ઢોરના મોત મામલે હાઈકોર્ટ લાલઘૂમ 'અંગત સ્વાર્થ અને લાભ માટે પશુઓના મોતને ચલાવી લેવાય નહીં.'


  • Published By :
  • Published Date : 2023-12-12 16:59:51

ગુજરાતમાં રખડતા ઢોરના આતંકથી લોકોને છુટકારો અપાવવા માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જો કે આ રખડતા ઢોરને જ્યારે ઢોરવાડામાં પુરવામાં આવે છે ત્યાર બાદ તેમની હાલત દયનિય જોવા મળે છે. જો કે હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. ઢોરવાડામાં પશુઓના મોત થઈ રહ્યા છે, તેને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. 


શું ટકોર કરી ગુજરાત હાઈકોર્ટે


ઢોરવાડામાં રખડતા પશુઓના મોતને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ અને નડીયાદમાં પશુઓના મોત અને તેમની દયનિય સ્થિતી અંગે હાઈકોર્ટે ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું કે અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોતને કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં. કેટલ પોલીસીની આડમાં પશુઓના મોત ચલાવી શકાય નહીં. હાઈકોર્ટે ઢોરવાડાની ક્ષમતા, પશુઓને ચારો તેમજ તેમની સારવારની વિગતો રજુ કરવાનો આદેશ કર્યો હતો.


માલધારીઓમાં આક્રોશ


રાજ્યમાં રખડતા ઢોરને પકડવા માટે સરકારે કડક હાથે કામગીરી હાથ ધરી છે. જેના કારણે મોટા શહેરોમાં રખડતા ઢોરને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જો કે રખડતા ઢોરનો ઠાસી ઠાસીને ઢોરવાડામાં પકડવામાં આવી રહ્યા છે જેથી ઢોરવાડામાં જ પશુઓના મોત થી રહ્યા છે. અમદાવાદ અને નડીયાદમાં પકડાયેલા પશુઓનું ઢોરવાડામાં જ મોત થતાં માલધારીઓમાં ભારોભાર રોષ છે. ઢોરના મોતને લઈ માલધારી સમાજ શહેરમાં ધરણા-પ્રદર્શનો કરી રહ્યો છે. માલધારી સમાજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યલય સામે પણ દેખાવો કર્યા હતા. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.