2022ના અંતિમ 'મન કી બાત' કાર્યક્રમમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર કરી વાત


  • Published By :
  • Published Date : 2022-12-25 16:42:15

દર મહિનાના અંતિમ રવિવારે નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધતા હોય છે. ત્યારે આજે પીએમ મોદીએ વર્ષ 2022માં છેલ્લી વખત મન કી બાત કરી હતી. 96મી વાર તેમણે મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ 2022માં ભારતને મળેલી ઉપલબ્ધિયો વિશે વાત કરી હતી. ઉપરાંત પોતાની વાતમાં અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતા.

 


અટલજીને પોતાના સંબોધનમાં કર્યા યાદ

અટલજીને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે વાજપેયી એક મહાન રાજનેતા હતા. તેમના નેતૃત્ન હેઠળ ભારત શિક્ષણ નીતિ, વિદેશ નીતિ સહિતના વિષયો પર તેઓ ભારતને આગળ લઈ ગયા હતા. તેમને ઘણા લોકો પોતાના આદર્શ માને છે. ઉપરાંત પોતાના સંબોધનમાં સ્વચ્છ ભારત અભિયાનની પણ વાત કરી હતી. માતા ગંગાને સાફ કરવા પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.      


2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવાનું છે - પીએમ 

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે વર્ષ 2022 ભારત માટે ઘણી રીતે પ્રેરણાદાણી રહ્યું છે. ભારતે આ વર્ષે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. હર ઘર તિરંગા અભિયાનમાં ભારતની એકતા જોવા મળી હતી. મન કી બાતમાં પીએમ મોદીએ દેશને ટીબી મુક્ત કરાવાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે અમારી સરકાર 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવા માટે ઝડપથી કામ કરી રહી છે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.