શિસ્ત ભંગ મામલે કોંગ્રેસે કરી પક્ષવિરુદ્ધ કામ કરનાર સામે કાર્યવાહી, 33 નેતાઓને કરાયા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-01-20 15:44:02

ગુજરાત વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. 182માંથી 156 સીટો ભાજપે પોતાના નામે કરી છે. ત્યારે કોંગ્રેસે આ ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. માત્ર 17 સીટોમાં કોંગ્રેસ સમેટાઈ ગઈ હતી. ત્યારે પક્ષવિરૂદ્ધ કામ કરનાર સામે પાર્ટી દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. ભાજપ તો એક્શન લેવાની છે પરંતુ તે પહેલા કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 33 જેટલા નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 


કોંગ્રેસે નેતા-કાર્યકર્તાઓ વિરૂદ્ધ લીધાં પગલાં 

ગયા મહિને ગુજરાતમાં ચૂંટણી યોજાઈ હતી. 182 સીટો માટે મતદાન યોજાયું હતું જેમાં ભાજપે 156 સીટો પર કબ્જો મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટો જ મળી હતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ પક્ષ દ્વારા પક્ષવિરોધી કામ કરનાર સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. ભાજપ, કોંગ્રસ દ્વારા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત કોંગ્રેસે 33 જેટલા નેતાઓ, કાર્યકર્તાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે અને સસ્પેન્ડ પણ કરી દીધા છે.    


કોઈને છોડવાના મૂડમાં નથી લાગતી કોંગ્રેસ પાર્ટી  

પક્ષ વિરૂદ્ધ કામ કરનાર સામે ભાજપ પગલાં લેવાની છે. ત્યારે કોંગ્રેસે તો કાર્યવાહી કરી દીધી છે. 33 જેટલા નેતાઓ સામે પગલાં લઈ લીધા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના કન્વીનરે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્તભંગ કર્યો હોવાની કુલ 71 ફરિયાદો મળી હતી. જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થાય છે. 33 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઉપરાંત 18 લોકોને રૂબરૂ મળીને નિર્ણય લેવામાં આવશે. 6 હોદ્દેદારોને પરત તેમના હોદ્દા આપવામાં આવ્યા છે. 4 અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી છે. કોંગ્રેસે 2 જિલ્લાના પ્રમુખને સસ્પેન્ડ કરી દીધા છે.    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.