વિધાનસભામાં સરકારે કુપોષિત બાળકો અને બેરોજગાર લોકોનો આપ્યો આંકડો, જાણો કેટલા બાળકો છે કુપોષણનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-03-02 15:41:58

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં સરકારે અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વિવિધ ધારાસભ્યો દ્વારા અલગ અલગ મુદ્દે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો જવાબ સરકારે વિધાનસભામાં આપ્યો છે. રાજ્યના 6 જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારીની નોંધણી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ઉપરાંત કુપોષિત બાળકોની સંખ્યા અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

News & Views :: દેશના 80% એન્જિનિયર્સ થયા છે બેરોજગાર, આ રહ્યું કારણ

  6 જિલ્લામાં જ બેરોજગારોનો આકંડો 61 હજારને પાર પહોંચ્યો  

રાજ્યના 6 જિલ્લાઓમાં જ માત્ર 61 હજારથી વધુ બેરોજગારો નોંધાયા છે. અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, દ્વારકા તેમજ બનાસકાંઠા જિલ્લામાં સરકારી ચોપડે 61058 બેરોજગારો નોંધાયા હતા. જામનગર જિલ્લામાં શિક્ષિત બેરોજગારો 8684 નોંધાયા છે જ્યારે અધર્શિક્ષિત બેરોજગાર 910 નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષિત બેરોજગારીની સંખ્યા 2339 જ્યારે અર્ધશિક્ષિત બેરોજગારો 97 નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં 10323 બેરોજગાર જ્યારે બનાસકાંઠીમાં 9956 બેરોજગાર નોંધાયા છે. 

કુપોષણ મુક્ત ગુજરાતના દાવાની નીકળી ગઈ હવા, રાજ્યમાં 1.43 લાખ ભૂલકાંઓ કુપોષિત  - GSTV

અમદાવાદમાં તેમજ ગાંધીનગરમાં પણ બેરોજગારોની સંખ્યા વધારે 

અમદાવાદમાં પણ બેરોજગારોની સંખ્યા ઓછી નથી. અમદાવાદ જિલ્લામાં 4030 શિક્ષિત બેરોજગારો જ્યારે 379 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 12282 શિક્ષિત બેરોજગારો જ્યારે 1205 અર્ધશિક્ષિત નોંધાયા છે. પાટનગર ગાંધીનગર જિલ્લામાં 3707 શિક્ષિત બેરોજગારો જ્યારે 617 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં 2 હજાર 291 શિક્ષિત બેરોજગારો જ્યારે 114 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયા છે. 


વિધાનસભામાં કુપોષિત બાળકો અંગે આપી માહિતી   

અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, દ્વારકા તેમજ બનાસકાંઠા જિલ્લામાં સરકારી ચોપડે 61058 બેરોજગારો નોંધાયા હતા. જ્યારે કુપોષિત બાળકોના આંકડા પણ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. કુપોષિત બાળકોનો આંકડો જે રજૂ કરવામાં આવ્યો છે તે ચિંતાજનક છે. સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદ જિલ્લામાં નોંધાયા છે. દાહોદમાં 18326 બાળકો કુપોષણનો શિકાર છે. અમદાવાદ જિલ્લાના 2236 બાળકો કુપોષિત નોંધાયા છે. જ્યારે નર્મદા જિલ્લામાં 2443 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. ડાંગમાં 575 બાળકો કુપોષિત છે.  

 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.