વિધાનસભામાં સરકારે કુપોષિત બાળકો અને બેરોજગાર લોકોનો આપ્યો આંકડો, જાણો કેટલા બાળકો છે કુપોષણનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-03-02 15:41:58

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં સરકારે અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વિવિધ ધારાસભ્યો દ્વારા અલગ અલગ મુદ્દે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો જવાબ સરકારે વિધાનસભામાં આપ્યો છે. રાજ્યના 6 જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારીની નોંધણી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ઉપરાંત કુપોષિત બાળકોની સંખ્યા અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

News & Views :: દેશના 80% એન્જિનિયર્સ થયા છે બેરોજગાર, આ રહ્યું કારણ

  6 જિલ્લામાં જ બેરોજગારોનો આકંડો 61 હજારને પાર પહોંચ્યો  

રાજ્યના 6 જિલ્લાઓમાં જ માત્ર 61 હજારથી વધુ બેરોજગારો નોંધાયા છે. અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, દ્વારકા તેમજ બનાસકાંઠા જિલ્લામાં સરકારી ચોપડે 61058 બેરોજગારો નોંધાયા હતા. જામનગર જિલ્લામાં શિક્ષિત બેરોજગારો 8684 નોંધાયા છે જ્યારે અધર્શિક્ષિત બેરોજગાર 910 નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષિત બેરોજગારીની સંખ્યા 2339 જ્યારે અર્ધશિક્ષિત બેરોજગારો 97 નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં 10323 બેરોજગાર જ્યારે બનાસકાંઠીમાં 9956 બેરોજગાર નોંધાયા છે. 

કુપોષણ મુક્ત ગુજરાતના દાવાની નીકળી ગઈ હવા, રાજ્યમાં 1.43 લાખ ભૂલકાંઓ કુપોષિત  - GSTV

અમદાવાદમાં તેમજ ગાંધીનગરમાં પણ બેરોજગારોની સંખ્યા વધારે 

અમદાવાદમાં પણ બેરોજગારોની સંખ્યા ઓછી નથી. અમદાવાદ જિલ્લામાં 4030 શિક્ષિત બેરોજગારો જ્યારે 379 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 12282 શિક્ષિત બેરોજગારો જ્યારે 1205 અર્ધશિક્ષિત નોંધાયા છે. પાટનગર ગાંધીનગર જિલ્લામાં 3707 શિક્ષિત બેરોજગારો જ્યારે 617 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં 2 હજાર 291 શિક્ષિત બેરોજગારો જ્યારે 114 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. 


વિધાનસભામાં કુપોષિત બાળકો અંગે આપી માહિતી   

અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, દ્વારકા તેમજ બનાસકાંઠા જિલ્લામાં સરકારી ચોપડે 61058 બેરોજગારો નોંધાયા હતા. જ્યારે કુપોષિત બાળકોના આંકડા પણ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. કુપોષિત બાળકોનો આંકડો જે રજૂ કરવામાં આવ્યો છે તે ચિંતાજનક છે. સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદ જિલ્લામાં નોંધાયા છે. દાહોદમાં 18326 બાળકો કુપોષણનો શિકાર છે. અમદાવાદ જિલ્લાના 2236 બાળકો કુપોષિત નોંધાયા છે. જ્યારે નર્મદા જિલ્લામાં 2443 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. ડાંગમાં 575 બાળકો કુપોષિત છે.  

 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.