ઉત્તરાખંડના જોશીમઠમાં ઈમારતો તોડવાની શરૂ થઈ પ્રક્રિયાા, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-01-12 16:56:11

જોશીમઠમાં પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ભૂસ્ખલન થવાને કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. ભૂસ્ખલનને કારણે લોકોના ઘરમાં તિરાડો પડી ગઈ હતી. 700થી વધારે ઘર પ્રભાવિત થયા છે. તંત્ર દ્વારા ઘરોને તોડવાની તજવીજ હાથ ધરી છે. અનેક ઈમારતોને ધારાશાઈ કરવામાં આવી છે. ઘર છોડવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 


દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે પરિસ્થિતિ

ઉત્તરાખંડમાં અનેક લોકો બેઘર થઈ જવાની કતાર પર ઉભા છે. પ્રભાવિત ક્ષેત્રની હોટલોને પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે આસપાસની જગ્યાઓને ખાલી કરી દેવાયા છે. રસ્તાઓ બંધ કરી દીધા છે. ઉત્તરાખંડમાં ચિંતાજનક સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર પર તેની પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. થોડા દિવસો પહેલા પીએમઓએ ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ સાથ સહકાર આપવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રી તો અવાર-નવાર ત્યાંની મુલાકાત લઈ રહ્યા છે. 

बिना मुआवजा दिए जोशीमठ के दो होटल ढहाने के विरोध में प्रदर्शन करते स्थानीय लोग।

ઈમારતો તોડવાની થઈ રહી છે કામગીરી

ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે. કેન્દ્રીયગૃહ મંત્રી અમિત શાહે જોશીમઠની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકો ઘરની બહાર રહેવા મજબૂર થયા હતા. કેન્દ્રની ટીમે પણ ઉત્તરાખંડના પ્રવાસે છે. સાવચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા ઈમારતો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.   


કેન્દ્ર સરકાર પરિસ્થિતિ પર રાખી રહી છે નજર

જોશીમઠમાં એક તરફ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે છે તો બીજી તરફ વાતાવરણને કારણે આ કાર્યવાહીમાં અડચણ રૂપ થઈ શકે છે. વાતાવરણની સીધી અસર ત્યાં થતા કામકાજ પર પડી શકે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ લોકોને ધીરજ રાખવા અપીલ પણ કરી છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી