છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધારે લોકો થયા કોરોના સંક્રમિત, જાણો કયા રાજ્યોમાં નોંધાયા સૌથી વધારે કેસ


  • Published By :
  • Published Date : 2023-04-10 11:19:04

કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. ભારતમાં કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો કોરોના સંક્રમિત થયા તે આંકડો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલા કોરોના કેસનો આંકડો 6 હજારને પાર નોંધાયો હતો ત્યારે આજે કોરોના સંક્રમિતોનો આંકડો 5 હજાર 880 નોંધાયો છે. ગઈ કાલે કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5357 લોકો કોરોના સંક્રમિત થયા હતા. આજે કોરોનાને કારણે 12 જેટલા લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 35 હજાર 199 થઈ ગઈછે.

    

સમગ્ર દેશમાં ચાલી રહી છે મોક ડ્રિલ

મહત્વનું છે દેશમાં વધતા કોરોના કેસને જોતા સમગ્ર દેશમાં આજે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યોની કોરોના હોસ્પિટલોમાં મોક ડ્રિલ યોજાશે. બે દિવસ આ મોક ડ્રિલ ચાલવાનું છે. દિલ્હીની હોસ્પિટલ ખાતે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે. 


આ રાજ્યોમાં નોંધાયા વધારે કેસ 

મહત્વનું છે કે દિલ્હીમાં કોરોનાના નવા 699 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ચાર દર્દીઓના મોત થઈ ગયા છે. વધતા કોરોના સંક્રમણને જોતા માસ્ક પહેરવું ફરજિયાત અંગે દિલ્હી સરકાર વિચારી રહી છે. કેરળમાં પણ કોરોનાના અનેક કેસ નોંધાયા છે. કેરળમાં કોરોનાના 1801 નવા કેસ નોંધાયા છે. કેરળમાં એક્ટિવ કેસની સંખ્યા 12433 પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 788 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. હરિયાણાથી કોરોનાના 428 કેસ સામે આ વ્યા છે. રાજ્યમાં 283 એક્ટિવ કેસ છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.