શિસ્ત ભંગ મામલે કોંગ્રેસે કરી પક્ષવિરુદ્ધ કામ કરનાર સામે કાર્યવાહી, 33 નેતાઓને કરાયા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-01-20 15:44:02

ગુજરાત વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. 182માંથી 156 સીટો ભાજપે પોતાના નામે કરી છે. ત્યારે કોંગ્રેસે આ ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. માત્ર 17 સીટોમાં કોંગ્રેસ સમેટાઈ ગઈ હતી. ત્યારે પક્ષવિરૂદ્ધ કામ કરનાર સામે પાર્ટી દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. ભાજપ તો એક્શન લેવાની છે પરંતુ તે પહેલા કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 33 જેટલા નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 


કોંગ્રેસે નેતા-કાર્યકર્તાઓ વિરૂદ્ધ લીધાં પગલાં 

ગયા મહિને ગુજરાતમાં ચૂંટણી યોજાઈ હતી. 182 સીટો માટે મતદાન યોજાયું હતું જેમાં ભાજપે 156 સીટો પર કબ્જો મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસને માત્ર 17 સીટો જ મળી હતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ પક્ષ દ્વારા પક્ષવિરોધી કામ કરનાર સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. ભાજપ, કોંગ્રસ દ્વારા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત કોંગ્રેસે 33 જેટલા નેતાઓ, કાર્યકર્તાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે અને સસ્પેન્ડ પણ કરી દીધા છે.    


કોઈને છોડવાના મૂડમાં નથી લાગતી કોંગ્રેસ પાર્ટી  

પક્ષ વિરૂદ્ધ કામ કરનાર સામે ભાજપ પગલાં લેવાની છે. ત્યારે કોંગ્રેસે તો કાર્યવાહી કરી દીધી છે. 33 જેટલા નેતાઓ સામે પગલાં લઈ લીધા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના કન્વીનરે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્તભંગ કર્યો હોવાની કુલ 71 ફરિયાદો મળી હતી. જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થાય છે. 33 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઉપરાંત 18 લોકોને રૂબરૂ મળીને નિર્ણય લેવામાં આવશે. 6 હોદ્દેદારોને પરત તેમના હોદ્દા આપવામાં આવ્યા છે. 4 અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી છે. કોંગ્રેસે 2 જિલ્લાના પ્રમુખને સસ્પેન્ડ કરી દીધા છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.