Morbi Fake toll booth મામલે આટલા લોકોની કરાઈ ધરપકડ હજી આટલા પોલીસ પકડથી દૂર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 16:22:01

અનેક એવા કિસ્સાઓ છે, એવી ઘટનઓ છે જેમાં અનેક વર્ષો વિતી ગયા હોય પછી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. કાર્યવાહી થાય તો થાય બાકી પછી હરી હરી.... અનેક વખત સરકાર ઉંઘતી ઝડપાય છે. થોડા સમયથી નકલી પકડાવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકું ઝડપાય છે. કરોડોનું કૌભાંડ આચરવામાં આવે છે ત્યાં સુધી સરકારને આ અંગેની જાણકારી નથી હોતી. ત્યારે મોરબી નજીક વાંકાનેર પાસે ચાલતું નકલી બૂથ મળી આવ્યું હતું જેને લઈ અપડેટ સામે આવી છે. મળતી માહિતી અનુસાર બે લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. બીજા આરોપીઓ હજી ફરાર છે. 

બે લોકોની કરવામાં આવી ધરપકડ 

ગુજરાતમાં નકલી પકડાવાની ભરમાર જોવા મળી રહી છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત નકલી સીબીઆઈ અધિકારી પકડાય છે. આવા તો અનેક ઉદાહરણો છે આપણી સામે. ત્યારે થોડા સમય પહેલા નકલી ટોલનાકું ઝડપાયું હતું જેને કારણે દરેક જગ્યા પર આ અંગેની ચર્ચાઓ થઈ રહી હતી. અંદાજીત એક મહિનાનો સમય વિતી ગયો પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી તેવી વાતો વચ્ચે આ મામલે બે લોકોની ધરપકડ થઈ છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.  


નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત.... 

થોડા સમય પહેલા એક એવી ઘટનાનો ખુલાસો થયો જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મોરબીના વાંકાનેર નજીકથી એક નકલી ટોલનાકું ઝડપાયું હતું. મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે  સીરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવવામાં આવતું હતું અને જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી. સરકાર મુકપ્રેક્ષક બનીને જોતી રહી. આ આખી ઘટના સામે આવી ત્યારે કરોડો રૂપિચા જનતાના લૂંટાઈ ગયા હતા. આ ઘટનાને એક મહિના જેટલો સમય વિતી ગયો ત્યારે એવી માહિતી સામે આવી છે કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, 



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .