Weather Analysisમાં જાણો Cyclone 'તેજ' ક્યાં પહોંચ્યું? વાવાઝોડાને લઈ હવામાન વિભાગે અને Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-10-21 15:11:35

ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડું તેજ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. ચોમાસા બાદ આ પ્રથમ વાવાઝોડું ગુજરાત પર મંડરાઈ રહ્યું છે. આ વાવાઝોડાને તેજ નામ ભારત દ્વારા આપવામાં આવ્યું છે. આગામી 12 કલાકમાં આ ચક્રવાત ભીષણ ચક્રવાતમાં પરિવર્તિત થઈ જશે, આગામી 12 કલાકોમાં આ વાવાઝોડું મજબૂત બનશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મજબૂત સિસ્ટમ સક્રિય થવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. 

જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ પવનની ગતિ વધશે!

ભારતમાં જો કોઈ પણ ચક્રવાત આવે છે તો તે અરબી સમુદ્ર અથવા તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આવે છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ગુજરાત આવે છે કે ઓમાન તરફ ફંટાઈ જાય તેની પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે. અરબી સમુદ્રમાં આ સિસ્ટમ સતત મજબૂત બની રહી છે અને તેજ ગતિથી તે આગળ વધી રહ્યું છે. હાલ આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 કલાક દરમિયાન આ સિસ્ટમ 24 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહી છે. એવું પણ હાલ પવનની ગતિ 70 કિમી પ્રતિકલાકથી લઈને 85 કિમી પ્રતિકલાક સુધીની છે. જેમ જેમ સિસ્ટમ વધારે મજબૂત બનતી જશે તેમ તેમ તેના પવનની ગતિ પણ વધતી જશે. 


હવામાન વિભાગે જણાવ્યું કે વરસાદની કોઈ સંભાવના નથી 

એવી પણ માહિતી સામે આવી છે કે અરબી સમુદ્રમાં લોપ્રેસરના લીધે સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના નવલખી બંદરે એક નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસોમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માટેની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું કે આગામી પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. તાપમાનમાં કોઈ વધારે ફેરફાર નહીં થાય તેવું અનુમાન લગાવામાં આવ્યું છે. 



પાકિસ્તાનમાં આ વાવાઝોડાની દેખાઈ શકે છે અસર

હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું ઓમાન અને યમનના દરિયાકિનારે ટકરાશે અને ભારતના દરિયાકાંઠા પર તેની કોઈ સીધી અસર થવાની શક્યતા નથી. હાલની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડું વળાંક લઈને ગુજરાત કે પાકિસ્તાનની આસપાસ આવે તેવી વધારે શક્યતા દેખાતી નથી. પરંતુ આ મજબૂત સિસ્ટમને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પવનની દિશા બદલી ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં હવામાન બદલાયું છે. ગુજરાતમાં હાલ વરસાદની સંભાવના નથી તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

 


વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ તો આ ચક્રવાત ઓમાન તરફ જશે તેવું અનુમાન છે. પરંતુ વાવાઝોડું બન્યા બાદ વારંવાર ટ્રેક બદલાતો હોય છે. અનુમાન અનુસાર 21થી 24 ઓક્ટોબરના ગુજરાતના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગમા હળવો વરસાદ થઇ શકે છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .