વિધાનસભામાં સરકારે કુપોષિત બાળકો અને બેરોજગાર લોકોનો આપ્યો આંકડો, જાણો કેટલા બાળકો છે કુપોષણનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-03-02 15:41:58

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં સરકારે અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વિવિધ ધારાસભ્યો દ્વારા અલગ અલગ મુદ્દે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો જવાબ સરકારે વિધાનસભામાં આપ્યો છે. રાજ્યના 6 જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારીની નોંધણી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ઉપરાંત કુપોષિત બાળકોની સંખ્યા અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

News & Views :: દેશના 80% એન્જિનિયર્સ થયા છે બેરોજગાર, આ રહ્યું કારણ

  6 જિલ્લામાં જ બેરોજગારોનો આકંડો 61 હજારને પાર પહોંચ્યો  

રાજ્યના 6 જિલ્લાઓમાં જ માત્ર 61 હજારથી વધુ બેરોજગારો નોંધાયા છે. અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, દ્વારકા તેમજ બનાસકાંઠા જિલ્લામાં સરકારી ચોપડે 61058 બેરોજગારો નોંધાયા હતા. જામનગર જિલ્લામાં શિક્ષિત બેરોજગારો 8684 નોંધાયા છે જ્યારે અધર્શિક્ષિત બેરોજગાર 910 નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષિત બેરોજગારીની સંખ્યા 2339 જ્યારે અર્ધશિક્ષિત બેરોજગારો 97 નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં 10323 બેરોજગાર જ્યારે બનાસકાંઠીમાં 9956 બેરોજગાર નોંધાયા છે. 

કુપોષણ મુક્ત ગુજરાતના દાવાની નીકળી ગઈ હવા, રાજ્યમાં 1.43 લાખ ભૂલકાંઓ કુપોષિત  - GSTV

અમદાવાદમાં તેમજ ગાંધીનગરમાં પણ બેરોજગારોની સંખ્યા વધારે 

અમદાવાદમાં પણ બેરોજગારોની સંખ્યા ઓછી નથી. અમદાવાદ જિલ્લામાં 4030 શિક્ષિત બેરોજગારો જ્યારે 379 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 12282 શિક્ષિત બેરોજગારો જ્યારે 1205 અર્ધશિક્ષિત નોંધાયા છે. પાટનગર ગાંધીનગર જિલ્લામાં 3707 શિક્ષિત બેરોજગારો જ્યારે 617 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં 2 હજાર 291 શિક્ષિત બેરોજગારો જ્યારે 114 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. 


વિધાનસભામાં કુપોષિત બાળકો અંગે આપી માહિતી   

અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, દ્વારકા તેમજ બનાસકાંઠા જિલ્લામાં સરકારી ચોપડે 61058 બેરોજગારો નોંધાયા હતા. જ્યારે કુપોષિત બાળકોના આંકડા પણ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. કુપોષિત બાળકોનો આંકડો જે રજૂ કરવામાં આવ્યો છે તે ચિંતાજનક છે. સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદ જિલ્લામાં નોંધાયા છે. દાહોદમાં 18326 બાળકો કુપોષણનો શિકાર છે. અમદાવાદ જિલ્લાના 2236 બાળકો કુપોષિત નોંધાયા છે. જ્યારે નર્મદા જિલ્લામાં 2443 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. ડાંગમાં 575 બાળકો કુપોષિત છે.  

 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.