2022ના અંતિમ 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર કરી વાત


  • Published By :
  • Published Date : 2022-12-25 16:42:15

દર મહિનાના અંતિમ રવિવારે નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધતા હોય છે. ત્યારે આજે પીએમ મોદીએ વર્ષ 2022માં છેલ્લી વખત મન કી બાત કરી હતી. 96મી વાર તેમણે મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ 2022માં ભારતને મળેલી ઉપલબ્ધિયો વિશે વાત કરી હતી. ઉપરાંત પોતાની વાતમાં અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતા.

 


અટલજીને પોતાના સંબોધનમાં કર્યા યાદ

અટલજીને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે વાજપેયી એક મહાન રાજનેતા હતા. તેમના નેતૃત્ન હેઠળ ભારત શિક્ષણ નીતિ, વિદેશ નીતિ સહિતના વિષયો પર તેઓ ભારતને આગળ લઈ ગયા હતા. તેમને ઘણા લોકો પોતાના આદર્શ માને છે. ઉપરાંત પોતાના સંબોધનમાં સ્વચ્છ ભારત અભિયાનની પણ વાત કરી હતી. માતા ગંગાને સાફ કરવા પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.      


2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવાનું છે - પીએમ 

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે વર્ષ 2022 ભારત માટે ઘણી રીતે પ્રેરણાદાણી રહ્યું છે. ભારતે આ વર્ષે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. હર ઘર તિરંગા અભિયાનમાં ભારતની એકતા જોવા મળી હતી. મન કી બાતમાં પીએમ મોદીએ દેશને ટીબી મુક્ત કરાવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે અમારી સરકાર 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.