વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી... રોડ-શો બાદ સંબોધશે ઉદ્યોગપતિઓને


  • Published By :
  • Published Date : 2022-10-30 18:02:23

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટી પ્રચાર કરવા પર વધારે ધ્યાન આપી રહી છે. ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. પ્રચારની કમાન પીએમ મોદીએ સંભાળી છે.ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્રણ દિવસ ગુજરાતમાં રહી તેઓ ભાજપનો પ્રચાર કરશે ઉપરાંત અનેક કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે.


વડોદરામાં પીએમનો રોડ-શો 

ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા દરેક પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાડી રહી છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ત્યારે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના કામો લોકો સુધી પહોંચાડવા ભાજપ પ્રયાસ કરી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી અનેક વખત પીએમ ગુજરાતની મુલાકાત લઈ મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે તેમના પ્રવાસનો પ્રથમ દિવસ છે. વડોદરા ખાતે તેમણે ભવ્ય રોડ-શો કર્યો હતો. આ રોડ શોમાં ભારે જનમેદની ઉમટી હતી. પીએમએ ઉપસ્થિત તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

 

અનેક મુદ્દાઓ પર વડાપ્રધાન મોદીએ કરી વાત....

શિલાન્યાસ દરમિયાન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનું ભારત નવા માઈન્ડ સેટ સાથે કામ કરી રહ્યું છે. ભારત પહેલા મેન્યુફેકચરિંગ પર ધ્યાન કેન્દ્રિત નહોતું કરતું. માત્ર સર્વિસ સેક્ટર પર જ ધ્યાન અપાતું હતું પરંતુ હવેથી અમે બંને સેક્ટર પર ધ્યાન આપી બંને સેક્ટરનો વિકાસ કરીશું. વધુમાં તેમણે કહ્યું કે ભારત પાસે skilled મેન પાવરનો ટેલેન્ટ છે. 8 વર્ષમાં સરકારે જે સુધારા કર્યા તેમાં ભારતમાં મેન્યુફેકચરિંગમાં વધારો થયો છે. 

આત્મ નિર્ભરની વાત કરતા તેમણે કહ્યું કે ભારતમાં બનેલી કાર, મોબાઈલ, ફોન ઉપરાંત અનેક ગેજેટ્સ કેટલા બધા દેશોમાં પ્રસિદ્ધ છે. ભારત ટ્રાન્સપોર્ટ પ્લેનનો પણ મોટો નિર્માતા બનશે. દુનિયાના મોટા પેસેન્જર પ્લેન પણ ભારતમાં જ બનશે. જેના પર લખ્યું હશે કે મેક ઈન ઈન્ડિયા. પહેલી વખત દેશમાં મિલેટ્રી એરક્રાફ્ટ બનશે. એર ટ્રાફિક મામલે ભારત દુનિયામાં ટોપ ત્રણ નંબરે પહોંચ્યું છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"