આગામી દિવસોમાં ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થયો નોંધપાત્ર ઘટાડો


  • Published By :
  • Published Date : 2022-12-24 10:08:28

ડિસેમ્બર પૂર્ણ થવાને આરે છે. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીને કારણે અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ચમકારો વધારે જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરી અથવા તો માર્ચના પ્રથમ સપ્તાહ સુધી કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે.


ઠંડી વધતા સ્વેટરમાં લપેટાયા લોકો  

અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં તાપમાન 5 ડિગ્રી નીચે આવ્યું છે જેને કારણે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડી વધતા લોકો ગરમ કપડા પહેરેલા જોવા મળે છે. રાત્રે તેમજ દિવસ દરમિયાન ઠંડો પવન વહેતો હતો. 


વિવિધ શહેરોનું તાપમાન 

જો વિવિધ શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાનનો પારો 13 ડિગ્રી જેટલો પહોચ્યો હતો. સુરતમાં 18.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી નોંધાયું હતું, રાજકોટમાં 12.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાન નીચે ગગડી શકે છે જેને કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થવાનો છે. 


આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નલિયા તેમજ કચ્છમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ છે જેને કારણે ઠંડીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે. શિયાળાની મજા માણવા લોકો હિલસ્ટેશનની મુલાકાત પણ લઈ રહ્યા છે. ઠંડી વધતા વહેલી સવારે લોકો કસરત કરતા, દોડતા પણ દેખાય છે. આવનાર દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે જેને કારણે કડકડતી ઠંડીનો અનુભવ થવાનો છે.     




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.