હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ ચિંતાજનક! હાર્ટ એટેકને કારણે ગુજરાતમાં 24 કલાકમાં થયા બે યુવાનોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-06 16:49:32

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓની વાતો અનેક વખત કરતા હોઈએ છીએ. ગુજરાતના યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. તાજેતરમાં જ ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીની તેમજ ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. ત્યારે ફરી એક વખત એક જ દિવસમાં હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા છે. વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાને કારણે ચિંતામાં વધારો થયો છે. 


નાની ઉંમરે લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોના મોત તે સમય દરમિયાન થયા હતા. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે પણ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવે તે વાત સામાન્ય લાગતી હતી પરંતુ હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે યુવાનોના મોતના સમાચાર સામાન્ય લાગવા લાગ્યા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. 


24 કલાકમાં બે યુવાનોના થયા હૃદય હુમલાને કારણે મોત

ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં કેટર્સનું કામ કરનાર મોહિત પટેલ નામના યુવકને બુધવારે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર માટે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત ઘોષિત કરી દીધો હતો. મોડી રાત્રે કામ પરથી ઘરે પરત ફર્યા અને ઘરે આવીને ઉંઘી ગયા.સવારે જ્યારે તેમને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે ઉઠ્યો જ નહી. જેથી પરિવારના અન્ય  સભ્યોને જાણ કરવામાં આવી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 


પિતાની સામે  ઢળી પડ્યો પુત્ર!

બીજો એક કિસ્સો દેવભૂમિ દ્વારકાથી સામે આવ્યો છે. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં રહેતા 26 વર્ષના પ્રવીણ કણજારિયાનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. તે મિસ્ત્રી કામ કરતો હતો અને જ્યારે તેને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેના પિતા તેની સામે જ હતા. પિતાની નજર સામે જ પુત્ર ઢળી પડ્યો અને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. જીંદગીનો કોઈ ભરસો રહ્યો નથી. કોણ ક્યારે મોતને ભેટે તે જાણી શકાતું નથી.         



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.