હાર્ટ એટેકનો વધતો ખતરો! જામનગરમાં હાર્ટ એટેકને કારણે ગયો ડોક્ટરનો જીવ! કોરોના બાદ વધી રહ્યા છે કિસ્સા


  • Published By :
  • Published Date : 2023-06-06 13:59:24

ઘણા વર્ષો પહેલા રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદ આવી હતી. જેમાં એક ડાયલોગ હતો बाबूमुशोई, जिंदगी और मौत ऊपर वाले के हाथ है... उससे ना तो आप बदल सकते हैं ना मैं... हम सब तो रंगमंच की कठपुतलियां है जिन्की दोर ऊपर वाले की उलझियों में बंधी है। વાત એકદમ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મરશે તેની ખબર કોઈને નથી હોતી. કોઈ અકસ્માતમાં મોતને ભેટે છે તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે. હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં એક તબિબનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  


હાર્ટના ડોક્ટરનું થયું હાર્ટ એટેકથી નિધન!

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો હૃદયહુમલાને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે જામનગરમાં હાર્ટ એટેકને કારણે 41 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. હાર્ટ એટેકથી સામાન્ય વ્યક્તિનું મોત નથી થયું પરંતુ હૃદયના ડોક્ટરનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. ડો. ગૌરવ ગાંધીનું નિધન થતાં તબીબી જગતમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.  


ડોક્ટરના અચાનક નિધનથી તબીબી જગતમાં વ્યાપ્યો શોક!

કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હૃદયહુમલાનો શિકાર બને છે. ત્યારે જામનગરમાં એક તબીબનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. હાર્ટના ડોક્ટર ડો. ગૌરવ ગાંધીનું મોત થતાં તબિબી દુનિયામાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મળતી માહિતી અનુસાર રાત્રે જમ્યા બાદ ડો. સૂઈ ગયા પરંતુ સવારે તે બેભાન હાલતમાં મળ્યા હતા. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બે કલાક સુધી તબીબની સારવાર ચાલી પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. આમ તો ડોક્ટર પોતાના ખાવા પીવા પર તેમજ દિલની કાળજી કેવી રીતે લેવી તેના પર વિશેષ ધ્યાન રાખતા હોય છે. પરંતુ આ વખતે ડોક્ટરનું નિધન થયું છે. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. ડોક્ટરે પોતાના જીવન કાળ દરમિયાન 16 હજાર જેટલી હાર્ટ સર્જરી કરી હતી.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.