પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં વાયરલ થયો ક્ષત્રિયાણીનો ઓડિયો, રિવાબા જાડેજાને પૂછ્યા સવાલ? સાંભળો ઓડિયો


  • Published By :
  • Published Date : 2024-04-10 12:14:11

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. પરંતુ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ સાથે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો. આ વિવાદમાં અનેક રાજવી પરિવારના નિવેદનો સામે આવ્યા. પરંતુ અનેક એવા ચહેરા છે જે મૌન લઈને બેઠા છે. આ બધા વચ્ચે એક ક્ષત્રિય મહિલાનો ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે રિવાબા જાડેજાના મૌન અંગે સવાલ ઉઠાવ્યો છે.    

અનેક રાજવી પરિવાર દ્વારા આ મામલે આપવામાં  આવી પ્રતિક્રિયા

ક્ષત્રિય સમાજના પરષોત્તમ રૂપાલા સામે ચાલી રહેલા વિવાદમાં એક એવા ચહેરા સામે પ્રશ્ન થઈ રહ્યો છે જે મૌન બેઠો છે, જેણે આખા વિવાદમાં એક હરફ પણ નથી ઉચ્ચાર્યો, એક એવો ચહેરો જેની રાજપૂતોએ સૌથી વધારે સરાહના કરી એ જ ચહેરો એમની અપેક્ષાના સમયે ગાયબ થયો છે. કથિત ભાજપૂતોની યાદીમાં ટોચનું નામ રિવાબા જાડેજાનું છે. ક્ષત્રિય વર્સીસ રૂપાલાના વિવાદમાં જામ સાહેબ બોલ્યા, કચ્છના મહારાણી બોલ્યા, રાજપીપળાના રાણી બોલ્યા, ભાવનગરના યુવરાજ બોલ્યા, દરેક નાના મોટા સંગઠન બોલ્યા, રાજકોટમા માંધાતાસિંહ પક્ષમાં બોલ્યા તો જામસાહેબ વિરુદ્ધમાં બોલ્યા પણ જે લોકો ના પક્ષ સાથે રહ્યા ના રાજપૂતો સાથે એમાંથી એક છે રિવાબા જાડેજા. 



રિવાબા જાડેજાની ચૂપી પર ક્ષત્રિય મહિલાએ ઉઠાવ્યા સવાલ!

લોકો જેટલા પ્રશ્ન ડાયરાના કલાકાર અને ત્યાંથી હોંકારો પડકારો દેતા દેવાયત ખવડ જેવા કલાકાર માટે કરે છે હવે એટલા જ પ્રશ્ન રિવાબા જાડેજા માટે પણ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એક ફોટાની ચર્ચા  ખુબ થતી હતી. એ ફોટો હતો આઈપીએલની ફાઈનલમાં રિવાબા રવિન્દ્રસિંહના પગે લાગ્યા તેનો.. રાજપૂતાણીની જેમ માથે ઓઢીને પહોંચ્યા, આખા દેશના 22 કરોડ ક્ષત્રિયોએ એના પર ગર્વ કર્યુ અને હવે જ્યારે જરૂર પડી, રાજપૂત બેન બેટીઓ પર ટિપ્પણી થઈ ત્યારે રિવાબા ચૂપ કેમ બેઠા છે એવા પ્રશ્નો એમના જ સમાજની સ્ત્રીઓ કરી રહી છે. એક ક્ષત્રિય મહિલાનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે રિવાબા જાડેજાને સવાલ પૂછ્યા છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે