દિલ્હીમાં વધતા વાયુ પ્રદુષણએ વધારી ચિંતા, શિયાળામાં પડી શકે છે વધારે મુશ્કેલી


  • Published By :
  • Published Date : 2022-12-03 10:26:19

દિલ્હીમાં વાયુ પ્રદુષણનું સ્તર સતત વધી રહ્યું છે. દિલ્હી એનસીઆરમાં એર ક્વોલિટી સતત ઘટતી જઈ છે જેને કારણે આ પ્રદુષણની સમસ્યા ખતમ કરવાનું નામ નથી લઈ રહી. શિયાળાને કારણે તેમજ વાયુ પ્રદુષણને કારણે ધુમમ્સ તેમજ પ્રદુષણ એક સાથે જોવા મળ્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે જેમ જેમ શિયાળો વધશે તેમ તેમ ધુમ્મસ વધતું જશે અને સાથે સાથે પ્રદુષણ પણ વધતું જઈ રહ્યું છે. CPCBના જણાવ્યા અનુસાર સવારના આઠ વાગે એર ક્વોલિટી ઈન્ડેક્સ 332 નોંધાયું હતું.


વધી રહ્યું છે પ્રદુષણનું સ્તર

દિલ્હીમાં હાલ વાયુની ગણવત્તા સતત ઘટી રહી છે. જેને કારણે ત્યાં રહેતા લોકોને શ્વાસ લેવામાં અને પ્રદુષણને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત શિયાળાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. શિયાળો શરૂ થવાને કારણે ધુમ્મસની સમસ્ચા પણ જોવા મળી રહી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ આઠ વાગ્યા સુધી 332 નોંધાયું હતું. શિયાળાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છે અને તાપમાન ઘટી શકે છે. શિયાળો વધતા આ સમસ્ચા પણ વધતી જશે. એક તો પ્રદુષણ અને બીજુ ધુમ્મસ. આ બંનેને કારણે વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવવાનો છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.