રાજ્યમાં વધ્યું ગરમીનું પ્રમાણ! અનેક શહેરમાં તાપમાનનો પારો પહોંચ્યો 37 ડિગ્રીને પાર, હિટવેવની કરાઈ છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-04-07 09:45:13

રાજ્યના હવામાનમાં ગમે ત્યારે પલટો આવી રહ્યો છે. કોઈ વખત કમોસમી વરસાદ વરસે છે તો કોઈ વખત ગરમીનો અહેસાસ થાય છે. રાજ્યના હવામાનને લઈ હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ચાર પાંચ દિવસમાં તાપમાન 2-3 ડિગ્રી જેટલું વધતાં ગરમીમાં વધારો થશે. ગરમી અને સુકા પવન વહેવાને કારણે અમદાવાદ સહિત 9 શહેરોમાં તાપમાન  37 ડિગ્રી આપસાસ નોંધાયું હતું.


આગામી દિવસોમાં વધશે તાપમાનનો પારો 

આ વખતે શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. ત્યારે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ વખતની ગરમી પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડશે. ત્યારે આ અનુમાન સાચું હોય તેવું લાગી રહ્યું છે. ગરમી પારો હમણાં 37 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ઉપરાંત આગામી થોડા દિવસો તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 12થી 16 એપ્રિલ સુધી ગરમીનો પારો 42થી 44 ડિગ્રી સુધી નોંધાવાની સંભાવના છે. 


આ જગ્યાઓનું તાપમાન 37થી વધુ નોંધાયું  

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી શકે છે. શુક્રવારે 38 ડિગ્રીના આસપાસ પહોંચશે  જ્યારે શનિવારે 39 અને રવિવારે 40 ડિગ્રીને આસપાસ પહોંચશે. ગુરૂવારે સુરેન્દ્રનગર સૌથી ગરમ નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો અનુભવ થયો હતો. અનેક જગ્યાઓનું તાપમાન 37 ડિગ્રીને પાર નોંધાયું હતું. જો તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 37.9, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી, વડોદરાનું તાપમાન 37.4 નોંધાયું છે. અમરેલીમાં તાપમાન 37.4 ડિગ્રી, વિદ્યાનગરમાં 37.2, ગાંધીનગર, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 37.2ની આપસાસ નોંધાયું હતું. મહત્વનું છે કે અનેક રાજ્યો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.