પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં વાયરલ થયો ક્ષત્રિયાણીનો ઓડિયો, રિવાબા જાડેજાને પૂછ્યા સવાલ? સાંભળો ઓડિયો


  • Published By :
  • Published Date : 2024-04-10 12:14:11

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. પરંતુ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ સાથે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો. આ વિવાદમાં અનેક રાજવી પરિવારના નિવેદનો સામે આવ્યા. પરંતુ અનેક એવા ચહેરા છે જે મૌન લઈને બેઠા છે. આ બધા વચ્ચે એક ક્ષત્રિય મહિલાનો ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે રિવાબા જાડેજાના મૌન અંગે સવાલ ઉઠાવ્યો છે.    

અનેક રાજવી પરિવાર દ્વારા આ મામલે આપવામાં  આવી પ્રતિક્રિયા

ક્ષત્રિય સમાજના પરષોત્તમ રૂપાલા સામે ચાલી રહેલા વિવાદમાં એક એવા ચહેરા સામે પ્રશ્ન થઈ રહ્યો છે જે મૌન બેઠો છે, જેણે આખા વિવાદમાં એક હરફ પણ નથી ઉચ્ચાર્યો, એક એવો ચહેરો જેની રાજપૂતોએ સૌથી વધારે સરાહના કરી એ જ ચહેરો એમની અપેક્ષાના સમયે ગાયબ થયો છે. કથિત ભાજપૂતોની યાદીમાં ટોચનું નામ રિવાબા જાડેજાનું છે. ક્ષત્રિય વર્સીસ રૂપાલાના વિવાદમાં જામ સાહેબ બોલ્યા, કચ્છના મહારાણી બોલ્યા, રાજપીપળાના રાણી બોલ્યા, ભાવનગરના યુવરાજ બોલ્યા, દરેક નાના મોટા સંગઠન બોલ્યા, રાજકોટમા માંધાતાસિંહ પક્ષમાં બોલ્યા તો જામસાહેબ વિરુદ્ધમાં બોલ્યા પણ જે લોકો ના પક્ષ સાથે રહ્યા ના રાજપૂતો સાથે એમાંથી એક છે રિવાબા જાડેજા. 



રિવાબા જાડેજાની ચૂપી પર ક્ષત્રિય મહિલાએ ઉઠાવ્યા સવાલ!

લોકો જેટલા પ્રશ્ન ડાયરાના કલાકાર અને ત્યાંથી હોંકારો પડકારો દેતા દેવાયત ખવડ જેવા કલાકાર માટે કરે છે હવે એટલા જ પ્રશ્ન રિવાબા જાડેજા માટે પણ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એક ફોટાની ચર્ચા  ખુબ થતી હતી. એ ફોટો હતો આઈપીએલની ફાઈનલમાં રિવાબા રવિન્દ્રસિંહના પગે લાગ્યા તેનો.. રાજપૂતાણીની જેમ માથે ઓઢીને પહોંચ્યા, આખા દેશના 22 કરોડ ક્ષત્રિયોએ એના પર ગર્વ કર્યુ અને હવે જ્યારે જરૂર પડી, રાજપૂત બેન બેટીઓ પર ટિપ્પણી થઈ ત્યારે રિવાબા ચૂપ કેમ બેઠા છે એવા પ્રશ્નો એમના જ સમાજની સ્ત્રીઓ કરી રહી છે. એક ક્ષત્રિય મહિલાનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે રિવાબા જાડેજાને સવાલ પૂછ્યા છે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.