દિલ્હીમાં વધતા વાયુ પ્રદુષણએ વધારી ચિંતા, શિયાળામાં પડી શકે છે વધારે મુશ્કેલી


  • Published By :
  • Published Date : 2022-12-03 10:26:19

દિલ્હીમાં વાયુ પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હી એનસીઆરમાં એર ક્વોલિટી સતત ઘટતી જઈ છે જેને કારણે આ પ્રદુષણની સમસ્યા ખતમ કરવાનું નામ નથી લઈ રહી. શિયાળાને કારણે તેમજ વાયુ પ્રદુષણને કારણે ધુમમ્સ તેમજ પ્રદુષણ એક સાથે જોવા મળ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે જેમ જેમ શિયાળો વધશે તેમ તેમ ધુમ્મસ વધતું જશે અને સાથે સાથે પ્રદુષણ પણ વધતું જઈ રહ્યું છે. CPCBના જણાવ્યા અનુસાર સવારના આઠ વાગે એર ક્વોલિટી ઈન્ડેક્સ 332 નોંધાયું હતું.


વધી રહ્યું છે પ્રદુષણનું સ્તર

દિલ્હીમાં હાલ વાયુની ગણવત્તા સતત ઘટી રહી છે. જેને કારણે ત્યાં રહેતા લોકોને શ્વાસ લેવામાં અને પ્રદુષણને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત શિયાળાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. શિયાળો શરૂ થવાને કારણે ધુમ્મસની સમસ્ચા પણ જોવા મળી રહી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ આઠ વાગ્યા સુધી 332 નોંધાયું હતું. શિયાળાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છે અને તાપમાન ઘટી શકે છે. શિયાળો વધતા આ સમસ્ચા પણ વધતી જશે. એક તો પ્રદુષણ અને બીજુ ધુમ્મસ. આ બંનેને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવવાનો છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.