વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી... રોડ-શો બાદ સંબોધશે ઉદ્યોગપતિઓને


  • Published By :
  • Published Date : 2022-10-30 18:02:23

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટી પ્રચાર કરવા પર વધારે ધ્યાન આપી રહી છે. ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. પ્રચારની કમાન પીએમ મોદીએ સંભાળી છે.ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્રણ દિવસ ગુજરાતમાં રહી તેઓ ભાજપનો પ્રચાર કરશે ઉપરાંત અનેક કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે.


વડોદરામાં પીએમનો રોડ-શો 

ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા દરેક પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાડી રહી છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ત્યારે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના કામો લોકો સુધી પહોંચાડવા ભાજપ પ્રયાસ કરી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી અનેક વખત પીએમ ગુજરાતની મુલાકાત લઈ મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે તેમના પ્રવાસનો પ્રથમ દિવસ છે. વડોદરા ખાતે તેમણે ભવ્ય રોડ-શો કર્યો હતો. આ રોડ શોમાં ભારે જનમેદની ઉમટી હતી. પીએમએ ઉપસ્થિત તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

 

અનેક મુદ્દાઓ પર વડાપ્રધાન મોદીએ કરી વાત....

શિલાન્યાસ દરમિયાન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનું ભારત નવા માઈન્ડ સેટ સાથે કામ કરી રહ્યું છે. ભારત પહેલા મેન્યુફેકચરિંગ પર ધ્યાન કેન્દ્રિત નહોતું કરતું. માત્ર સર્વિસ સેક્ટર પર જ ધ્યાન અપાતું હતું પરંતુ હવેથી અમે બંને સેક્ટર પર ધ્યાન આપી બંને સેક્ટરનો વિકાસ કરીશું. વધુમાં તેમણે કહ્યું કે ભારત પાસે skilled મેન પાવરનો ટેલેન્ટ છે. 8 વર્ષમાં સરકારે જે સુધારા કર્યા તેમાં ભારતમાં મેન્યુફેકચરિંગમાં વધારો થયો છે. 

આત્મ નિર્ભરની વાત કરતા તેમણે કહ્યું કે ભારતમાં બનેલી કાર, મોબાઈલ, ફોન ઉપરાંત અનેક ગેજેટ્સ કેટલા બધા દેશોમાં પ્રસિદ્ધ છે. ભારત ટ્રાન્સપોર્ટ પ્લેનનો પણ મોટો નિર્માતા બનશે. દુનિયાના મોટા પેસેન્જર પ્લેન પણ ભારતમાં જ બનશે. જેના પર લખ્યું હશે કે મેક ઈન ઈન્ડિયા. પહેલી વખત દેશમાં મિલેટ્રી એરક્રાફ્ટ બનશે. એર ટ્રાફિક મામલે ભારત દુનિયામાં ટોપ ત્રણ નંબરે પહોંચ્યું છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.