દેશમાં છેલ્લા 24 કલાકમા કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 63 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-19 11:47:36

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10542 નવા કેસ નોંધાયા છે જ્યારે 38 જેટલા લોકોના મોત કોરોના સંક્રમણને કારણે થયા છે. મંગળવારે કોરોનાના 7 હજાર જેટલા કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે કોરોના કેસમાં ગઈ કાલ કરતા ઉછાળો જોવા મળ્યો છે. એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે અને આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 63 હજારને પાર પહોંચી ગઈ છે.

  

દેશમાં કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ નોંધાયા     

કોરોના સંક્રમણમાં બે ત્રણ દિવસથી ઘટાડો જોવા મળ્યો હતો. 14 એપ્રિલે કોરોનાના 10 હજાર 753 કેસ નોંધાયા હતા. 15 એપ્રિલે 10 હજાર 93 કેસ સામે આવ્યા હતા. 16 એપ્રિલે 9 હજાર 111 કેસ નોંધાયા હતા જ્યારે 17 એપ્રિલે 7 હજાર 633 કેસ નોંધાયા હતા. ત્યારે આજે કોરોનાના ફરી એક વખત 10 હજારને પાર કેસ નોંધાયા છે. કોરોનાને કારણે મૃત્યુ આંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 38 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 


રાજ્યોમાં નોંધાયા આટલા કેસ!

કેરળમાં કોરોનાના 2041 નવા કેસ સામે આવ્યા છે જ્યારે દિલ્હીથી 1537 કેસ સામે આવ્યા છે. હરિયાણામાં 965 કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 949 જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે. ઉત્તરપ્રદેશથી 818 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં 300થી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. કેન્દ્ર સરકાર પણ કોરોના કેસમાં વધારો થતા એક્ટિવ થઈ ગઈ છે. પાંચ લાખથી વધુ લોકોના મોત કોરોનાને કારણે થઈ ગયા છે.      



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.