દિલ્હીમાં વધતા વાયુ પ્રદુષણએ વધારી ચિંતા, શિયાળામાં પડી શકે છે વધારે મુશ્કેલી


  • Published By :
  • Published Date : 2022-12-03 10:26:19

દિલ્હીમાં વાયુ પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હી એનસીઆરમાં એર ક્વોલિટી સતત ઘટતી જઈ છે જેને કારણે આ પ્રદુષણની સમસ્યા ખતમ કરવાનું નામ નથી લઈ રહી. શિયાળાને કારણે તેમજ વાયુ પ્રદુષણને કારણે ધુમમ્સ તેમજ પ્રદુષણ એક સાથે જોવા મળ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે જેમ જેમ શિયાળો વધશે તેમ તેમ ધુમ્મસ વધતું જશે અને સાથે સાથે પ્રદુષણ પણ વધતું જઈ રહ્યું છે. CPCBના જણાવ્યા અનુસાર સવારના આઠ વાગે એર ક્વોલિટી ઈન્ડેક્સ 332 નોંધાયું હતું.


વધી રહ્યું છે પ્રદુષણનું સ્તર

દિલ્હીમાં હાલ વાયુની ગણવત્તા સતત ઘટી રહી છે. જેને કારણે ત્યાં રહેતા લોકોને શ્વાસ લેવામાં અને પ્રદુષણને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત શિયાળાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. શિયાળો શરૂ થવાને કારણે ધુમ્મસની સમસ્ચા પણ જોવા મળી રહી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ આઠ વાગ્યા સુધી 332 નોંધાયું હતું. શિયાળાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છે અને તાપમાન ઘટી શકે છે. શિયાળો વધતા આ સમસ્ચા પણ વધતી જશે. એક તો પ્રદુષણ અને બીજુ ધુમ્મસ. આ બંનેને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવવાનો છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.