અંતે BJPએ કમાને પણ બનાવ્યો સ્ટાર પ્રચારક,ડાયરાની જેમ અહીં પણ ‘ધૂમ’ એન્ટ્રી કરી…


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-21 16:42:36

ગુજરાતમાં અત્યારે ચુંટણીની તૈયારીયો ચાલી રહી છે તેવામાં હવે ભાવનગર શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે ‘કમા’ને મેદાનમાં ઉતાર્યો છે. કમો ભાજપનો ખેસ પહેરીને હાથમાં ધ્વજ લહેરાવતો નજરે પડી રહ્યો છે. લોકો તેની સાથે સેલ્ફિ લેતા પણ જોવા મળ્યા હતા. ચલો આના પર વિગતે ચર્ચા કરીએ… 


ડાયરાથી ચૂંટણી પ્રચાર સુધી કમાની બોલબાલા

કિર્તિદાન ગઢવીના ડાયરાથી ખ્યાતી મેળવનાર કમો અત્યારે ચૂંટણી પ્રચારમાં પણ સુપર હિટ બની ગયો છે. ભાજપે તેને ભાવનગર ખાતે મેદાનમાં ઉતાર્યો છે. કમો અત્યારે ભાજપનો ધ્વજ ફરકાવી પ્રચાર કરતો હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી માટે ચૂંટણી પ્રચાર કરવા માટે કમો મેદાને પડ્યો છે. તે જેવી રીતે ડાયરામાં એન્ટ્રી મારે છે તેવી જ રીતે ચૂંટણી પ્રચાર કરવામાં પ્રવેશ કરતો નજરે પડ્યો છે.


કમાની  જોરદાર એન્ટ્રી !!

કમો ગાડીના સનરૂફથી બહાર આવી ભાજપનો ધ્વજ ફરકાવવા લાગ્યો હતો. આ દરમિયાન લોકોએ પણ જોરશોરથી તેને વધાવ્યો હતો. અત્યારે તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. તો બીજી બાજુ ભાજપ દ્વારા કમાને ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતારતા ચર્ચાનો વિષય બન્યો છે.





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.