અંતે BJPએ કમાને પણ બનાવ્યો સ્ટાર પ્રચારક,ડાયરાની જેમ અહીં પણ ‘ધૂમ’ એન્ટ્રી કરી…


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-21 16:42:36

ગુજરાતમાં અત્યારે ચુંટણીની તૈયારીયો ચાલી રહી છે તેવામાં હવે ભાવનગર શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે ‘કમા’ને મેદાનમાં ઉતાર્યો છે. કમો ભાજપનો ખેસ પહેરીને હાથમાં ધ્વજ લહેરાવતો નજરે પડી રહ્યો છે. લોકો તેની સાથે સેલ્ફિ લેતા પણ જોવા મળ્યા હતા. ચલો આના પર વિગતે ચર્ચા કરીએ… 


ડાયરાથી ચૂંટણી પ્રચાર સુધી કમાની બોલબાલા

કિર્તિદાન ગઢવીના ડાયરાથી ખ્યાતી મેળવનાર કમો અત્યારે ચૂંટણી પ્રચારમાં પણ સુપર હિટ બની ગયો છે. ભાજપે તેને ભાવનગર ખાતે મેદાનમાં ઉતાર્યો છે. કમો અત્યારે ભાજપનો ધ્વજ ફરકાવી પ્રચાર કરતો હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભાવનગરમાં ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી માટે ચૂંટણી પ્રચાર કરવા માટે કમો મેદાને પડ્યો છે. તે જેવી રીતે ડાયરામાં એન્ટ્રી મારે છે તેવી જ રીતે ચૂંટણી પ્રચાર કરવામાં પ્રવેશ કરતો નજરે પડ્યો છે.


કમાની  જોરદાર એન્ટ્રી !!

કમો ગાડીના સનરૂફથી બહાર આવી ભાજપનો ધ્વજ ફરકાવવા લાગ્યો હતો. આ દરમિયાન લોકોએ પણ જોરશોરથી તેને વધાવ્યો હતો. અત્યારે તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. તો બીજી બાજુ ભાજપ દ્વારા કમાને ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતારતા ચર્ચાનો વિષય બન્યો છે.





રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.