Morbi Fake toll booth મામલે આટલા લોકોની કરાઈ ધરપકડ હજી આટલા પોલીસ પકડથી દૂર, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-30 16:22:01

અનેક એવા કિસ્સાઓ છે, એવી ઘટનઓ છે જેમાં અનેક વર્ષો વિતી ગયા હોય પછી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. કાર્યવાહી થાય તો થાય બાકી પછી હરી હરી.... અનેક વખત સરકાર ઉંઘતી ઝડપાય છે. થોડા સમયથી નકલી પકડાવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકું ઝડપાય છે. કરોડોનું કૌભાંડ આચરવામાં આવે છે ત્યાં સુધી સરકારને આ અંગેની જાણકારી નથી હોતી. ત્યારે મોરબી નજીક વાંકાનેર પાસે ચાલતું નકલી બૂથ મળી આવ્યું હતું જેને લઈ અપડેટ સામે આવી છે. મળતી માહિતી અનુસાર બે લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. બીજા આરોપીઓ હજી ફરાર છે. 

બે લોકોની કરવામાં આવી ધરપકડ 

ગુજરાતમાં નકલી પકડાવાની ભરમાર જોવા મળી રહી છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત નકલી સીબીઆઈ અધિકારી પકડાય છે. આવા તો અનેક ઉદાહરણો છે આપણી સામે. ત્યારે થોડા સમય પહેલા નકલી ટોલનાકું ઝડપાયું હતું જેને કારણે દરેક જગ્યા પર આ અંગેની ચર્ચાઓ થઈ રહી હતી. અંદાજીત એક મહિનાનો સમય વિતી ગયો પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી તેવી વાતો વચ્ચે આ મામલે બે લોકોની ધરપકડ થઈ છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.  


નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત.... 

થોડા સમય પહેલા એક એવી ઘટનાનો ખુલાસો થયો જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મોરબીના વાંકાનેર નજીકથી એક નકલી ટોલનાકું ઝડપાયું હતું. મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે  સીરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવવામાં આવતું હતું અને જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી. સરકાર મુકપ્રેક્ષક બનીને જોતી રહી. આ આખી ઘટના સામે આવી ત્યારે કરોડો રૂપિચા જનતાના લૂંટાઈ ગયા હતા. આ ઘટનાને એક મહિના જેટલો સમય વિતી ગયો ત્યારે એવી માહિતી સામે આવી છે કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.