હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ ચિંતાજનક! હાર્ટ એટેકને કારણે ગુજરાતમાં 24 કલાકમાં થયા બે યુવાનોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-06 16:49:32

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓની વાતો અનેક વખત કરતા હોઈએ છીએ. ગુજરાતના યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. તાજેતરમાં જ ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીની તેમજ ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. ત્યારે ફરી એક વખત એક જ દિવસમાં હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા છે. વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાને કારણે ચિંતામાં વધારો થયો છે. 


નાની ઉંમરે લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોના મોત તે સમય દરમિયાન થયા હતા. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે પણ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવે તે વાત સામાન્ય લાગતી હતી પરંતુ હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે યુવાનોના મોતના સમાચાર સામાન્ય લાગવા લાગ્યા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. 


24 કલાકમાં બે યુવાનોના થયા હૃદય હુમલાને કારણે મોત

ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં કેટર્સનું કામ કરનાર મોહિત પટેલ નામના યુવકને બુધવારે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર માટે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત ઘોષિત કરી દીધો હતો. મોડી રાત્રે કામ પરથી ઘરે પરત ફર્યા અને ઘરે આવીને ઉંઘી ગયા.સવારે જ્યારે તેમને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે ઉઠ્યો જ નહી. જેથી પરિવારના અન્ય  સભ્યોને જાણ કરવામાં આવી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 


પિતાની સામે  ઢળી પડ્યો પુત્ર!

બીજો એક કિસ્સો દેવભૂમિ દ્વારકાથી સામે આવ્યો છે. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં રહેતા 26 વર્ષના પ્રવીણ કણજારિયાનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. તે મિસ્ત્રી કામ કરતો હતો અને જ્યારે તેને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેના પિતા તેની સામે જ હતા. પિતાની નજર સામે જ પુત્ર ઢળી પડ્યો અને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. જીંદગીનો કોઈ ભરસો રહ્યો નથી. કોણ ક્યારે મોતને ભેટે તે જાણી શકાતું નથી.         



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.