હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ ચિંતાજનક! હાર્ટ એટેકને કારણે ગુજરાતમાં 24 કલાકમાં થયા બે યુવાનોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-06 16:49:32

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓની વાતો અનેક વખત કરતા હોઈએ છીએ. ગુજરાતના યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. તાજેતરમાં જ ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીની તેમજ ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. ત્યારે ફરી એક વખત એક જ દિવસમાં હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા છે. વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાને કારણે ચિંતામાં વધારો થયો છે. 


નાની ઉંમરે લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર 

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોના મોત તે સમય દરમિયાન થયા હતા. અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા ત્યારે હાર્ટ એટેકને કારણે પણ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પહેલા વૃદ્ધોને હાર્ટ એટેક આવે તે વાત સામાન્ય લાગતી હતી પરંતુ હવે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે યુવાનોના મોતના સમાચાર સામાન્ય લાગવા લાગ્યા છે. પ્રતિદિન એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરે લોકોના જીવ જઈ રહ્યા છે. 


24 કલાકમાં બે યુવાનોના થયા હૃદય હુમલાને કારણે મોત

ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં કેટર્સનું કામ કરનાર મોહિત પટેલ નામના યુવકને બુધવારે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર માટે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત ઘોષિત કરી દીધો હતો. મોડી રાત્રે કામ પરથી ઘરે પરત ફર્યા અને ઘરે આવીને ઉંઘી ગયા.સવારે જ્યારે તેમને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે ઉઠ્યો જ નહી. જેથી પરિવારના અન્ય  સભ્યોને જાણ કરવામાં આવી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 


પિતાની સામે  ઢળી પડ્યો પુત્ર!

બીજો એક કિસ્સો દેવભૂમિ દ્વારકાથી સામે આવ્યો છે. દ્વારકાના ખંભાળિયા તાલુકામાં રહેતા 26 વર્ષના પ્રવીણ કણજારિયાનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. તે મિસ્ત્રી કામ કરતો હતો અને જ્યારે તેને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેના પિતા તેની સામે જ હતા. પિતાની નજર સામે જ પુત્ર ઢળી પડ્યો અને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. જીંદગીનો કોઈ ભરસો રહ્યો નથી. કોણ ક્યારે મોતને ભેટે તે જાણી શકાતું નથી.         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.