હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ ચિંતાજનક! હાર્ટ એટેકને કારણે ગુજરાતમાં 24 કલાકમાં થયા બે યુવાનોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-06 16:49:32

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓની વાતો અનેક વખત કરતા હોઈએ છીએ. ગુજરાતના યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. તાજેતરમાં જ ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીની તેમજ ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. ત્યારે ફરી એક વખત એક જ દિવસમાં હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા છે. વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાને કારણે ચિંતામાં વધારો થયો છે. 


નાની ઉંમરે લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોના મોત તે સમય દરમિયાન થયા હતા. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે પણ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવે તે વાત સામાન્ય લાગતી હતી પરંતુ હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે યુવાનોના મોતના સમાચાર સામાન્ય લાગવા લાગ્યા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. 


24 કલાકમાં બે યુવાનોના થયા હૃદય હુમલાને કારણે મોત

ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં કેટર્સનું કામ કરનાર મોહિત પટેલ નામના યુવકને બુધવારે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર માટે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત ઘોષિત કરી દીધો હતો. મોડી રાત્રે કામ પરથી ઘરે પરત ફર્યા અને ઘરે આવીને ઉંઘી ગયા.સવારે જ્યારે તેમને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે ઉઠ્યો જ નહી. જેથી પરિવારના અન્ય  સભ્યોને જાણ કરવામાં આવી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 


પિતાની સામે  ઢળી પડ્યો પુત્ર!

બીજો એક કિસ્સો દેવભૂમિ દ્વારકાથી સામે આવ્યો છે. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં રહેતા 26 વર્ષના પ્રવીણ કણજારિયાનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. તે મિસ્ત્રી કામ કરતો હતો અને જ્યારે તેને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેના પિતા તેની સામે જ હતા. પિતાની નજર સામે જ પુત્ર ઢળી પડ્યો અને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. જીંદગીનો કોઈ ભરસો રહ્યો નથી. કોણ ક્યારે મોતને ભેટે તે જાણી શકાતું નથી.         



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.