વિધાનસભામાં સરકારે કુપોષિત બાળકો અને બેરોજગાર લોકોનો આપ્યો આંકડો, જાણો કેટલા બાળકો છે કુપોષણનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-03-02 15:41:58

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં સરકારે અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વિવિધ ધારાસભ્યો દ્વારા અલગ અલગ મુદ્દે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો જવાબ સરકારે વિધાનસભામાં આપ્યો છે. રાજ્યના 6 જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારીની નોંધણી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ઉપરાંત કુપોષિત બાળકોની સંખ્યા અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

News & Views :: દેશના 80% એન્જિનિયર્સ થયા છે બેરોજગાર, આ રહ્યું કારણ

  6 જિલ્લામાં જ બેરોજગારોનો આકંડો 61 હજારને પાર પહોંચ્યો  

રાજ્યના 6 જિલ્લાઓમાં જ માત્ર 61 હજારથી વધુ બેરોજગારો નોંધાયા છે. અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, દ્વારકા તેમજ બનાસકાંઠા જિલ્લામાં સરકારી ચોપડે 61058 બેરોજગારો નોંધાયા હતા. જામનગર જિલ્લામાં શિક્ષિત બેરોજગારો 8684 નોંધાયા છે જ્યારે અધર્શિક્ષિત બેરોજગાર 910 નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષિત બેરોજગારીની સંખ્યા 2339 જ્યારે અર્ધશિક્ષિત બેરોજગારો 97 નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં 10323 બેરોજગાર જ્યારે બનાસકાંઠીમાં 9956 બેરોજગાર નોંધાયા છે. 

કુપોષણ મુક્ત ગુજરાતના દાવાની નીકળી ગઈ હવા, રાજ્યમાં 1.43 લાખ ભૂલકાંઓ કુપોષિત  - GSTV

અમદાવાદમાં તેમજ ગાંધીનગરમાં પણ બેરોજગારોની સંખ્યા વધારે 

અમદાવાદમાં પણ બેરોજગારોની સંખ્યા ઓછી નથી. અમદાવાદ જિલ્લામાં 4030 શિક્ષિત બેરોજગારો જ્યારે 379 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 12282 શિક્ષિત બેરોજગારો જ્યારે 1205 અર્ધશિક્ષિત નોંધાયા છે. પાટનગર ગાંધીનગર જિલ્લામાં 3707 શિક્ષિત બેરોજગારો જ્યારે 617 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં 2 હજાર 291 શિક્ષિત બેરોજગારો જ્યારે 114 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. 


વિધાનસભામાં કુપોષિત બાળકો અંગે આપી માહિતી   

અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, દ્વારકા તેમજ બનાસકાંઠા જિલ્લામાં સરકારી ચોપડે 61058 બેરોજગારો નોંધાયા હતા. જ્યારે કુપોષિત બાળકોના આંકડા પણ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. કુપોષિત બાળકોનો આંકડો જે રજૂ કરવામાં આવ્યો છે તે ચિંતાજનક છે. સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદ જિલ્લામાં નોંધાયા છે. દાહોદમાં 18326 બાળકો કુપોષણનો શિકાર છે. અમદાવાદ જિલ્લાના 2236 બાળકો કુપોષિત નોંધાયા છે. જ્યારે નર્મદા જિલ્લામાં 2443 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. ડાંગમાં 575 બાળકો કુપોષિત છે.  

 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.