વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી... રોડ-શો બાદ સંબોધશે ઉદ્યોગપતિઓને


  • Published By :
  • Published Date : 2022-10-30 18:02:23

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટી પ્રચાર કરવા પર વધારે ધ્યાન આપી રહી છે. ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. પ્રચારની કમાન પીએમ મોદીએ સંભાળી છે.ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્રણ દિવસ ગુજરાતમાં રહી તેઓ ભાજપનો પ્રચાર કરશે ઉપરાંત અનેક કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે.


વડોદરામાં પીએમનો રોડ-શો 

ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા દરેક પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાડી રહી છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ત્યારે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના કામો લોકો સુધી પહોંચાડવા ભાજપ પ્રયાસ કરી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી અનેક વખત પીએમ ગુજરાતની મુલાકાત લઈ મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે તેમના પ્રવાસનો પ્રથમ દિવસ છે. વડોદરા ખાતે તેમણે ભવ્ય રોડ-શો કર્યો હતો. આ રોડ શોમાં ભારે જનમેદની ઉમટી હતી. પીએમએ ઉપસ્થિત તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

 

અનેક મુદ્દાઓ પર વડાપ્રધાન મોદીએ કરી વાત....

શિલાન્યાસ દરમિયાન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનું ભારત નવા માઈન્ડ સેટ સાથે કામ કરી રહ્યું છે. ભારત પહેલા મેન્યુફેકચરિંગ પર ધ્યાન કેન્દ્રિત નહોતું કરતું. માત્ર સર્વિસ સેક્ટર પર જ ધ્યાન અપાતું હતું પરંતુ હવેથી અમે બંને સેક્ટર પર ધ્યાન આપી બંને સેક્ટરનો વિકાસ કરીશું. વધુમાં તેમણે કહ્યું કે ભારત પાસે skilled મેન પાવરનો ટેલેન્ટ છે. 8 વર્ષમાં સરકારે જે સુધારા કર્યા તેમાં ભારતમાં મેન્યુફેકચરિંગમાં વધારો થયો છે. 

આત્મ નિર્ભરની વાત કરતા તેમણે કહ્યું કે ભારતમાં બનેલી કાર, મોબાઈલ, ફોન ઉપરાંત અનેક ગેજેટ્સ કેટલા બધા દેશોમાં પ્રસિદ્ધ છે. ભારત ટ્રાન્સપોર્ટ પ્લેનનો પણ મોટો નિર્માતા બનશે. દુનિયાના મોટા પેસેન્જર પ્લેન પણ ભારતમાં જ બનશે. જેના પર લખ્યું હશે કે મેક ઈન ઈન્ડિયા. પહેલી વખત દેશમાં મિલેટ્રી એરક્રાફ્ટ બનશે. એર ટ્રાફિક મામલે ભારત દુનિયામાં ટોપ ત્રણ નંબરે પહોંચ્યું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.