ઢોરના મોત મામલે હાઈકોર્ટ લાલઘૂમ 'અંગત સ્વાર્થ અને લાભ માટે પશુઓના મોતને ચલાવી લેવાય નહીં.'


  • Published By :
  • Published Date : 2023-12-12 16:59:51

ગુજરાતમાં રખડતા ઢોરના આતંકથી લોકોને છુટકારો અપાવવા માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જો કે આ રખડતા ઢોરને જ્યારે ઢોરવાડામાં પુરવામાં આવે છે ત્યાર બાદ તેમની હાલત દયનિય જોવા મળે છે. જો કે હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. ઢોરવાડામાં પશુઓના મોત થઈ રહ્યા છે, તેને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. 


શું ટકોર કરી ગુજરાત હાઈકોર્ટે


ઢોરવાડામાં રખડતા પશુઓના મોતને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ અને નડીયાદમાં પશુઓના મોત અને તેમની દયનિય સ્થિતી અંગે હાઈકોર્ટે ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું કે અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોતને કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં. કેટલ પોલીસીની આડમાં પશુઓના મોત ચલાવી શકાય નહીં. હાઈકોર્ટે ઢોરવાડાની ક્ષમતા, પશુઓને ચારો તેમજ તેમની સારવારની વિગતો રજુ કરવાનો આદેશ કર્યો હતો.


માલધારીઓમાં આક્રોશ


રાજ્યમાં રખડતા ઢોરને પકડવા માટે સરકારે કડક હાથે કામગીરી હાથ ધરી છે. જેના કારણે મોટા શહેરોમાં રખડતા ઢોરને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જો કે રખડતા ઢોરનો ઠાસી ઠાસીને ઢોરવાડામાં પકડવામાં આવી રહ્યા છે જેથી ઢોરવાડામાં જ પશુઓના મોત થી રહ્યા છે. અમદાવાદ અને નડીયાદમાં પકડાયેલા પશુઓનું ઢોરવાડામાં જ મોત થતાં માલધારીઓમાં ભારોભાર રોષ છે. ઢોરના મોતને લઈ માલધારી સમાજ શહેરમાં ધરણા-પ્રદર્શનો કરી રહ્યો છે. માલધારી સમાજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યલય સામે પણ દેખાવો કર્યા હતા. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.