ઉનાળાની વચ્ચે હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, જગતનો તાત થતો ચિંતિત


  • Published By :
  • Published Date : 2023-03-02 13:58:40

ઉનાળાની ગરમીનો અનુભવ ફેબ્રુઆરી મહિનાથી જ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાપમાનનો પારો 38 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ચાર અને પાંચ માર્ચે કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરી છે. માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે.  


બેવડી ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ  

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. ન માત્ર રાજ્યનું હવામાન વિચિત્ર થયું છે પરંતુ દેશનું હવામાન પણ વિચિત્ર થઈ ગયું છે. કોઈ સ્થળે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો જગ્યા પર વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પોતાના પાકને લઈને ચિંતા થઈ રહી છે. 


માવઠાની આગાહી થતા ખેડૂતો બન્યા ચિંતિત 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રીજી તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે ચોથી અને પાંચમી તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા જગતનો તાત ચિંતિત થયો છે. ખેડૂતોને અનેક વખત પાકને લઈ પોષણસમા ભાવ નથી મળતા ત્યારે કમોસમી વરસાદથી તેમને પાકની સુરક્ષાને લઈ ચિંતા સતાવી રહી છે. પૈસા ન મળતા ખેડૂતોને રડવાનો વારો આવે છે ત્યારે જો પાક નિષ્ફળ જશે તો તેમની સ્થિતિ અત્યંત દયનિય બની જશે.       




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.