રાજ્યમાં વધ્યું ગરમીનું પ્રમાણ! અનેક શહેરમાં તાપમાનનો પારો પહોંચ્યો 37 ડિગ્રીને પાર, હિટવેવની કરાઈ છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-04-07 09:45:13

રાજ્યના હવામાનમાં ગમે ત્યારે પલટો આવી રહ્યો છે. કોઈ વખત કમોસમી વરસાદ વરસે છે તો કોઈ વખત ગરમીનો અહેસાસ થાય છે. રાજ્યના હવામાનને લઈ હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ચાર પાંચ દિવસમાં તાપમાન 2-3 ડિગ્રી જેટલું વધતાં ગરમીમાં વધારો થશે. ગરમી અને સુકા પવન વહેવાને કારણે અમદાવાદ સહિત 9 શહેરોમાં તાપમાન  37 ડિગ્રી આપસાસ નોંધાયું હતું.


આગામી દિવસોમાં વધશે તાપમાનનો પારો 

આ વખતે શિયાળામાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. ત્યારે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આ વખતની ગરમી પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડશે. ત્યારે આ અનુમાન સાચું હોય તેવું લાગી રહ્યું છે. ગરમી પારો હમણાં 37 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ઉપરાંત આગામી થોડા દિવસો તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 12થી 16 એપ્રિલ સુધી ગરમીનો પારો 42થી 44 ડિગ્રી સુધી નોંધાવાની સંભાવના છે. 


આ જગ્યાઓનું તાપમાન 37થી વધુ નોંધાયું  

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી શકે છે. શુક્રવારે 38 ડિગ્રીના આસપાસ પહોંચશે  જ્યારે શનિવારે 39 અને રવિવારે 40 ડિગ્રીને આસપાસ પહોંચશે. ગુરૂવારે સુરેન્દ્રનગર સૌથી ગરમ નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો અનુભવ થયો હતો. અનેક જગ્યાઓનું તાપમાન 37 ડિગ્રીને પાર નોંધાયું હતું. જો તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 37.9, સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી, વડોદરાનું તાપમાન 37.4 નોંધાયું છે. અમરેલીમાં તાપમાન 37.4 ડિગ્રી, વિદ્યાનગરમાં 37.2, ગાંધીનગર, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 37.2ની આપસાસ નોંધાયું હતું. મહત્વનું છે કે અનેક રાજ્યો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે