યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક, પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખનું થયું હાર્ટ એટેકથી મોત


  • Published By :
  • Published Date : 2023-07-14 15:45:25

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પહેલા વૃદ્ધોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ બનતા હતા. પરંતુ ધીરે ધીરે યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવા લાગ્યા, હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. અચાનક મોત થઈ જવાથી પરિવારમાં તેમજ પાર્ટીના કાર્યકર્તાઓમાં શોકની લાગણી પ્રવર્તિ રહી છે.


સુરેન્દ્રનગરના પાટડી શહેરના ભાજપ ઉપપ્રમુખનું થયું નિધન 

ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આશાવાદી યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થી જેમણે હજી જિંદગી પણ નથી જોઈ તે છોકરાઓનું જીવન હાર્ટ એટેકને કારણે છીનવાઈ ગયું છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. શહેર ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. મળતી માહિતી અનુસાર ગઈકાલ સાંજે જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમના હાથમાં દુખાવો થયો હતો. જેને લઈ તે હોસ્પિટલ પહોંચ્યા. ફોન પર વાત કરવા તે બાંકડા પર બેઠા અને ત્યાં જ હાર્ટ એટેક આવવાને કારણે નિધન થઈ ગયું. હાર્ટ એટેક આવવાને કારણે તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા. અને તેમનું મોત થઈ ગયું. નાની ઉંમરે મોત થવાથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 



વિદ્યાર્થીઓનું થાય છે હાર્ટ એટેકને કારણે મોત  

મહત્વનું છે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. થોડા સમય પહેલા એક જ દિવસમાં બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા હતા. થોડા સમય પહેલા શાળામાં ભણતા વિદ્યાર્થીનું મોત થયું હતું. તે પહેલા ગુરૂપૂર્ણિમાના દિવસે પણ એક બાળકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. પોતાના હૃદયનો ખ્યાલ બધાએ રાખવો જોઈએ.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.