હાર્ટ એટેકનો વધતો ખતરો! જામનગરમાં હાર્ટ એટેકને કારણે ગયો ડોક્ટરનો જીવ! કોરોના બાદ વધી રહ્યા છે કિસ્સા


  • Published By :
  • Published Date : 2023-06-06 13:59:24

ઘણા વર્ષો પહેલા રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ આનંદ આવી હતી. જેમાં એક ડાયલોગ હતો बाबूमुशोई, जिंदगी और मौत ऊपर वाले के हाथ है... उससे ना तो आप बदल सकते हैं ना मैं... हम सब तो रंगमंच की कठपुतलियां है जिन्की दोर ऊपर वाले की उलझियों में बंधी है। વાત એકદમ સાચી છે કોણ ક્યારે અને કેવી રીતે મરશે તેની ખબર કોઈને નથી હોતી. કોઈ અકસ્માતમાં મોતને ભેટે છે તો કોઈ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે. હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં એક તબિબનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.  


હાર્ટના ડોક્ટરનું થયું હાર્ટ એટેકથી નિધન!

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો હૃદયહુમલાને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે જામનગરમાં હાર્ટ એટેકને કારણે 41 વર્ષીય યુવાનનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. હાર્ટ એટેકથી સામાન્ય વ્યક્તિનું મોત નથી થયું પરંતુ હૃદયના ડોક્ટરનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. ડો. ગૌરવ ગાંધીનું નિધન થતાં તબીબી જગતમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.  


ડોક્ટરના અચાનક નિધનથી તબીબી જગતમાં વ્યાપ્યો શોક!

કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા હૃદયહુમલાનો શિકાર બને છે. ત્યારે જામનગરમાં એક તબીબનું નિધન હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. હાર્ટના ડોક્ટર ડો. ગૌરવ ગાંધીનું મોત થતાં તબિબી દુનિયામાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મળતી માહિતી અનુસાર રાત્રે જમ્યા બાદ ડો. સૂઈ ગયા પરંતુ સવારે તે બેભાન હાલતમાં મળ્યા હતા. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બે કલાક સુધી તબીબની સારવાર ચાલી પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. આમ તો ડોક્ટર પોતાના ખાવા પીવા પર તેમજ દિલની કાળજી કેવી રીતે લેવી તેના પર વિશેષ ધ્યાન રાખતા હોય છે. પરંતુ આ વખતે ડોક્ટરનું નિધન થયું છે. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. ડોક્ટરે પોતાના જીવન કાળ દરમિયાન 16 હજાર જેટલી હાર્ટ સર્જરી કરી હતી.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.