અંતે BJPએ કમાને પણ બનાવ્યો સ્ટાર પ્રચારક,ડાયરાની જેમ અહીં પણ ‘ધૂમ’ એન્ટ્રી કરી…


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-21 16:42:36

ગુજરાતમાં અત્યારે ચુંટણીની તૈયારીયો ચાલી રહી છે તેવામાં હવે ભાવનગર શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે ‘કમા’ને મેદાનમાં ઉતાર્યો છે. કમો ભાજપનો ખેસ પહેરીને હાથમાં ધ્વજ લહેરાવતો નજરે પડી રહ્યો છે. લોકો તેની સાથે સેલ્ફિ લેતા પણ જોવા મળ્યા હતા. ચલો આના પર વિગતે ચર્ચા કરીએ… 


ડાયરાથી ચૂંટણી પ્રચાર સુધી કમાની બોલબાલા

કિર્તિદાન ગઢવીના ડાયરાથી ખ્યાતી મેળવનાર કમો અત્યારે ચૂંટણી પ્રચારમાં પણ સુપર હિટ બની ગયો છે. ભાજપે તેને ભાવનગર ખાતે મેદાનમાં ઉતાર્યો છે. કમો અત્યારે ભાજપનો ધ્વજ ફરકાવી પ્રચાર કરતો હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી માટે ચૂંટણી પ્રચાર કરવા માટે કમો મેદાને પડ્યો છે. તે જેવી રીતે ડાયરામાં એન્ટ્રી મારે છે તેવી જ રીતે ચૂંટણી પ્રચાર કરવામાં પ્રવેશ કરતો નજરે પડ્યો છે.


કમાની  જોરદાર એન્ટ્રી !!

કમો ગાડીના સનરૂફથી બહાર આવી ભાજપનો ધ્વજ ફરકાવવા લાગ્યો હતો. આ દરમિયાન લોકોએ પણ જોરશોરથી તેને વધાવ્યો હતો. અત્યારે તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. તો બીજી બાજુ ભાજપ દ્વારા કમાને ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતારતા ચર્ચાનો વિષય બન્યો છે.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે