આગામી દિવસોમાં ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થયો નોંધપાત્ર ઘટાડો


  • Published By :
  • Published Date : 2022-12-24 10:08:28

ડિસેમ્બર પૂર્ણ થવાને આરે છે. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીને કારણે અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ચમકારો વધારે જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરી અથવા તો માર્ચના પ્રથમ સપ્તાહ સુધી કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે.


ઠંડી વધતા સ્વેટરમાં લપેટાયા લોકો  

અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં તાપમાન 5 ડિગ્રી નીચે આવ્યું છે જેને કારણે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડી વધતા લોકો ગરમ કપડા પહેરેલા જોવા મળે છે. રાત્રે તેમજ દિવસ દરમિયાન ઠંડો પવન વહેતો હતો. 


વિવિધ શહેરોનું તાપમાન 

જો વિવિધ શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાનનો પારો 13 ડિગ્રી જેટલો પહોચ્યો હતો. સુરતમાં 18.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી નોંધાયું હતું, રાજકોટમાં 12.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાન નીચે ગગડી શકે છે જેને કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થવાનો છે. 


આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નલિયા તેમજ કચ્છમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ છે જેને કારણે ઠંડીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે. શિયાળાની મજા માણવા લોકો હિલસ્ટેશનની મુલાકાત પણ લઈ રહ્યા છે. ઠંડી વધતા વહેલી સવારે લોકો કસરત કરતા, દોડતા પણ દેખાય છે. આવનાર દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે જેને કારણે કડકડતી ઠંડીનો અનુભવ થવાનો છે.     




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.