ઉનાળાની વચ્ચે હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, જગતનો તાત થતો ચિંતિત


  • Published By :
  • Published Date : 2023-03-02 13:58:40

ઉનાળાની ગરમીનો અનુભવ ફેબ્રુઆરી મહિનાથી જ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાપમાનનો પારો 38 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ચાર અને પાંચ માર્ચે કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરી છે. માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે.  


બેવડી ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ  

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. ન માત્ર રાજ્યનું હવામાન વિચિત્ર થયું છે પરંતુ દેશનું હવામાન પણ વિચિત્ર થઈ ગયું છે. કોઈ સ્થળે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો જગ્યા પર વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પોતાના પાકને લઈને ચિંતા થઈ રહી છે. 


માવઠાની આગાહી થતા ખેડૂતો બન્યા ચિંતિત 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રીજી તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે ચોથી અને પાંચમી તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા જગતનો તાત ચિંતિત થયો છે. ખેડૂતોને અનેક વખત પાકને લઈ પોષણસમા ભાવ નથી મળતા ત્યારે કમોસમી વરસાદથી તેમને પાકની સુરક્ષાને લઈ ચિંતા સતાવી રહી છે. પૈસા ન મળતા ખેડૂતોને રડવાનો વારો આવે છે ત્યારે જો પાક નિષ્ફળ જશે તો તેમની સ્થિતિ અત્યંત દયનિય બની જશે.       




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.