સોશિયલ નેટવર્કિંગ સાઈટમાં થયો વધારો ! ટ્વિટરને ટક્કર આપવા મેટા લાવી Threads, જાણો શું છે તેના ફિચર્સ?


  • Published By :
  • Published Date : 2023-07-06 15:54:41

ટ્વિટરમાં આવતા નવા નિયમોને કારણે યુઝર્સ પરેશાન થઈ ગયા છે. એલોન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી કરવામાં આવતા ફેરફારોને કારણે તે સતત વિવાદમાં રહેતું હતું.પહેલા બ્યુ ટીકને લઈ, પછી અનેક અકાઉન્ટ બ્લોક કરી દીધા હતા. તે ઉપરાંત એવા અનેક નિયમો છે જેને લઈ એલોન મસ્ક વિવાદમાં રહ્યા હતા. ત્યારે ટ્વિટરને ટક્કર આપવા મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા Threads લોન્ચ કરવામાં આવી છે. આ એવી એપ છે જેની સીધી અસર ટ્વિટર પર પડી શકે છે. આમ તો Threadsને ઈન્સ્ટાગ્રામની ટીમે તૈયાર કરી છે પરંતુ અનેક ફિચર્સ તેના ટ્વિટર જેવા છે.

      

ગણતરીના લોકો વાપરતા હતા સોશિયલ મીડિયા!

સોશિયલ મીડિયાના માધ્યમો દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. એક સમય હતો જ્યારે માત્ર લોકો પાસે ફેસબુક અકાઉન્ટ હતું. એ પણ માત્ર અમુક લોકો પાસે જ આ સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ ધીરે ધીરે મોબાઈલનો વપરાશ કરનાર લોકોની પણ સંખ્યા વધતી ગઈ. આજે બહુ એવા ઓછા લોકો હશે જેમની પાસે સ્માર્ટ ફોન નહીં હોય. અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોના અકાઉન્ટ હોતા હશે. 


ટ્વિટર વિરૂદ્ધ Threads એપ લોન્ચ કરાઈ !

ફેસબુક બાદ વોટ્સઅપ, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ સહિત અનેક સોશિયલ મીડિયા એપલીકેશનો આવી. ટ્વિટરના માલિક જ્યારે બદલાયા તે બાદ અનેક એવા નિયમો આવ્યા જેને લઈ વિવાદો થયા હતા. અનેક લોકો ટ્વિટર બદલીમાં એવી એપલિકેશનની શોધમાં હતા જેમાં ટ્વિટરની સુવિધા પણ હોય અને ઈન્સ્ટાગ્રામ જેવા ફીચર્સ પણ હોય. ત્યારે Metaના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા Threads એપ લોન્ચ કરવામાં આવી છે. Threads ઈન્સ્ટાગ્રામની ટીમે તૈયાર કરી છે. તેમાં રિયલ ટાઈમ ફીડ મળશે. તેના ફીચર્સ અને ઈન્ટરફેસ મહદઅંશે ટ્વિટરથી મળી આવે છે.      


ભારતીયોને પણ મળશે એપનો લાભ 

Threads એવી એપ છે જેમાં યુઝર્સ ટ્વિટની જેમ લાઈક કરી શકશે, કમેન્ટ કરી શકશે અને પોતાનાા વિચારો લોકો સાથે શેર કરી શકશે. આવા ફિચર્સ ટ્વિટર જેવા છે જ્યારે બીજા ફિચર્સ ઈન્સ્ટાગ્રામ જેવા છે. આ એપલિકેશનને ટ્વિટરનું હરીફ માનવામાં આવે છે. ભારતમાં પણ આ એપને લોન્ચ કરવામાં આવી છે. 


Threads ટ્વિટર પર થઈ ટ્રેન્ડ! 

Threadsને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમારે પહેલાંથી જ ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક હોય તો એટલે કે તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ વેરિફાઈડ હશે તો Threads એકાઉન્ટ આપમેળે વેરિફાઇડ થઈ જશે. Threadsને તમે એપલના પ્લેસ્ટોર પરથી મફતમાં ડાઉનલોડ કરી શકશો. તેમાં તમે ઈન્સ્ટાગ્રામની આઈડીથી લોગિન કરી શકશો.  મહત્વનું છે એલોન મસ્કના ટ્વિટર પર Threads ટ્રેન્ડ થઈ રહી છે.  Threadsમાં 500 કેરેક્ટરની લિમીટ રાખવામાં આવી છે. તેની પર એક મિનીટ સુધીનો વીડિયો પણ પોસ્ટ કરી શકાશે ઉપરાંત લીંક પણ શેર કરી શકાશે. એક કલાકની અંદર  



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.