક કાળનો કોળિયો બન્યો છે. પરવત પાટીયા ફ્લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે યુવકને હડફેટે લીધો છે. થોડા દિવસો બાદ યુવકના લગ્ન થવાના હતા. મોતને ભેટતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


સારવાર દરમિયાન યુવકનું થયું મોત 

એક્સિડન્ટને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. અકસ્માતમાં અનેક લોકોને ઈજા પહોંચતી હોય છે ત્યારે સુરતમાં એક અકસ્માતની ઘટના બની છે જેમાં 26 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તેના થોડા દિવસો બાદ લગ્ન થવાના હતા. સંબંધિઓને પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા જીતેન્દ્રને કાળ ભરખી ગયો છે. પરવત પાટીયા ફ્લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે શુક્રવારે તેને અડફેટે લીધો હતો. તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક પગ કાપવો પડ્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 


સીસીટીવી ફૂટેજ આવ્યા સામે        

સુરતમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ અનેક વખત રસ્તાઓ પર ફરતા ભારે વાહનોને કારણે ગોઝારા અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે સુરતમાં બનેલી આ ઘટનામાં જ્યાં થોડા દિવસો બાદ લગ્નની શરણાઈ વાગવાની હતી ત્યાં હવે માતમ છવાઈ ગયો છે. કાળ બનેલી ટ્રકે યુવકનો ભોગ લીધો હતો. પરવત પાટિયા ફ્લાય ઓવરબ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. પોલીસે આ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.