ઉત્તરાખંડના જોશીમઠમાં ઈમારતો તોડવાની શરૂ થઈ પ્રક્રિયાા, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-01-12 16:56:11

જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ભૂસ્ખલન થવાને કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. ભૂસ્ખલનને કારણે લોકોના ઘરમાં તિરાડો પડી ગઈ હતી. 700થી વધારે ઘર પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા ઘરોને તોડવાની તજવીજ હાથ ધરી છે. અનેક ઈમારતોને ધારાશાઈ કરવામાં આવી છે. ઘર છોડવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 


દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે પરિસ્થિતિ

ઉત્તરાખંડમાં અનેક લોકો બેઘર થઈ જવાની કતાર પર ઉભા છે. પ્રભાવિત ક્ષેત્રની હોટલોને પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે આસપાસની જગ્યાઓને ખાલી કરી દેવાયા છે. રસ્તાઓ બંધ કરી દીધા છે. ઉત્તરાખંડમાં ચિંતાજનક સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર પર તેની પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. થોડા દિવસો પહેલા પીએમઓએ ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ સાથ સહકાર આપવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રી તો અવાર-નવાર ત્યાંની મુલાકાત લઈ રહ્યા છે. 

बिना मुआवजा दिए जोशीमठ के दो होटल ढहाने के विरोध में प्रदर्शन करते स्थानीय लोग।

ઈમારતો તોડવાની થઈ રહી છે કામગીરી

ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે. કેન્દ્રીયગૃહ મંત્રી અમિત શાહે જોશીમઠની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકો ઘરની બહાર રહેવા મજબૂર થયા હતા. કેન્દ્રની ટીમે પણ ઉત્તરાખંડના પ્રવાસે છે. સાવચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા ઈમારતો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.   


કેન્દ્ર સરકાર પરિસ્થિતિ પર રાખી રહી છે નજર

જોશીમઠમાં એક તરફ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે છે તો બીજી તરફ વાતાવરણને કારણે આ કાર્યવાહીમાં અડચણ રૂપ થઈ શકે છે. વાતાવરણની સીધી અસર ત્યાં થતા કામકાજ પર પડી શકે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ લોકોને ધીરજ રાખવા અપીલ પણ કરી છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.