ઉનાળાની વચ્ચે હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, જગતનો તાત થતો ચિંતિત


  • Published By :
  • Published Date : 2023-03-02 13:58:40

ઉનાળાની ગરમીનો અનુભવ ફેબ્રુઆરી મહિનાથી જ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાપમાનનો પારો 38 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ચાર અને પાંચ માર્ચે કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરી છે. માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે.  


બેવડી ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ  

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. ન માત્ર રાજ્યનું હવામાન વિચિત્ર થયું છે પરંતુ દેશનું હવામાન પણ વિચિત્ર થઈ ગયું છે. કોઈ સ્થળે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો જગ્યા પર વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પોતાના પાકને લઈને ચિંતા થઈ રહી છે. 


માવઠાની આગાહી થતા ખેડૂતો બન્યા ચિંતિત 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રીજી તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે ચોથી અને પાંચમી તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા જગતનો તાત ચિંતિત થયો છે. ખેડૂતોને અનેક વખત પાકને લઈ પોષણસમા ભાવ નથી મળતા ત્યારે કમોસમી વરસાદથી તેમને પાકની સુરક્ષાને લઈ ચિંતા સતાવી રહી છે. પૈસા ન મળતા ખેડૂતોને રડવાનો વારો આવે છે ત્યારે જો પાક નિષ્ફળ જશે તો તેમની સ્થિતિ અત્યંત દયનિય બની જશે.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.