Morbi Fake toll booth મામલે આટલા લોકોની કરાઈ ધરપકડ હજી આટલા પોલીસ પકડથી દૂર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 16:22:01

અનેક એવા કિસ્સાઓ છે, એવી ઘટનઓ છે જેમાં અનેક વર્ષો વિતી ગયા હોય પછી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. કાર્યવાહી થાય તો થાય બાકી પછી હરી હરી.... અનેક વખત સરકાર ઉંઘતી ઝડપાય છે. થોડા સમયથી નકલી પકડાવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકું ઝડપાય છે. કરોડોનું કૌભાંડ આચરવામાં આવે છે ત્યાં સુધી સરકારને આ અંગેની જાણકારી નથી હોતી. ત્યારે મોરબી નજીક વાંકાનેર પાસે ચાલતું નકલી બૂથ મળી આવ્યું હતું જેને લઈ અપડેટ સામે આવી છે. મળતી માહિતી અનુસાર બે લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. બીજા આરોપીઓ હજી ફરાર છે. 

બે લોકોની કરવામાં આવી ધરપકડ 

ગુજરાતમાં નકલી પકડાવાની ભરમાર જોવા મળી રહી છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત નકલી સીબીઆઈ અધિકારી પકડાય છે. આવા તો અનેક ઉદાહરણો છે આપણી સામે. ત્યારે થોડા સમય પહેલા નકલી ટોલનાકું ઝડપાયું હતું જેને કારણે દરેક જગ્યા પર આ અંગેની ચર્ચાઓ થઈ રહી હતી. અંદાજીત એક મહિનાનો સમય વિતી ગયો પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી તેવી વાતો વચ્ચે આ મામલે બે લોકોની ધરપકડ થઈ છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.  


નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત.... 

થોડા સમય પહેલા એક એવી ઘટનાનો ખુલાસો થયો જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મોરબીના વાંકાનેર નજીકથી એક નકલી ટોલનાકું ઝડપાયું હતું. મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે  સીરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવવામાં આવતું હતું અને જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી. સરકાર મુકપ્રેક્ષક બનીને જોતી રહી. આ આખી ઘટના સામે આવી ત્યારે કરોડો રૂપિચા જનતાના લૂંટાઈ ગયા હતા. આ ઘટનાને એક મહિના જેટલો સમય વિતી ગયો ત્યારે એવી માહિતી સામે આવી છે કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.