સુરતમાં બની અકસ્માતની ઘટના, લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલો યુવક બન્યો કાળનો કોળિયો


  • Published By :
  • Published Date : 2023-02-20 11:12:09

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતનો કિસ્સો બન્યો છે જેમાં પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા યુવક કાળનો કોળિયો બન્યો છે. પરવત પાટીયા ફ્લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે યુવકને હડફેટે લીધો છે. થોડા દિવસો બાદ યુવકના લગ્ન થવાના હતા. મોતને ભેટતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


સારવાર દરમિયાન યુવકનું થયું મોત 

એક્સિડન્ટને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. અકસ્માતમાં અનેક લોકોને ઈજા પહોંચતી હોય છે ત્યારે સુરતમાં એક અકસ્માતની ઘટના બની છે જેમાં 26 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તેના થોડા દિવસો બાદ લગ્ન થવાના હતા. સંબંધિઓને પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા જીતેન્દ્રને કાળ ભરખી ગયો છે. પરવત પાટીયા ફ્લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે શુક્રવારે તેને અડફેટે લીધો હતો. તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક પગ કાપવો પડ્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 


સીસીટીવી ફૂટેજ આવ્યા સામે        

સુરતમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ અનેક વખત રસ્તાઓ પર ફરતા ભારે વાહનોને કારણે ગોઝારા અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે સુરતમાં બનેલી આ ઘટનામાં જ્યાં થોડા દિવસો બાદ લગ્નની શરણાઈ વાગવાની હતી ત્યાં હવે માતમ છવાઈ ગયો છે. કાળ બનેલી ટ્રકે યુવકનો ભોગ લીધો હતો. પરવત પાટિયા ફ્લાય ઓવરબ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. પોલીસે આ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.