સુરતમાં બની અકસ્માતની ઘટના, લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલો યુવક બન્યો કાળનો કોળિયો


  • Published By :
  • Published Date : 2023-02-20 11:12:09

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતનો કિસ્સો બન્યો છે જેમાં પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા યુવક કાળનો કોળિયો બન્યો છે. પરવત પાટીયા ફ્લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે યુવકને હડફેટે લીધો છે. થોડા દિવસો બાદ યુવકના લગ્ન થવાના હતા. મોતને ભેટતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


સારવાર દરમિયાન યુવકનું થયું મોત 

એક્સિડન્ટને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. અકસ્માતમાં અનેક લોકોને ઈજા પહોંચતી હોય છે ત્યારે સુરતમાં એક અકસ્માતની ઘટના બની છે જેમાં 26 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તેના થોડા દિવસો બાદ લગ્ન થવાના હતા. સંબંધિઓને પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા જીતેન્દ્રને કાળ ભરખી ગયો છે. પરવત પાટીયા ફ્લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે શુક્રવારે તેને અડફેટે લીધો હતો. તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક પગ કાપવો પડ્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 


સીસીટીવી ફૂટેજ આવ્યા સામે        

સુરતમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ અનેક વખત રસ્તાઓ પર ફરતા ભારે વાહનોને કારણે ગોઝારા અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે સુરતમાં બનેલી આ ઘટનામાં જ્યાં થોડા દિવસો બાદ લગ્નની શરણાઈ વાગવાની હતી ત્યાં હવે માતમ છવાઈ ગયો છે. કાળ બનેલી ટ્રકે યુવકનો ભોગ લીધો હતો. પરવત પાટિયા ફ્લાય ઓવરબ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. પોલીસે આ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.    




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.