યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક, પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખનું થયું હાર્ટ એટેકથી મોત


  • Published By :
  • Published Date : 2023-07-14 15:45:25

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પહેલા વૃદ્ધોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ બનતા હતા. પરંતુ ધીરે ધીરે યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવા લાગ્યા, હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. અચાનક મોત થઈ જવાથી પરિવારમાં તેમજ પાર્ટીના કાર્યકર્તાઓમાં શોકની લાગણી પ્રવર્તિ રહી છે.


સુરેન્દ્રનગરના પાટડી શહેરના ભાજપ ઉપપ્રમુખનું થયું નિધન 

ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આશાવાદી યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થી જેમણે હજી જિંદગી પણ નથી જોઈ તે છોકરાઓનું જીવન હાર્ટ એટેકને કારણે છીનવાઈ ગયું છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. શહેર ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. મળતી માહિતી અનુસાર ગઈકાલ સાંજે જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમના હાથમાં દુખાવો થયો હતો. જેને લઈ તે હોસ્પિટલ પહોંચ્યા. ફોન પર વાત કરવા તે બાંકડા પર બેઠા અને ત્યાં જ હાર્ટ એટેક આવવાને કારણે નિધન થઈ ગયું. હાર્ટ એટેક આવવાને કારણે તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા. અને તેમનું મોત થઈ ગયું. નાની ઉંમરે મોત થવાથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 



વિદ્યાર્થીઓનું થાય છે હાર્ટ એટેકને કારણે મોત  

મહત્વનું છે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. થોડા સમય પહેલા એક જ દિવસમાં બે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા હતા. થોડા સમય પહેલા શાળામાં ભણતા વિદ્યાર્થીનું મોત થયું હતું. તે પહેલા ગુરૂપૂર્ણિમાના દિવસે પણ એક બાળકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. પોતાના હૃદયનો ખ્યાલ બધાએ રાખવો જોઈએ.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.