દિલ્હીમાં વધતા વાયુ પ્રદુષણએ વધારી ચિંતા, શિયાળામાં પડી શકે છે વધારે મુશ્કેલી


  • Published By :
  • Published Date : 2022-12-03 10:26:19

દિલ્હીમાં વાયુ પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હી એનસીઆરમાં એર ક્વોલિટી સતત ઘટતી જઈ છે જેને કારણે આ પ્રદુષણની સમસ્યા ખતમ કરવાનું નામ નથી લઈ રહી. શિયાળાને કારણે તેમજ વાયુ પ્રદુષણને કારણે ધુમમ્સ તેમજ પ્રદુષણ એક સાથે જોવા મળ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે જેમ જેમ શિયાળો વધશે તેમ તેમ ધુમ્મસ વધતું જશે અને સાથે સાથે પ્રદુષણ પણ વધતું જઈ રહ્યું છે. CPCBના જણાવ્યા અનુસાર સવારના આઠ વાગે એર ક્વોલિટી ઈન્ડેક્સ 332 નોંધાયું હતું.


વધી રહ્યું છે પ્રદુષણનું સ્તર

દિલ્હીમાં હાલ વાયુની ગણવત્તા સતત ઘટી રહી છે. જેને કારણે ત્યાં રહેતા લોકોને શ્વાસ લેવામાં અને પ્રદુષણને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત શિયાળાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. શિયાળો શરૂ થવાને કારણે ધુમ્મસની સમસ્ચા પણ જોવા મળી રહી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ આઠ વાગ્યા સુધી 332 નોંધાયું હતું. શિયાળાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છે અને તાપમાન ઘટી શકે છે. શિયાળો વધતા આ સમસ્ચા પણ વધતી જશે. એક તો પ્રદુષણ અને બીજુ ધુમ્મસ. આ બંનેને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવવાનો છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.