ઉનાળાની વચ્ચે હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી, જગતનો તાત થતો ચિંતિત


  • Published By :
  • Published Date : 2023-03-02 13:58:40

ઉનાળાની ગરમીનો અનુભવ ફેબ્રુઆરી મહિનાથી જ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાપમાનનો પારો 38 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ચાર અને પાંચ માર્ચે કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરી છે. માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે.  


બેવડી ઋતુનો થઈ રહ્યો છે અહેસાસ  

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે. ન માત્ર રાજ્યનું હવામાન વિચિત્ર થયું છે પરંતુ દેશનું હવામાન પણ વિચિત્ર થઈ ગયું છે. કોઈ સ્થળે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો જગ્યા પર વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પોતાના પાકને લઈને ચિંતા થઈ રહી છે. 


માવઠાની આગાહી થતા ખેડૂતો બન્યા ચિંતિત 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રીજી તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે ચોથી અને પાંચમી તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. માવઠાની આગાહી કરાતા જગતનો તાત ચિંતિત થયો છે. ખેડૂતોને અનેક વખત પાકને લઈ પોષણસમા ભાવ નથી મળતા ત્યારે કમોસમી વરસાદથી તેમને પાકની સુરક્ષાને લઈ ચિંતા સતાવી રહી છે. પૈસા ન મળતા ખેડૂતોને રડવાનો વારો આવે છે ત્યારે જો પાક નિષ્ફળ જશે તો તેમની સ્થિતિ અત્યંત દયનિય બની જશે.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.