છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધારે લોકો થયા કોરોના સંક્રમિત, જાણો કયા રાજ્યોમાં નોંધાયા સૌથી વધારે કેસ


  • Published By :
  • Published Date : 2023-04-10 11:19:04

કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. ભારતમાં કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો કોરોના સંક્રમિત થયા તે આંકડો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા કોરોના કેસનો આંકડો 6 હજારને પાર નોંધાયો હતો ત્યારે આજે કોરોના સંક્રમિતોનો આંકડો 5 હજાર 880 નોંધાયો છે. ગઈ કાલે કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5357 લોકો કોરોના સંક્રમિત થયા હતા. આજે કોરોનાને કારણે 12 જેટલા લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 35 હજાર 199 થઈ ગઈછે.

    

સમગ્ર દેશમાં ચાલી રહી છે મોક ડ્રિલ

મહત્વનું છે દેશમાં વધતા કોરોના કેસને જોતા સમગ્ર દેશમાં આજે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યોની કોરોના હોસ્પિટલોમાં મોક ડ્રિલ યોજાશે. બે દિવસ આ મોક ડ્રિલ ચાલવાનું છે. દિલ્હીની હોસ્પિટલ ખાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે. 


આ રાજ્યોમાં નોંધાયા વધારે કેસ 

મહત્વનું છે કે દિલ્હીમાં કોરોનાના નવા 699 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ચાર દર્દીઓના મોત થઈ ગયા છે. વધતા કોરોના સંક્રમણને જોતા માસ્ક પહેરવું ફરજિયાત અંગે દિલ્હી સરકાર વિચારી રહી છે. કેરળમાં પણ કોરોનાના અનેક કેસ નોંધાયા છે. કેરળમાં કોરોનાના 1801 નવા કેસ નોંધાયા છે. કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 12433 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 788 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. હરિયાણાથી કોરોનાના 428 કેસ સામે આ વ્યા છે. રાજ્યમાં 283 એક્ટિવ કેસ છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.