આગામી દિવસોમાં ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થયો નોંધપાત્ર ઘટાડો


  • Published By :
  • Published Date : 2022-12-24 10:08:28

ડિસેમ્બર પૂર્ણ થવાને આરે છે. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીને કારણે અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ચમકારો વધારે જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરી અથવા તો માર્ચના પ્રથમ સપ્તાહ સુધી કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે.


ઠંડી વધતા સ્વેટરમાં લપેટાયા લોકો  

અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં તાપમાન 5 ડિગ્રી નીચે આવ્યું છે જેને કારણે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડી વધતા લોકો ગરમ કપડા પહેરેલા જોવા મળે છે. રાત્રે તેમજ દિવસ દરમિયાન ઠંડો પવન વહેતો હતો. 


વિવિધ શહેરોનું તાપમાન 

જો વિવિધ શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાનનો પારો 13 ડિગ્રી જેટલો પહોચ્યો હતો. સુરતમાં 18.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી નોંધાયું હતું, રાજકોટમાં 12.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાન નીચે ગગડી શકે છે જેને કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થવાનો છે. 


આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નલિયા તેમજ કચ્છમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ છે જેને કારણે ઠંડીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે. શિયાળાની મજા માણવા લોકો હિલસ્ટેશનની મુલાકાત પણ લઈ રહ્યા છે. ઠંડી વધતા વહેલી સવારે લોકો કસરત કરતા, દોડતા પણ દેખાય છે. આવનાર દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે જેને કારણે કડકડતી ઠંડીનો અનુભવ થવાનો છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.