રાજ્યમાં વધ્યું ગરમીનું પ્રમાણ! અનેક શહેરમાં તાપમાનનો પારો પહોંચ્યો 37 ડિગ્રીને પાર, હિટવેવની કરાઈ છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-04-07 09:45:13

રાજ્યના હવામાનમાં ગમે ત્યારે પલટો આવી રહ્યો છે. કોઈ વખત કમોસમી વરસાદ વરસે છે તો કોઈ વખત ગરમીનો અહેસાસ થાય છે. રાજ્યના હવામાનને લઈ હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ચાર પાંચ દિવસમાં તાપમાન 2-3 ડિગ્રી જેટલું વધતાં ગરમીમાં વધારો થશે. ગરમી અને સુકા પવન વહેવાને કારણે અમદાવાદ સહિત 9 શહેરોમાં તાપમાન  37 ડિગ્રી આપસાસ નોંધાયું હતું.


આગામી દિવસોમાં વધશે તાપમાનનો પારો 

આ વખતે શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. ત્યારે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ વખતની ગરમી પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડશે. ત્યારે આ અનુમાન સાચું હોય તેવું લાગી રહ્યું છે. ગરમી પારો હમણાં 37 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ઉપરાંત આગામી થોડા દિવસો તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 12થી 16 એપ્રિલ સુધી ગરમીનો પારો 42થી 44 ડિગ્રી સુધી નોંધાવાની સંભાવના છે. 


આ જગ્યાઓનું તાપમાન 37થી વધુ નોંધાયું  

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી શકે છે. શુક્રવારે 38 ડિગ્રીના આસપાસ પહોંચશે  જ્યારે શનિવારે 39 અને રવિવારે 40 ડિગ્રીને આસપાસ પહોંચશે. ગુરૂવારે સુરેન્દ્રનગર સૌથી ગરમ નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો અનુભવ થયો હતો. અનેક જગ્યાઓનું તાપમાન 37 ડિગ્રીને પાર નોંધાયું હતું. જો તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 37.9, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી, વડોદરાનું તાપમાન 37.4 નોંધાયું છે. અમરેલીમાં તાપમાન 37.4 ડિગ્રી, વિદ્યાનગરમાં 37.2, ગાંધીનગર, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 37.2ની આપસાસ નોંધાયું હતું. મહત્વનું છે કે અનેક રાજ્યો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.