યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક, પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખનું થયું હાર્ટ એટેકથી મોત


  • Published By :
  • Published Date : 2023-07-14 15:45:25

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પહેલા વૃદ્ધોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ બનતા હતા. પરંતુ ધીરે ધીરે યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવા લાગ્યા, હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. અચાનક મોત થઈ જવાથી પરિવારમાં તેમજ પાર્ટીના કાર્યકર્તાઓમાં શોકની લાગણી પ્રવર્તિ રહી છે.


સુરેન્દ્રનગરના પાટડી શહેરના ભાજપ ઉપપ્રમુખનું થયું નિધન 

ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આશાવાદી યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થી જેમણે હજી જિંદગી પણ નથી જોઈ તે છોકરાઓનું જીવન હાર્ટ એટેકને કારણે છીનવાઈ ગયું છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. શહેર ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. મળતી માહિતી અનુસાર ગઈકાલ સાંજે જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમના હાથમાં દુખાવો થયો હતો. જેને લઈ તે હોસ્પિટલ પહોંચ્યા. ફોન પર વાત કરવા તે બાંકડા પર બેઠા અને ત્યાં જ હાર્ટ એટેક આવવાને કારણે નિધન થઈ ગયું. હાર્ટ એટેક આવવાને કારણે તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા. અને તેમનું મોત થઈ ગયું. નાની ઉંમરે મોત થવાથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 



વિદ્યાર્થીઓનું થાય છે હાર્ટ એટેકને કારણે મોત  

મહત્વનું છે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. થોડા સમય પહેલા એક જ દિવસમાં બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા હતા. થોડા સમય પહેલા શાળામાં ભણતા વિદ્યાર્થીનું મોત થયું હતું. તે પહેલા ગુરૂપૂર્ણિમાના દિવસે પણ એક બાળકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. પોતાના હૃદયનો ખ્યાલ બધાએ રાખવો જોઈએ.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.