ઉત્તરાખંડના જોશીમઠમાં ઈમારતો તોડવાની શરૂ થઈ પ્રક્રિયાા, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-01-12 16:56:11

જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ભૂસ્ખલન થવાને કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. ભૂસ્ખલનને કારણે લોકોના ઘરમાં તિરાડો પડી ગઈ હતી. 700થી વધારે ઘર પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા ઘરોને તોડવાની તજવીજ હાથ ધરી છે. અનેક ઈમારતોને ધારાશાઈ કરવામાં આવી છે. ઘર છોડવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 


દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે પરિસ્થિતિ

ઉત્તરાખંડમાં અનેક લોકો બેઘર થઈ જવાની કતાર પર ઉભા છે. પ્રભાવિત ક્ષેત્રની હોટલોને પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે આસપાસની જગ્યાઓને ખાલી કરી દેવાયા છે. રસ્તાઓ બંધ કરી દીધા છે. ઉત્તરાખંડમાં ચિંતાજનક સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર પર તેની પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. થોડા દિવસો પહેલા પીએમઓએ ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ સાથ સહકાર આપવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રી તો અવાર-નવાર ત્યાંની મુલાકાત લઈ રહ્યા છે. 

बिना मुआवजा दिए जोशीमठ के दो होटल ढहाने के विरोध में प्रदर्शन करते स्थानीय लोग।

ઈમારતો તોડવાની થઈ રહી છે કામગીરી

ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે. કેન્દ્રીયગૃહ મંત્રી અમિત શાહે જોશીમઠની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકો ઘરની બહાર રહેવા મજબૂર થયા હતા. કેન્દ્રની ટીમે પણ ઉત્તરાખંડના પ્રવાસે છે. સાવચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા ઈમારતો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.   


કેન્દ્ર સરકાર પરિસ્થિતિ પર રાખી રહી છે નજર

જોશીમઠમાં એક તરફ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે છે તો બીજી તરફ વાતાવરણને કારણે આ કાર્યવાહીમાં અડચણ રૂપ થઈ શકે છે. વાતાવરણની સીધી અસર ત્યાં થતા કામકાજ પર પડી શકે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ લોકોને ધીરજ રાખવા અપીલ પણ કરી છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.