પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં વાયરલ થયો ક્ષત્રિયાણીનો ઓડિયો, રિવાબા જાડેજાને પૂછ્યા સવાલ? સાંભળો ઓડિયો


  • Published By :
  • Published Date : 2024-04-10 12:14:11

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. પરંતુ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ સાથે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો. આ વિવાદમાં અનેક રાજવી પરિવારના નિવેદનો સામે આવ્યા. પરંતુ અનેક એવા ચહેરા છે જે મૌન લઈને બેઠા છે. આ બધા વચ્ચે એક ક્ષત્રિય મહિલાનો ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે રિવાબા જાડેજાના મૌન અંગે સવાલ ઉઠાવ્યો છે.    

અનેક રાજવી પરિવાર દ્વારા આ મામલે આપવામાં  આવી પ્રતિક્રિયા

ક્ષત્રિય સમાજના પરષોત્તમ રૂપાલા સામે ચાલી રહેલા વિવાદમાં એક એવા ચહેરા સામે પ્રશ્ન થઈ રહ્યો છે જે મૌન બેઠો છે, જેણે આખા વિવાદમાં એક હરફ પણ નથી ઉચ્ચાર્યો, એક એવો ચહેરો જેની રાજપૂતોએ સૌથી વધારે સરાહના કરી એ જ ચહેરો એમની અપેક્ષાના સમયે ગાયબ થયો છે. કથિત ભાજપૂતોની યાદીમાં ટોચનું નામ રિવાબા જાડેજાનું છે. ક્ષત્રિય વર્સીસ રૂપાલાના વિવાદમાં જામ સાહેબ બોલ્યા, કચ્છના મહારાણી બોલ્યા, રાજપીપળાના રાણી બોલ્યા, ભાવનગરના યુવરાજ બોલ્યા, દરેક નાના મોટા સંગઠન બોલ્યા, રાજકોટમા માંધાતાસિંહ પક્ષમાં બોલ્યા તો જામસાહેબ વિરુદ્ધમાં બોલ્યા પણ જે લોકો ના પક્ષ સાથે રહ્યા ના રાજપૂતો સાથે એમાંથી એક છે રિવાબા જાડેજા. 



રિવાબા જાડેજાની ચૂપી પર ક્ષત્રિય મહિલાએ ઉઠાવ્યા સવાલ!

લોકો જેટલા પ્રશ્ન ડાયરાના કલાકાર અને ત્યાંથી હોંકારો પડકારો દેતા દેવાયત ખવડ જેવા કલાકાર માટે કરે છે હવે એટલા જ પ્રશ્ન રિવાબા જાડેજા માટે પણ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એક ફોટાની ચર્ચા  ખુબ થતી હતી. એ ફોટો હતો આઈપીએલની ફાઈનલમાં રિવાબા રવિન્દ્રસિંહના પગે લાગ્યા તેનો.. રાજપૂતાણીની જેમ માથે ઓઢીને પહોંચ્યા, આખા દેશના 22 કરોડ ક્ષત્રિયોએ એના પર ગર્વ કર્યુ અને હવે જ્યારે જરૂર પડી, રાજપૂત બેન બેટીઓ પર ટિપ્પણી થઈ ત્યારે રિવાબા ચૂપ કેમ બેઠા છે એવા પ્રશ્નો એમના જ સમાજની સ્ત્રીઓ કરી રહી છે. એક ક્ષત્રિય મહિલાનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે રિવાબા જાડેજાને સવાલ પૂછ્યા છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.