Morbi Fake toll booth મામલે આટલા લોકોની કરાઈ ધરપકડ હજી આટલા પોલીસ પકડથી દૂર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-30 16:22:01

અનેક એવા કિસ્સાઓ છે, એવી ઘટનઓ છે જેમાં અનેક વર્ષો વિતી ગયા હોય પછી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. કાર્યવાહી થાય તો થાય બાકી પછી હરી હરી.... અનેક વખત સરકાર ઉંઘતી ઝડપાય છે. થોડા સમયથી નકલી પકડાવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકું ઝડપાય છે. કરોડોનું કૌભાંડ આચરવામાં આવે છે ત્યાં સુધી સરકારને આ અંગેની જાણકારી નથી હોતી. ત્યારે મોરબી નજીક વાંકાનેર પાસે ચાલતું નકલી બૂથ મળી આવ્યું હતું જેને લઈ અપડેટ સામે આવી છે. મળતી માહિતી અનુસાર બે લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. બીજા આરોપીઓ હજી ફરાર છે. 

બે લોકોની કરવામાં આવી ધરપકડ 

ગુજરાતમાં નકલી પકડાવાની ભરમાર જોવા મળી રહી છે. કોઈ વખત નકલી સીએમઓ અધિકારી પકડાય છે તો કોઈ વખત નકલી સીબીઆઈ અધિકારી પકડાય છે. આવા તો અનેક ઉદાહરણો છે આપણી સામે. ત્યારે થોડા સમય પહેલા નકલી ટોલનાકું ઝડપાયું હતું જેને કારણે દરેક જગ્યા પર આ અંગેની ચર્ચાઓ થઈ રહી હતી. અંદાજીત એક મહિનાનો સમય વિતી ગયો પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી તેવી વાતો વચ્ચે આ મામલે બે લોકોની ધરપકડ થઈ છે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.  


નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત.... 

થોડા સમય પહેલા એક એવી ઘટનાનો ખુલાસો થયો જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મોરબીના વાંકાનેર નજીકથી એક નકલી ટોલનાકું ઝડપાયું હતું. મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે  સીરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવવામાં આવતું હતું અને જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી. સરકાર મુકપ્રેક્ષક બનીને જોતી રહી. આ આખી ઘટના સામે આવી ત્યારે કરોડો રૂપિચા જનતાના લૂંટાઈ ગયા હતા. આ ઘટનાને એક મહિના જેટલો સમય વિતી ગયો ત્યારે એવી માહિતી સામે આવી છે કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.