પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં વાયરલ થયો ક્ષત્રિયાણીનો ઓડિયો, રિવાબા જાડેજાને પૂછ્યા સવાલ? સાંભળો ઓડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-10 12:14:11

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. પરંતુ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ સાથે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો. આ વિવાદમાં અનેક રાજવી પરિવારના નિવેદનો સામે આવ્યા. પરંતુ અનેક એવા ચહેરા છે જે મૌન લઈને બેઠા છે. આ બધા વચ્ચે એક ક્ષત્રિય મહિલાનો ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે રિવાબા જાડેજાના મૌન અંગે સવાલ ઉઠાવ્યો છે.    

અનેક રાજવી પરિવાર દ્વારા આ મામલે આપવામાં  આવી પ્રતિક્રિયા

ક્ષત્રિય સમાજના પરષોત્તમ રૂપાલા સામે ચાલી રહેલા વિવાદમાં એક એવા ચહેરા સામે પ્રશ્ન થઈ રહ્યો છે જે મૌન બેઠો છે, જેણે આખા વિવાદમાં એક હરફ પણ નથી ઉચ્ચાર્યો, એક એવો ચહેરો જેની રાજપૂતોએ સૌથી વધારે સરાહના કરી એ જ ચહેરો એમની અપેક્ષાના સમયે ગાયબ થયો છે. કથિત ભાજપૂતોની યાદીમાં ટોચનું નામ રિવાબા જાડેજાનું છે. ક્ષત્રિય વર્સીસ રૂપાલાના વિવાદમાં જામ સાહેબ બોલ્યા, કચ્છના મહારાણી બોલ્યા, રાજપીપળાના રાણી બોલ્યા, ભાવનગરના યુવરાજ બોલ્યા, દરેક નાના મોટા સંગઠન બોલ્યા, રાજકોટમા માંધાતાસિંહ પક્ષમાં બોલ્યા તો જામસાહેબ વિરુદ્ધમાં બોલ્યા પણ જે લોકો ના પક્ષ સાથે રહ્યા ના રાજપૂતો સાથે એમાંથી એક છે રિવાબા જાડેજા. 



રિવાબા જાડેજાની ચૂપી પર ક્ષત્રિય મહિલાએ ઉઠાવ્યા સવાલ!

લોકો જેટલા પ્રશ્ન ડાયરાના કલાકાર અને ત્યાંથી હોંકારો પડકારો દેતા દેવાયત ખવડ જેવા કલાકાર માટે કરે છે હવે એટલા જ પ્રશ્ન રિવાબા જાડેજા માટે પણ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એક ફોટાની ચર્ચા  ખુબ થતી હતી. એ ફોટો હતો આઈપીએલની ફાઈનલમાં રિવાબા રવિન્દ્રસિંહના પગે લાગ્યા તેનો.. રાજપૂતાણીની જેમ માથે ઓઢીને પહોંચ્યા, આખા દેશના 22 કરોડ ક્ષત્રિયોએ એના પર ગર્વ કર્યુ અને હવે જ્યારે જરૂર પડી, રાજપૂત બેન બેટીઓ પર ટિપ્પણી થઈ ત્યારે રિવાબા ચૂપ કેમ બેઠા છે એવા પ્રશ્નો એમના જ સમાજની સ્ત્રીઓ કરી રહી છે. એક ક્ષત્રિય મહિલાનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે રિવાબા જાડેજાને સવાલ પૂછ્યા છે.  



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...