દેશમાં છેલ્લા 24 કલાકમા કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 63 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-19 11:47:36

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10542 નવા કેસ નોંધાયા છે જ્યારે 38 જેટલા લોકોના મોત કોરોના સંક્રમણને કારણે થયા છે. મંગળવારે કોરોનાના 7 હજાર જેટલા કેસ સામે આવ્યા હતા. ત્યારે આજે કોરોના કેસમાં ગઈ કાલ કરતા ઉછાળો જોવા મળ્યો છે. એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે અને આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા 63 હજારને પાર પહોંચી ગઈ છે.

  

દેશમાં કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ નોંધાયા     

કોરોના સંક્રમણમાં બે ત્રણ દિવસથી ઘટાડો જોવા મળ્યો હતો. 14 એપ્રિલે કોરોનાના 10 હજાર 753 કેસ નોંધાયા હતા. 15 એપ્રિલે 10 હજાર 93 કેસ સામે આવ્યા હતા. 16 એપ્રિલે 9 હજાર 111 કેસ નોંધાયા હતા જ્યારે 17 એપ્રિલે 7 હજાર 633 કેસ નોંધાયા હતા. ત્યારે આજે કોરોનાના ફરી એક વખત 10 હજારને પાર કેસ નોંધાયા છે. કોરોનાને કારણે મૃત્યુ આંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 38 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 


રાજ્યોમાં નોંધાયા આટલા કેસ!

કેરળમાં કોરોનાના 2041 નવા કેસ સામે આવ્યા છે જ્યારે દિલ્હીથી 1537 કેસ સામે આવ્યા છે. હરિયાણામાં 965 કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં 949 જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ ગયા છે. ઉત્તરપ્રદેશથી 818 કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં 300થી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. કેન્દ્ર સરકાર પણ કોરોના કેસમાં વધારો થતા એક્ટિવ થઈ ગઈ છે. પાંચ લાખથી વધુ લોકોના મોત કોરોનાને કારણે થઈ ગયા છે.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.