ઢોરના મોત મામલે હાઈકોર્ટ લાલઘૂમ 'અંગત સ્વાર્થ અને લાભ માટે પશુઓના મોતને ચલાવી લેવાય નહીં.'


  • Published By :
  • Published Date : 2023-12-12 16:59:51

ગુજરાતમાં રખડતા ઢોરના આતંકથી લોકોને છુટકારો અપાવવા માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જો કે આ રખડતા ઢોરને જ્યારે ઢોરવાડામાં પુરવામાં આવે છે ત્યાર બાદ તેમની હાલત દયનિય જોવા મળે છે. જો કે હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. ઢોરવાડામાં પશુઓના મોત થઈ રહ્યા છે, તેને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. 


શું ટકોર કરી ગુજરાત હાઈકોર્ટે


ઢોરવાડામાં રખડતા પશુઓના મોતને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ અને નડીયાદમાં પશુઓના મોત અને તેમની દયનિય સ્થિતી અંગે હાઈકોર્ટે ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે કહ્યું કે અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોતને કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં. કેટલ પોલીસીની આડમાં પશુઓના મોત ચલાવી શકાય નહીં. હાઈકોર્ટે ઢોરવાડાની ક્ષમતા, પશુઓને ચારો તેમજ તેમની સારવારની વિગતો રજુ કરવાનો આદેશ કર્યો હતો.


માલધારીઓમાં આક્રોશ


રાજ્યમાં રખડતા ઢોરને પકડવા માટે સરકારે કડક હાથે કામગીરી હાથ ધરી છે. જેના કારણે મોટા શહેરોમાં રખડતા ઢોરને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જો કે રખડતા ઢોરનો ઠાસી ઠાસીને ઢોરવાડામાં પકડવામાં આવી રહ્યા છે જેથી ઢોરવાડામાં જ પશુઓના મોત થી રહ્યા છે. અમદાવાદ અને નડીયાદમાં પકડાયેલા પશુઓનું ઢોરવાડામાં જ મોત થતાં માલધારીઓમાં ભારોભાર રોષ છે. ઢોરના મોતને લઈ માલધારી સમાજ શહેરમાં ધરણા-પ્રદર્શનો કરી રહ્યો છે. માલધારી સમાજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યલય સામે પણ દેખાવો કર્યા હતા. 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.