શિસ્ત ભંગ મામલે કોંગ્રેસે કરી પક્ષવિરુદ્ધ કામ કરનાર સામે કાર્યવાહી, 33 નેતાઓને કરાયા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-01-20 15:44:02

ગુજરાત વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. 182માંથી 156 સીટો ભાજપે પોતાના નામે કરી છે. ત્યારે કોંગ્રેસે આ ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. માત્ર 17 સીટોમાં કોંગ્રેસ સમેટાઈ ગઈ હતી. ત્યારે પક્ષવિરૂદ્ધ કામ કરનાર સામે પાર્ટી દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. ભાજપ તો એક્શન લેવાની છે પરંતુ તે પહેલા કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 33 જેટલા નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 


કોંગ્રેસે નેતા-કાર્યકર્તાઓ વિરૂદ્ધ લીધાં પગલાં 

ગયા મહિને ગુજરાતમાં ચૂંટણી યોજાઈ હતી. 182 સીટો માટે મતદાન યોજાયું હતું જેમાં ભાજપે 156 સીટો પર કબ્જો મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટો જ મળી હતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ પક્ષ દ્વારા પક્ષવિરોધી કામ કરનાર સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. ભાજપ, કોંગ્રસ દ્વારા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત કોંગ્રેસે 33 જેટલા નેતાઓ, કાર્યકર્તાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે અને સસ્પેન્ડ પણ કરી દીધા છે.    


કોઈને છોડવાના મૂડમાં નથી લાગતી કોંગ્રેસ પાર્ટી  

પક્ષ વિરૂદ્ધ કામ કરનાર સામે ભાજપ પગલાં લેવાની છે. ત્યારે કોંગ્રેસે તો કાર્યવાહી કરી દીધી છે. 33 જેટલા નેતાઓ સામે પગલાં લઈ લીધા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના કન્વીનરે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્તભંગ કર્યો હોવાની કુલ 71 ફરિયાદો મળી હતી. જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થાય છે. 33 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઉપરાંત 18 લોકોને રૂબરૂ મળીને નિર્ણય લેવામાં આવશે. 6 હોદ્દેદારોને પરત તેમના હોદ્દા આપવામાં આવ્યા છે. 4 અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી છે. કોંગ્રેસે 2 જિલ્લાના પ્રમુખને સસ્પેન્ડ કરી દીધા છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.