આગામી દિવસોમાં ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થયો નોંધપાત્ર ઘટાડો


  • Published By :
  • Published Date : 2022-12-24 10:08:28

ડિસેમ્બર પૂર્ણ થવાને આરે છે. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીને કારણે અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ચમકારો વધારે જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરી અથવા તો માર્ચના પ્રથમ સપ્તાહ સુધી કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે.


ઠંડી વધતા સ્વેટરમાં લપેટાયા લોકો  

અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં તાપમાન 5 ડિગ્રી નીચે આવ્યું છે જેને કારણે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડી વધતા લોકો ગરમ કપડા પહેરેલા જોવા મળે છે. રાત્રે તેમજ દિવસ દરમિયાન ઠંડો પવન વહેતો હતો. 


વિવિધ શહેરોનું તાપમાન 

જો વિવિધ શહેરોના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં તાપમાનનો પારો 13 ડિગ્રી જેટલો પહોચ્યો હતો. સુરતમાં 18.2 ડિગ્રી, ગાંધીનગરમાં 13.4 ડિગ્રી નોંધાયું હતું, રાજકોટમાં 12.6 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાન નીચે ગગડી શકે છે જેને કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થવાનો છે. 


આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નલિયા તેમજ કચ્છમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ છે જેને કારણે ઠંડીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે. શિયાળાની મજા માણવા લોકો હિલસ્ટેશનની મુલાકાત પણ લઈ રહ્યા છે. ઠંડી વધતા વહેલી સવારે લોકો કસરત કરતા, દોડતા પણ દેખાય છે. આવનાર દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે જેને કારણે કડકડતી ઠંડીનો અનુભવ થવાનો છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.