ઈંદોરના હનીમૂન કાંડમાં સોનમ રઘુવંશીની ધરપકડ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-09 12:35:03

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે  પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે. 

Author_ Jyoti on X: "Somehow I had a strong doubt about the wife Sonam  Raghuvanshi, that MP couple who got missing in Meghalaya during their  honeymoon. Following the trend of killing husbands

મેઘાલય પોલીસને ઈંદોરના બિઝનેસમેન રાજા રઘુવંશી હત્યા કેસને ઉકેલવામાં સફળતા હાથ લાગી છે . જે અંતર્ગત તેમણે ૩ વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં રાજા રઘુવંશીના પત્ની સોનમ રઘુવંશીની પણ ધરપકડ કરવામાં આવી છે. સોનમ રઘુવંશી જે 23 મેથી ગુમ હતા હવે તેમણે ઉત્તર પ્રદેશના ગાઝીપુર ખાતે સરન્ડર કર્યું છે . આ તેનો પેહલો ફોટો બહાર આવ્યો છે . પોલીસ અધિકારીઓએ આ મામલે જાણકારી આપતા કહ્યું છે કે , " અમને સોમવારે રાત્રે 2 વાગે માહિતી મળી હતી કે એક અજાણ્યા મહિલા ઢાભા પર બેઠા છે. ઢાભા ઓપરેટરે ૧૧૨ પર કોલ કરીને જાણકારી આપી. આ પછી પોલીસ પહોંચી ગઈ. તે પછી પોલીસે મહિલાને સરકારી દવાખાનામાં દાખલ કર્યા. આ પછી તેમને વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવી. તે પછી આ મહિલાએ કહ્યું કે , મારુ નામ સોનમ રઘુવંશી છે." 

આ દરમિયાન મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ એક પોસ્ટમાં માહિતી આપી હતી કે આ ઘટનામાં સામેલ ત્રણ હુમલાખોરોની પણ ધરપકડ કરવામાં આવી છે. હુમલાખોરો મધ્યપ્રદેશના છે. હાલ અન્ય એક હુમલાખોરની શોધ ચાલુ છે.

Meghalaya murder: From couple's disappearance to wife Sonam Raghuvanshi's  arrest. See timeline of events | Latest News India - Hindustan Times

સોનમના પિતાએ એ માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે કે તેમની પુત્રી તેના પતિની હત્યા કરાવી શકે છે. તેઓ કહે છે કે મારી પુત્રી નિર્દોષ છે. મેઘાલય પોલીસે તેને ફસાવવા માટે ખોટી વાર્તા બનાવી છે.

આ કેસની ટાઈમલાઈન પર એક નજર કરીએ...

11 મે : રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના લગન થયા . 

20 મે : દંપત્તિ હનીમૂન મનાવવા માટે ઇન્દોરથી મેઘાલય ગયું . 

23 મે : તેમના ગુમ થયાની ખબર સામે આવી . 

2જી જૂન : રાજા રઘુવંશીની મૃતદેહ મળી આવ્યો . 

હવે સોનમ રઘુવંશીની ધરપકડ સામે આવી . 




ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.