છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધારે લોકો થયા કોરોના સંક્રમિત, જાણો કયા રાજ્યોમાં નોંધાયા સૌથી વધારે કેસ


  • Published By :
  • Published Date : 2023-04-10 11:19:04

કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. ભારતમાં કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો કોરોના સંક્રમિત થયા તે આંકડો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા કોરોના કેસનો આંકડો 6 હજારને પાર નોંધાયો હતો ત્યારે આજે કોરોના સંક્રમિતોનો આંકડો 5 હજાર 880 નોંધાયો છે. ગઈ કાલે કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5357 લોકો કોરોના સંક્રમિત થયા હતા. આજે કોરોનાને કારણે 12 જેટલા લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 35 હજાર 199 થઈ ગઈછે.

    

સમગ્ર દેશમાં ચાલી રહી છે મોક ડ્રિલ

મહત્વનું છે દેશમાં વધતા કોરોના કેસને જોતા સમગ્ર દેશમાં આજે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યોની કોરોના હોસ્પિટલોમાં મોક ડ્રિલ યોજાશે. બે દિવસ આ મોક ડ્રિલ ચાલવાનું છે. દિલ્હીની હોસ્પિટલ ખાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે. 


આ રાજ્યોમાં નોંધાયા વધારે કેસ 

મહત્વનું છે કે દિલ્હીમાં કોરોનાના નવા 699 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ચાર દર્દીઓના મોત થઈ ગયા છે. વધતા કોરોના સંક્રમણને જોતા માસ્ક પહેરવું ફરજિયાત અંગે દિલ્હી સરકાર વિચારી રહી છે. કેરળમાં પણ કોરોનાના અનેક કેસ નોંધાયા છે. કેરળમાં કોરોનાના 1801 નવા કેસ નોંધાયા છે. કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 12433 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 788 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. હરિયાણાથી કોરોનાના 428 કેસ સામે આ વ્યા છે. રાજ્યમાં 283 એક્ટિવ કેસ છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.