ઈંદોરના હનીમૂન કાંડમાં સોનમ રઘુવંશીની ધરપકડ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-09 12:35:03

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે  પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે. 

Author_ Jyoti on X: "Somehow I had a strong doubt about the wife Sonam  Raghuvanshi, that MP couple who got missing in Meghalaya during their  honeymoon. Following the trend of killing husbands

મેઘાલય પોલીસને ઈંદોરના બિઝનેસમેન રાજા રઘુવંશી હત્યા કેસને ઉકેલવામાં સફળતા હાથ લાગી છે . જે અંતર્ગત તેમણે ૩ વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં રાજા રઘુવંશીના પત્ની સોનમ રઘુવંશીની પણ ધરપકડ કરવામાં આવી છે. સોનમ રઘુવંશી જે 23 મેથી ગુમ હતા હવે તેમણે ઉત્તર પ્રદેશના ગાઝીપુર ખાતે સરન્ડર કર્યું છે . આ તેનો પેહલો ફોટો બહાર આવ્યો છે . પોલીસ અધિકારીઓએ આ મામલે જાણકારી આપતા કહ્યું છે કે , " અમને સોમવારે રાત્રે 2 વાગે માહિતી મળી હતી કે એક અજાણ્યા મહિલા ઢાભા પર બેઠા છે. ઢાભા ઓપરેટરે ૧૧૨ પર કોલ કરીને જાણકારી આપી. આ પછી પોલીસ પહોંચી ગઈ. તે પછી પોલીસે મહિલાને સરકારી દવાખાનામાં દાખલ કર્યા. આ પછી તેમને વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવી. તે પછી આ મહિલાએ કહ્યું કે , મારુ નામ સોનમ રઘુવંશી છે." 

આ દરમિયાન મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ એક પોસ્ટમાં માહિતી આપી હતી કે આ ઘટનામાં સામેલ ત્રણ હુમલાખોરોની પણ ધરપકડ કરવામાં આવી છે. હુમલાખોરો મધ્યપ્રદેશના છે. હાલ અન્ય એક હુમલાખોરની શોધ ચાલુ છે.

Meghalaya murder: From couple's disappearance to wife Sonam Raghuvanshi's  arrest. See timeline of events | Latest News India - Hindustan Times

સોનમના પિતાએ એ માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે કે તેમની પુત્રી તેના પતિની હત્યા કરાવી શકે છે. તેઓ કહે છે કે મારી પુત્રી નિર્દોષ છે. મેઘાલય પોલીસે તેને ફસાવવા માટે ખોટી વાર્તા બનાવી છે.

આ કેસની ટાઈમલાઈન પર એક નજર કરીએ...

11 મે : રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના લગન થયા . 

20 મે : દંપત્તિ હનીમૂન મનાવવા માટે ઇન્દોરથી મેઘાલય ગયું . 

23 મે : તેમના ગુમ થયાની ખબર સામે આવી . 

2જી જૂન : રાજા રઘુવંશીની મૃતદેહ મળી આવ્યો . 

હવે સોનમ રઘુવંશીની ધરપકડ સામે આવી . 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.