સુરતમાં બની અકસ્માતની ઘટના, લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલો યુવક બન્યો કાળનો કોળિયો


  • Published By :
  • Published Date : 2023-02-20 11:12:09

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતનો કિસ્સો બન્યો છે જેમાં પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા યુવક કાળનો કોળિયો બન્યો છે. પરવત પાટીયા ફ્લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે યુવકને હડફેટે લીધો છે. થોડા દિવસો બાદ યુવકના લગ્ન થવાના હતા. મોતને ભેટતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


સારવાર દરમિયાન યુવકનું થયું મોત 

એક્સિડન્ટને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે. અકસ્માતમાં અનેક લોકોને ઈજા પહોંચતી હોય છે ત્યારે સુરતમાં એક અકસ્માતની ઘટના બની છે જેમાં 26 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તેના થોડા દિવસો બાદ લગ્ન થવાના હતા. સંબંધિઓને પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા જીતેન્દ્રને કાળ ભરખી ગયો છે. પરવત પાટીયા ફ્લાય ઓવરબ્રિજ પર સિમેન્ટ ભરેલા ટ્રકે શુક્રવારે તેને અડફેટે લીધો હતો. તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક પગ કાપવો પડ્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 


સીસીટીવી ફૂટેજ આવ્યા સામે        

સુરતમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ અનેક વખત રસ્તાઓ પર ફરતા ભારે વાહનોને કારણે ગોઝારા અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે સુરતમાં બનેલી આ ઘટનામાં જ્યાં થોડા દિવસો બાદ લગ્નની શરણાઈ વાગવાની હતી ત્યાં હવે માતમ છવાઈ ગયો છે. કાળ બનેલી ટ્રકે યુવકનો ભોગ લીધો હતો. પરવત પાટિયા ફ્લાય ઓવરબ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. પોલીસે આ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.