ઈંદોરના હનીમૂન કાંડમાં સોનમ રઘુવંશીની ધરપકડ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-09 12:35:03

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે  પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે. 

Author_ Jyoti on X: "Somehow I had a strong doubt about the wife Sonam  Raghuvanshi, that MP couple who got missing in Meghalaya during their  honeymoon. Following the trend of killing husbands

મેઘાલય પોલીસને ઈંદોરના બિઝનેસમેન રાજા રઘુવંશી હત્યા કેસને ઉકેલવામાં સફળતા હાથ લાગી છે . જે અંતર્ગત તેમણે ૩ વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં રાજા રઘુવંશીના પત્ની સોનમ રઘુવંશીની પણ ધરપકડ કરવામાં આવી છે. સોનમ રઘુવંશી જે 23 મેથી ગુમ હતા હવે તેમણે ઉત્તર પ્રદેશના ગાઝીપુર ખાતે સરન્ડર કર્યું છે . આ તેનો પેહલો ફોટો બહાર આવ્યો છે . પોલીસ અધિકારીઓએ આ મામલે જાણકારી આપતા કહ્યું છે કે , " અમને સોમવારે રાત્રે 2 વાગે માહિતી મળી હતી કે એક અજાણ્યા મહિલા ઢાભા પર બેઠા છે. ઢાભા ઓપરેટરે ૧૧૨ પર કોલ કરીને જાણકારી આપી. આ પછી પોલીસ પહોંચી ગઈ. તે પછી પોલીસે મહિલાને સરકારી દવાખાનામાં દાખલ કર્યા. આ પછી તેમને વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવી. તે પછી આ મહિલાએ કહ્યું કે , મારુ નામ સોનમ રઘુવંશી છે." 

આ દરમિયાન મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ એક પોસ્ટમાં માહિતી આપી હતી કે આ ઘટનામાં સામેલ ત્રણ હુમલાખોરોની પણ ધરપકડ કરવામાં આવી છે. હુમલાખોરો મધ્યપ્રદેશના છે. હાલ અન્ય એક હુમલાખોરની શોધ ચાલુ છે.

Meghalaya murder: From couple's disappearance to wife Sonam Raghuvanshi's  arrest. See timeline of events | Latest News India - Hindustan Times

સોનમના પિતાએ એ માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે કે તેમની પુત્રી તેના પતિની હત્યા કરાવી શકે છે. તેઓ કહે છે કે મારી પુત્રી નિર્દોષ છે. મેઘાલય પોલીસે તેને ફસાવવા માટે ખોટી વાર્તા બનાવી છે.

આ કેસની ટાઈમલાઈન પર એક નજર કરીએ...

11 મે : રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના લગન થયા . 

20 મે : દંપત્તિ હનીમૂન મનાવવા માટે ઇન્દોરથી મેઘાલય ગયું . 

23 મે : તેમના ગુમ થયાની ખબર સામે આવી . 

2જી જૂન : રાજા રઘુવંશીની મૃતદેહ મળી આવ્યો . 

હવે સોનમ રઘુવંશીની ધરપકડ સામે આવી . 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.