દેશમાં છેલ્લા 24 કલાકમા કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 63 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-19 11:47:36

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10542 નવા કેસ નોંધાયા છે જ્યારે 38 જેટલા લોકોના મોત કોરોના સંક્રમણને કારણે થયા છે. મંગળવારે કોરોનાના 7 હજાર જેટલા કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે કોરોના કેસમાં ગઈ કાલ કરતા ઉછાળો જોવા મળ્યો છે. એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે અને આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 63 હજારને પાર પહોંચી ગઈ છે.

  

દેશમાં કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ નોંધાયા     

કોરોના સંક્રમણમાં બે ત્રણ દિવસથી ઘટાડો જોવા મળ્યો હતો. 14 એપ્રિલે કોરોનાના 10 હજાર 753 કેસ નોંધાયા હતા. 15 એપ્રિલે 10 હજાર 93 કેસ સામે આવ્યા હતા. 16 એપ્રિલે 9 હજાર 111 કેસ નોંધાયા હતા જ્યારે 17 એપ્રિલે 7 હજાર 633 કેસ નોંધાયા હતા. ત્યારે આજે કોરોનાના ફરી એક વખત 10 હજારને પાર કેસ નોંધાયા છે. કોરોનાને કારણે મૃત્યુ આંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 38 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 


રાજ્યોમાં નોંધાયા આટલા કેસ!

કેરળમાં કોરોનાના 2041 નવા કેસ સામે આવ્યા છે જ્યારે દિલ્હીથી 1537 કેસ સામે આવ્યા છે. હરિયાણામાં 965 કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 949 જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે. ઉત્તરપ્રદેશથી 818 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં 300થી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. કેન્દ્ર સરકાર પણ કોરોના કેસમાં વધારો થતા એક્ટિવ થઈ ગઈ છે. પાંચ લાખથી વધુ લોકોના મોત કોરોનાને કારણે થઈ ગયા છે.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.