ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.
મેઘાલય પોલીસને ઈંદોરના બિઝનેસમેન રાજા રઘુવંશી હત્યા કેસને ઉકેલવામાં સફળતા હાથ લાગી છે . જે અંતર્ગત તેમણે ૩ વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં રાજા રઘુવંશીના પત્ની સોનમ રઘુવંશીની પણ ધરપકડ કરવામાં આવી છે. સોનમ રઘુવંશી જે 23 મેથી ગુમ હતા હવે તેમણે ઉત્તર પ્રદેશના ગાઝીપુર ખાતે સરન્ડર કર્યું છે . આ તેનો પેહલો ફોટો બહાર આવ્યો છે . પોલીસ અધિકારીઓએ આ મામલે જાણકારી આપતા કહ્યું છે કે , " અમને સોમવારે રાત્રે 2 વાગે માહિતી મળી હતી કે એક અજાણ્યા મહિલા ઢાભા પર બેઠા છે. ઢાભા ઓપરેટરે ૧૧૨ પર કોલ કરીને જાણકારી આપી. આ પછી પોલીસ પહોંચી ગઈ. તે પછી પોલીસે મહિલાને સરકારી દવાખાનામાં દાખલ કર્યા. આ પછી તેમને વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવી. તે પછી આ મહિલાએ કહ્યું કે , મારુ નામ સોનમ રઘુવંશી છે."
આ દરમિયાન મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ એક પોસ્ટમાં માહિતી આપી હતી કે આ ઘટનામાં સામેલ ત્રણ હુમલાખોરોની પણ ધરપકડ કરવામાં આવી છે. હુમલાખોરો મધ્યપ્રદેશના છે. હાલ અન્ય એક હુમલાખોરની શોધ ચાલુ છે.
સોનમના પિતાએ એ માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે કે તેમની પુત્રી તેના પતિની હત્યા કરાવી શકે છે. તેઓ કહે છે કે મારી પુત્રી નિર્દોષ છે. મેઘાલય પોલીસે તેને ફસાવવા માટે ખોટી વાર્તા બનાવી છે.
આ કેસની ટાઈમલાઈન પર એક નજર કરીએ...
11 મે : રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના લગન થયા .
20 મે : દંપત્તિ હનીમૂન મનાવવા માટે ઇન્દોરથી મેઘાલય ગયું .
23 મે : તેમના ગુમ થયાની ખબર સામે આવી .
2જી જૂન : રાજા રઘુવંશીની મૃતદેહ મળી આવ્યો .
હવે સોનમ રઘુવંશીની ધરપકડ સામે આવી .